Breaking News

માતાના બેસણામાં વતને જતી સગી બહેનોની કારને ડમ્પરે કચડી નાખતા 3 બહેનોના થયા કરુણ મોત, ઉપરા ઉપરી દુઃખ ત્રાટકતા પરિવાર હિબકે ચડ્યો..!

હાલમાં એક પરિવાર ખૂબ જ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો, પરિવારમાં પહેલેથી જ એક વ્યક્તિને મૃત્યુ થઈ ગયું હતું અને તેના બેસણા વિધિની અંદર હાજરી આપવા માટે શહેરમાંથી આવતી ત્રણ દીકરીઓનો પણ રસ્તામાં અકસ્માત સર્જાઈ જતા તેઓ પણ કાળનો કોળિયો બની ગયા હતા..

આ દુઃખદાયી ઘટના સાંભળીને તમારી પણ આંખમાંથી આંસુ નીકળી પડશે, આ બનાવો ધર્મરાજ વિસ્તારનો છે. અહીં ચંદ્રકાંતભાઈ તેમના પરિવારની સાથે રહે છે. ચંદ્રકાંત ભાઈની પત્ની રંજનબેન હતા રંજનબેન બીમારી થઈ ગઈ હતી, રંજનબેનની સેવા ચાકરી ચંદ્રકાન્તભાઈ છેલ્લા ચાર વર્ષથી કરતા હતા..

રંજન બેનનો એકનો એક લાડકવાયો દીકરો વિદેશમાં રહેતો હોવાને કારણે અહીં વતનમાં માત્ર ચંદ્રકાંત ભાઈ અને તેમની પત્ની રંજનબેન જીવન વિતાવતા હતા, રંજનબેનની ત્રણ દીકરીઓ શહેરમાં સાસરે રહેતી હતી, એક દિવસ સવારના સમયે અચાનક જ રંજનબેને આંખો મીંચી દીધી અને તેમનું મૃત્યુ થઈ ગયું હતું..

દુઃખના આ સમાચાર દરેક લોકો સુધી પણ પહોંચાડી દેવામાં આવ્યા હતા, પોતાની માતાની બેસણા વિધિમાં જતી વખતે ત્રણે બહેનોની કારણે પણ કાળ નડી ગયો હતો. ત્રણેય સગી બહેનો એક જ કારની અંદર બેસીને વતન એ તેના માતાના બેસણા વિધિની અંદર જવા માટે નીકળી પડી હતી..

તેઓ જ્યારે અડધી રાતે પહોંચ્યા ત્યારે તેમની ગાડી બેકાબૂ બની ગઈ હતી, અને સામેથી આવતા ડમ્પરની નીચે અથડાઈ જવાને કારણે ડમ્પરે કારનો કૂચળું બોલાવી દીધો હતો અને કારની અંદર બેઠેલી ત્રણેય સગી બહેનોના કરુણ મૃત્યુ પણ થઈ ગયા હતા. એક બાજુ રંજનબેન ના મૃત્યુના સમાચારને લઈને સૌ કોઈ લોકો ખૂબ જ દુઃખી હતા..

અને એવામાં સભ્ય ત્રણ બહેનોના મૃત્યુના સમાચાર સાંભળીને ફરી પાછું ખૂબ જ મોટું દુઃખ દરેક લોકો સુધી પહોંચ્યું હતું, એક પછી એક દુઃખો ત્રાટકી પડતા સમગ્ર પરિવાર હિબકે ચડી ગયો હતો, આ ત્રણેય દીકરીઓના પતિ પણ ખૂબ જ ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા હતા, જે પરિવારમાંથી દુઃખની ઘડી આવી પડી હોય તેવા પરિવારને કોઈ અન્ય વ્યક્તિઓની સારી શિખામણ અને સાંતવનની જરૂર પડે છે..

પરંતુ અત્યારે તો આ બનાવવામાં અડધી અડધો પરિવાર ખલાસ થઈ ગયો હતો, જ્યારે ચારે કોર મોતના મરશિયા ગાવા લાગ્યા હતા, જ્યારે સમાચાર ગામના દરેક લોકો સુધી પહોંચ્યા ત્યારે તેઓ પણ દુઃખની ઘડીની અંદર સહભાગી બનવા માટે ચંદ્રકાંત ભાઈના ઘર પાસે આવી પહોંચ્યા હતા..

હવે પરિવારમાં માત્ર ચંદ્રકાંતભાઈ વિદેશમાં રહેતો તેમનો એકનો એક દીકરો અને તેમના ત્રણ જમાઈ બાકી બચ્યા હતા, ચંદ્રકાંતભાઈનો વિદેશ ગયેલો દીકરો પણ ત્યાં ખૂબ જ દુઃખી થયો હતો. તે પોતાની માતાના મૃત્યુમાં પણ આવી શક્યો નહીં, અને તેની ત્રણેય બહેનોના એક સાથે જીવ ચાલ્યા ગયા છતાં પણ તે કોઈનું મોઢું જોઈ શક્યો નહીં..

આ ઘટનાએ દરેક લોકોના રુવાડા બેઠા કરાવી દીધા હતા, જ્યારે જ્યારે દુઃખની આવી ઘટનાઓ આપણે સાંભળીએ છીએ ત્યારે આપણે પણ ખૂબ જ દુઃખી થઈ જતા હોઈએ છીએ. ગામના લોકોએ અશ્રુભીની આંખે ચંદ્રકાંત ભાઈના પત્ની રંજનબેન તેમજ તેમની ત્રણેય દીકરીઓને વિદાય આપી હતી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *