Breaking News

માતા બજારમાં સમાન લેવા ગઈ હતી અને 4 વર્ષની બહેને 2 વર્ષના ભાઈને એસીડ પીવડાવી દીધું.. અને પછી જે થયું તે સાંભળીને હોશ ઉડી જશે.. જાણો!

આજે સુરતના પાંડેસરા વિસ્તારમાં એક એવી ઘટના બની છે જે સાંભળીને તમારા હોશ ઉડી જશે. જે માતા-પિતા તેમના ગેરસમજણ ધરાવતા અને હજુ ઉંમરમાં નાના હોઈ તેવા બાળકોને ઘરે એકલા મૂકીને કામ કાજે જાય છે તેઓ આ લેખ ખાસ વાંચે! કારણકે ગેરસમજણ ધરાવતું બાળક ક્યારેક અજાણ્યા જ પોતાના જીવ માટે રિસ્ક પેદા કરી શકે છે.

સુરતના પાંડેસરા વિસ્તારમાં મૂળ બિહારના અને છેલ્લા 3 વર્ષથી પાંડેસરા વિસ્તારમાં રહેતા એક પરિવાર પર આફત આવી પડી છે. પરિવારમાં પિતા કાપડ માર્કેટમાં મજુરી કામ કરે છે જયારે માતા ઘરનું કામ કરે છે તેમજ એક 4 વર્ષની દીકરી અને 2 વર્ષનો નાનો દીકરો છે. માતા 4 વર્ષની દીકરીને ભલામણ કરી ને સમાન લેવા માટે બજારમાં ગઈ હતી કે બેટા તું ભાઈનું ધ્યાન રાખજે.

પરતું 4 વર્ષની દીકરી અને 2 વર્ષના દીકરાને એવી તો શું સમજણ કે તેઓને માતાની શિખામણ સાચી લાગે. માતા દીકરીના ભરોસે 2 વર્ષના બાળકને મૂકીને બજારમાં સમાન લેવા ગઈ હતી. બહેન અને ભાઈ એક રૂમમાં બંધ હતા, એ સમયે દીકરીએ એ પ્રકારની ગેરસમજણમાં તેમજ રમત રમતમાં પોતાના 2 વર્ષના નાના ભાઈને એસીડની બોટલ ખોલીને પીવડાવી દીધી હતી.

આ ઘટના બનતા જ બાળક રાડો નાખવા માંડ્યો હતો. કારણકે એસીડ ખુબ જ જલનશીલ હોઈ છે. એસીડનું એક ટીપું હાથ પર પડે તો હાથ દાઝી જાય છે તેમજ તેના કાળા ડાઘ પડી જાય છે. તેમજ ખુબ જ બળતરા થવા લાગે છે. આવું જલનશીલ પદાર્થ જો કોઈ પી જાય તો તેની હાલત કેવી થાય તે વિચારી પણ ન શકાય.

બાળકના ચીસા-ચીસોનો અવાજ આવતા આડોશ-પાડોશના લોકો દોડી આવ્યા હતા અને જોયુ તો બાળકના મોઢા માં એસીડ હતું તેમજ બહેનના હાથમાં એસીડની બોટલ. આ દ્રશ્ય જોતા જ નજીકના રહેવાસીઓને ખ્યાલ આવી ગયો કે બને ભાઈ બહેને એ મસ્તી મજાકમાં એસીડને મોઢામાં નાખી દીધું છે.

બાળકની માતા ઘરે નોહતી તેમજ પિતા મજુરી કામ અર્થે કાપડ માર્કેટ હતા. તેથી ત્યાંના રહેવાસીઓ એ ૧૦૮ ને કોલ લગાવ્યો હતો. ગણતરીના સમયમાં જ ૧૦૮ ઘરે પહોચી ગઈ હતી. અને બાળકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. એટલા માં જ બાળકની માતા બજારથી સમાન લઈને ઘરે પહોચતા તેને જાન થઈ હતી કે ભાઈ બહેન સાથે આવો બનાવ બન્યો છે.

પાડોશી પાસેથી સમગ્ર વાત જાણતા તેના હોશ ઉડી ગયા હતા. તરત જ માતા-પિતા સિવિલમાં પહોચ્યા હતા. સિવિલમાં પહોચતા ડોકટરે જણાવ્યુ હતું કે બાળકને બીજા મોટા ડોકટર પાસે ખસેડવો પડશે. સિવિલમાં ડો.નિશા ચંદ્રાએ જણાવ્યું હતું જો સાચું એસીડ પીધું હશે તો બાળકની સ્વર પેટી અને અન્ન નળીને નુકશાન થઈ શકે છે.

માતા-પિતા માટે આ ચિંતાજનક અને જાગૃતતા સમાન કિસ્સો કહી શકાય છે. બાળકોને એકલા છોડી બહાર જવાની ભૂલ કે નાના ભાઈ બહેનને એકબીજા ના ભરોસે મૂકી જવાની ભૂલ ક્યારેય કરવી ન જોઈએ. હાલ બાળક ભાનમાં છે છતાં એક્સપર્ટ અભિપ્રાય વગર કશું પણ કહી શકાય નહીં.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *