જે ઘરની અંદર મોત થયું હોય તે ઘરના દરેક લોકો ખૂબ જ ઊંડા આઘાતની અંદર ચાલ્યા ગયેલા હોય છે, આવા સમયની અંદર તેમને સાંત્વના પાઠવવાની જરૂર પડે છે, હાલ એક પરિવાર ખૂબ જ ઊંડા દુઃખની અંદર ચાલ્યો ગયો હતો. કારણ કે, પરિવારની ઘરડી માતાનું મૃત્યુ થતાં દરેક લોકો શોકમાં ચાલ્યા આવ્યા હતા..
આ બનાવ જ્યારે પૂર્ણ થતો ત્યારબાદ વધુ એક આફત એવી ત્રાટકી પડી હતી કે, બિચારો પરિવાર માથે હાથ મૂકીને રડવા લાગ્યો હતો. આ ઘટનાને સાંભળ્યા બાદ તમે પણ કહેવા લાગશો કે, હે ભગવાન તમે તો આ પરિવાર ઉપર દુઃખોના પહાડ વરસાવી દીધા છે. બીજાના પરિવારને હિંમત અને શાંતિ આપજો હકીકતમાં આ કાળજા કંપાવતી ઘટના ધાનેરા ગામમાંથી સામે આવી છે..
ભાનેડા ગામની અંદર કરસનદાસ નામના વડીલ વ્યક્તિ તેમની ઘરડી પત્ની સાથે જીવન ગુજારતા હતા, કરસનદાસ ભાઈ અને તેમની પત્ની શાંતાબેન એકલવયુ જીવન ગુજારી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા હતા. જ્યારે તેમના ત્રણ દીકરાઓ અને બે દીકરીનો પરિવાર શહેરમાં રહીને નોકરી વ્યવસાય ચલાવતા હતા..
વતને રહેતા આ ઘરડા મા-બાપની સાર સંભાળ રાખવા માટે તેમના દીકરા દીકરી થોડા થોડા સમયે વતને જતા રહેતા હતા, એક વખત સવારના સમયે કરસનદાસ ભાઈ તેના ત્રણેય દીકરાઓ અને બંને દીકરીને ફોન કરીને જણાવ્યું કે, શાંતાબેને આંખો મીંચી દીધી છે. અને તેઓએ આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દીધું છે..
પરિવારના દરેક સદસ્યો વાહનો બાંધીને પોતાના વતનને જવા માટે નીકળી ગયા હતા, તેમની ઘરડી માતાનું મૃત્યુ થતાં પરિવાર ખૂબ જ ઊંડા શોકમાં ચાલ્યો ગયો હતો, દરેક લોકોએ અંતિમવિધિની તૈયારીઓ શરૂ કરી અને શાંતાબેનને અંતિમ સંસ્કાર પણ આપ્યા હતા, આ અંતિમ સંસ્કાર પૂર્ણ કર્યા બાદ થોડા સમય બાદ જુદી જુદી વિધિઓ શરૂ કરવા આવી..
અને થોડા દિવસોની અંદર જ તેમના પાણીવાળની વિધિ પણ પૂર્ણ કરીને હવે સમગ્ર પરિવાર વતનથી પોતાના ઘરે શહેરમાં રહેવા માટે નીકળી ગયો હતો, જ્યારે આ પરિવાર રાત્રીના સમયે પોતાને ઘરે પહોંચ્યો ત્યારે ઘરનો દરવાજો ખોલતાની સાથે તેઓએ એવું દ્રશ્ય જોઈ લીધું હતું કે, તેમના ઉપર અન્ય એક દુઃખ ફાટી નીકળ્યું હતું..
ઉપરા ઉપર એક જ પરિવાર ઉપર આફતોના આભ ફાટી નીકળવાને કારણે બિચારો પરિવાર ભાંગી પડ્યો અને માથે હાથ મૂકીને રડવા લાગ્યો હતો, આ ઘટનાને લઈને આસપાસના પડોશીઓ પણ કરસનદાસ ભાઈના દીકરાઓના ઘર પાસે આવી પહોંચ્યા હતા, કરસનદાસ ભાઈના ત્રણ દીકરાઓમાં રમેશ, મનોજ અને અંકિતનો સમાવેશ થતો હતો..
ત્રણેય ભાઈઓનો આ સંયુક્ત પરિવાર શહેરમાં આવેલી વિશ્રામ નગર કોલોનીમાં પોતાના બંગલામાં રાજી ખુશીથી જીવન જીવતા હતા, તેમના માતા શાંતાબેનના પાણીવાળાને વિધિ પૂર્ણ કરીને વાહન બાંધી તેવો પોતાના પરિવારને સાથે લઈ પોતાના બંગલે રહેવા માટે આવી ગયા હતા, જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે અંકિત ભાઈએ નજર ફેરવીને જોયું તો તેમના ઘરનો તમામ સામાન વેર વિખેર હતો..
તેમજ તેમના ઘરની પાછળની બાલકનીનો દરવાજો પણ તોડી નાખવામાં આવ્યો હતો. જ્યારે ઉપરના માળે તપાસ કરવામાં આવી તો મનોજભાઈના રૂમમાં મૂકેલી તિજોરીનું તાળું પણ તૂટી ગયેલું હતું અને અંદર મુકેલા સોના ચાંદીના દાગીનાની સાથે સાથે 9 લાખ રૂપિયા રોકડા પણ ગયા હતા..
આ ત્રણેય ભાઈઓ હોલસેલના બિઝનેસ સાથે જોડાયેલા હતા, તેમની ભાઈઓની પત્નીઓના ઘરેણા પણ તેઓએ ઘરમાં મુકેલી તિજોરી ની અંદર રાખ્યા હતા, તેઓ તેમની માતાના પાણીવાળાની વિધિ પૂરી કરીને પોતાના ઘરે પરત ફરે એ પહેલા તો કોઈ ચોર લુટારા તેમના ઘરની અંદર ત્રાટકી જઈને તિજોરીમાંથી આ તમામ સામાન ઘરેણા સહીત રોકડા રૂપિયા પણ ચોરી કરીને રફુચક્કર થઈ ગયા હતા..
આ ઘટના વિષે જ્યારે પરિવારના દરેક સભ્યોને જાણ થાય ત્યારે દરેક લોકોની આંખમાંથી આંસુ સરી પડ્યા હતા. કારણ કે એક દુઃખ હજુ તેમનાથી સહન થયું હતું નહીં. પરિવારની ત્રણેય મહિલાઓને રડતી જોઈને તેમના આસપાસના પડોશમાં રહેતા વ્યક્તિઓ પણ પરિવારને પાઠવવા માટે અહીં પહોંચી આવ્યા હતા..
મનોજ, રમેશ તેમજ અંકિત સહિતના ત્રણેય ભાઈઓનો આ પરિવાર તાબડતો પોલીસ સ્ટેશનને પહોંચ્યું અને ત્યાં ફરિયાદ નોંધાવી હતી કે તેમના ઘરે ખૂબ જ મોટી ચોરી થઈ ચૂકી છે. આ ચોરીની ઘટના ક્યારે બની છે, તેની તેમને કોઈ જાણ નથી, પોલીસે ફરિયાદ નોંધી હતી તેમજ આસપાસના પડોશીઓના નિવેદનને પણ નોંધવામાં આવ્યા છે..
જો કોઈ વ્યક્તિને અજુગતી બાબત દેખાય હોય તો તેના વિશે પણ જણાવવા કહ્યું છે, આ સાથે સાથે સીસીટીવી કેમેરાની મદદથી તપાસ મેળવીને આ ચોર લૂંટારાઓ કોણ છે, કેટલા વાગે પ્રવેશ કર્યો હતો અને ચોરી કરીને કઈ દિશા તરફ આગળ વધી રહ્યા છે. તેની પણ માહિતી મેળવવી રહી છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]