આજકાલ કોઈ પણ સંબંધ ઉપર મન મૂકીને વિશ્વાસ કરવો જોઈએ નહીં કારણ કે સગી માતાની મમતા પણ હવે લજવવા લાગી છે. ભલભલા સંબંધોને શરમમાં મૂકી દે તેઓ એક બનાવો હાલ સામે આવ્યો છે. મૂળ હરિયાણાની યમુના નગરમાં રહેતી મનિન્દર નામની મહિલાના લગ્ન કુલબંદર સિંહ નામના યુવક સાથે થયા હતા.
લગ્નજીવન દરમિયાન તેને એક દીકરો અને એક દીકરીનો જન્મ થયો હતો. આ મહિલાએ તેની દીકરીને પંજાબના ગોલ્ડન ટેમ્પલ પાસે ના પરિસરમાં મોતને ઘાટ ઉતારી દઈને પોતાના ખોળામાં તેડીને અંદાજે ત્રણ કલાક સુધી આમ થી આમ રખડી હતી. અને તેની પાછળ પાછળ તેનો દીકરો પણ રખડતો હતો.
જ્યારે ગોલ્ડન ટેમ્પલના પરિસર વિસ્તારમાં લોકોએ જોયું કે, આ મહિલા એક બાળકીને તેડીને ક્યારની આમથી આમ રખડી રહી છે. ત્યારે ખૂબ જ અજીબ લાગ્યું હતું. પરંતુ તેઓ વિચાર્યું કે કદાચ આ બાકી સૂઈ ગઈ હશે અને તેને તેડીને તેની માતા કોઈ સારી જગ્યા શોધી રહી છે. પરંતુ થોડા સમય પછી આ પરિસરથી થોડી દૂર આ બાળકી પડેલી મળી આવી હતી..
જ્યારે તેની માતા અને તેની સાથે રહેલો બાળક ત્યાંથી ગુમ હતા. લોકોએ આ બાળકીને ઉપાડીને જોયું તો આ બાળકી મૃત્યુ પામેલી હતી. ત્યારબાદ તાત્કાલિક ધોરણે ત્યાંના સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણકારી આપીને પોલીસનો કાફલો ઘટના સ્થળે બોલાવી લેવામાં આવ્યો હતો. અને જરૂરી તપાસો પણ શરૂ કરવામાં આવી હતી..
જેમાં પોલીસે સીસીટીવી કેમેરાની તપાસ શરૂ કરી હતી. જેમાં દેખાયું કે આ મૃત બાળકીને તેની માતા તેડીને ત્રણ કલાક સુધી આ મંદિરના પરિસર વિસ્તારમાં આંટાફેરા મારતી હતી. અને અંતે પરિસરથી થોડે દૂર બાળકીના મૃતદેહને મૂકીને ત્યાંથી ભાગી ગઈ છે. ત્યારબાદ આ મહિલાના સીસીટીવી ફૂટેજ ને પોલીસે તાત્કાલિક ધોરણે વાયરલ કરીને આ મહિલાની જાણ જો કોઈ વ્યક્તિને થાય તો તે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે તેવી સૂચના બહાર પાડી દીધી હતી..
અને જોત જોતામાં જ આ મહિલાને પકડી પાડવામાં આવી હતી. આ ઉપરાંત તેની સાથે રહેલો બાળક પણ મળી આવ્યો હતો. બાળકે અંતે તેની માતા વિશે જ એવા શબ્દો કહ્યા છે કે, જેને જાણીને ભલભલા લોકો શરમમાં મુકાઈ ગયા છે. બાળકે પોલીસને જણાવ્યું હતું કે, તેની માતાએ તેમજ તેની સાથે રહેલા અન્ય એક વ્યક્તિએ તેની બહેનને મોતને ઘાટ ઉતારી દીધી છે..
હું મારી મમ્મી અને એ અંકલને ના પાડતો રહ્યો પરંતુ બંનેએ મારી બહેનને મારી નાખી છે. આ બાબત પરથી સાબિત થઈ ગયું હતું કે, આ મહિલા અન્ય કોઈ વ્યક્તિના પ્રેમમાં પાગલ હતી અને તેણે આ દીકરીને રસ્તા પરથી સાફ કરવા માટે મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ બાળકીની ઉંમર માત્ર ત્રણ વર્ષની છે..
બિચારી બાળકીએ શું બગાડ્યું હશે કે, આખરે તેને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારબાદ આ મહિલાની કડક વિસ્તાર કરતા તેણે પણ કબૂલી લીધું હતું કે, તે અન્ય એક યુવક સાથે પ્રેમ સંબંધ ધરાવતી હતી. અને તેના કારણે તેણે આ બાળકીને મોતને ઘાટ ઉતારી દીધી છે. આ ઘટનાને લઈને ચારેકોડ ચકચાર મચી જવા પામ્યો છે.
તો સૌ કોઈ લોકો આ ઘટનાની ચર્ચા વિચારણા કરી રહ્યા છે. આખરે એક માતાની મમતા લજવાય છે કે તેને પોતાના જ બાળકને મોતને ઘાટ ઉતારી દેવાનું કાવતરું પોતાને હાથે ઘડી નાખ્યું હતું. કેટલાક લોકો કહી રહ્યા છે કે આ મહિલાને ભગવાન ક્યારેય માફ નહી કરે કારણ કે તેણે એક બાળકી નો જીવ લીધો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]