દિવસેને દિવસે આપણને ઘરની બહાર નીકળતા ઘણા બધા અકસ્માતો થયાની જાણ થાય છે અને આવા અકસ્માતો આજકાલ ખુબ જ જીવલેણ બની રહ્યા છે. ગંભીર અકસ્માતમાં એક જ પરિવારના ઘણા બધા વ્યક્તિઓના જીવ જોખમમાં મુકાઈ જાય છે અને એક સાથે વ્યક્તિઓ પોતાના જીવ ગુમાવી રહ્યા છે આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી.
આ ઘટના બસ્તીના મહાદેવ લાલગંજ રોડ પર આ જીવલેણ અકસ્માત એક પરિવાર સાથે સર્જાયો હતો. આ પરિવાર લાલગંજ વિસ્તારમાં આવેલા ગાઈઘાટની પંચાયતના સૂર્યનગર વોર્ડમાં રહેતો હતો. પરિવારમાં દાદા-દાદી અને તેમનો દીકરાનો દીકરો રહેતો હતો. દાદી નું નામ જ્ઞાનમતી અને દાદા નું નામ રામાધન હતું.
દીકરાનું નામ રામ ભવન હતું. રામભવનની ઉંમર 23 વર્ષની હતી અને તેમના દાદા ની ઉંમર 65 વર્ષની અને દાદીની ઉંમર 62 વર્ષની હતી. તેઓ પરિવારમાં ખૂબ જ રાજી ખુશીથી રહેતા અને દાદા દાદીની ઉંમર થઈ જવાને કારણે તેમનો દીકરો તેમને કોઈ પણ સગા સંબંધીને ત્યાં પ્રસંગમાં લઈ જતો હતો અને તેની ખૂબ જ ધ્યાન રાખતો હતો.
જેના કારણે દીકરાના માસી ના ઘરે લગ્ન પ્રસંગ હોવાને કારણે એક દિવસ દાદા દાદી અને રામભવન પ્રસંગમાં હાજરી આપવા માટે જવાના હતા. તેઓ પોતાના ઘરેથી નીકળ્યા હતા અને મહાદેવ લાલગંજ રોડ પર આવેલા બંકટી બ્લોકના ચાર રસ્તા પાસે પહોંચ્યા અને તેમની માસીનું ગામ ભૈશિયા હતું, જેના કારણે તેઓ આગળના લગ્ન પ્રસંગે જઈ રહ્યા હતા..
ચાર રસ્તા પાસે પહોંચતા સામેની તરફથી એક ખૂબ જ ઝડપી સ્પીડમાં ટ્રક આવી રહ્યો હતો અને દાદા દાદી પોતાની બાઈક લઈને જઈ રહ્યા હતા. તે સમયે સામેની તરફથી ઝડપી આવીને બાઇકને અડફેટે લઈ લીધો હતો જેના કારણે બાઇકમાં પાછળ બેઠેલા જ્ઞાનમતી અને રામાધીન ઉછળી ગયા હતા. રોડ પર જ્ઞાનમતીનું માથું ભટકાયું હતું.
જેના કારણે આ અકસ્માત સર્જાતા તરત જ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને એમ્બ્યુલન્સને ફોન કરી દેવામાં આવ્યો હતો. જ્ઞાનમતી અને તેમનો દીકરો રામભવનને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન જ્ઞાનમતી દાદી નું મૃત્યુ થઈ ગયું હતું અને દાદા દીકરા ની સારવાર ચાલી રહી હતી.
પરિવારજનોને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી જેના કારણે પરિવાર ઘટના સ્થળે પહોંચ્યું હતું અને લાલગંજ પોલીસને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસે આ ઘટનાની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી. પરિવારના લોકોએ ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. જેના કારણે પોલીસ ટ્રક ચાલકની પૂછપરછ કરી રહી હતી. અચાનક એક પરિવાર સાથે આવી ઘટના બની જતા ગામના લોકો આઘાતમાં આવી ગયા હતા.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]