Breaking News

મરવા પડેલા દીકરાને સાજો કરવાનું કહીને ભવિષ્યવાણી કરતા આ ઢોંગી બાબાએ પરિવાર સાથે કર્યું એવું કે રાતાપાણીએ રડવાનો વારો આવ્યો..!

એક અજાણ્યા સાધુએ પરિવારને કુલ 16 લાખનો ચુનો લગાડી દેવાનો મામલો અત્યારે સામે આવ્યો છે, આ ઘટના રાજસ્થાનના કોટાની છે. અહીં હરિઓમ મીણા નામનો યુવક તેના પરિવાર સાથે આદર્શ નગર વિસ્તારમાં રહે છે, હરિઓમના એક ને એક દીકરા છેલ્લા કેટલાક સમયથી કોમામાં સારવાર લઈ રહ્યા છે..

તેના દીકરાની આ સારવારને લઈને તેઓ ખૂબ જ ચિંતામાં હતા. તેઓ અવારનવાર મંદિરો તેમજ સંતો પાસે જઈને આશીર્વાદ લેતા હતા, તેઓ વિચારતા કે જો કોઈ સંત મહાત્માના આશીર્વાદ મળી જાય અને તેમનો દીકરો સ્વસ્થ થઈ જાય તો ખૂબ જ સારું થશે, તે હંમેશા હેરાન પરેશાન રહેતો અને એક દિવસ તો એ સવારના 08:00 વાગે આસપાસ શાક માર્કેટમાં ગયો હતો…

અને ત્યાંથી ઘર તરફ નજીક આવી રહ્યો હતો, ત્યારે એક બાબાએ તેને હાથે રાખીને નજીક બોલાવ્યો અને કહ્યું કે, નજીકની જગ્યાએ તેને જવું છે. ત્યાં સુધી તેને ગાડી ઉપર બેસાડી દેવામાં આવે તો તેને ખૂબ જ સારા આશીર્વાદ મળશે, હરિઓમ ભાઈને આ બાબાએ જણાવ્યું કે, હું તમારા ઘરે ચા પીવા માટે ઈચ્છુક છું..

હરિ ઓમ ભાઈએ વિચાર્યું કે, કદાચ સંત મહાત્માના પગલા તેમના ઘરની અંદર પડી જશે તો કદાચ તેમને સારા આશીર્વાદ પણ મળી શકે છે, એમ વિચારીને તેઓ તેમને ઘરે લઈ આવ્યા હતા. ત્યાં સુધી તો સૌ કોઈ ચીજ વસ્તુઓ બરાબર હતી, પરંતુ ઘરની અંદર આવતાની સાથે જ ઘરના લોકોનો ભાવ બદલાવવા લાગ્યા..

આ ઉપરાંત ઘરમાં રહેલી મહિલાઓને ચા બનાવવા માટે પણ કહેવામાં આવ્યું હતું, આ સાથે સાથે હરિઓમ ભાઈ આ બાબતને સો રૂપિયા ભેટ પણ આપી. પરંતુ આ બાબાએ તેને સ્વીકારવાની મનાઈ કરી દીધી હતી, આ બાબો ખૂબ જ અંતરયામી હોય તેવું લાગતું હતું કારણ કે તેણે સામેથી જ હરિહરભાઈને જણાવી દીધું કે, તમારો દીકરો પરેશાનીમાં છે..

આ વાતની તેમને ખબર છે, અને તે કેવી રીતે પરેશાનીથી બહાર નીકળશે તેનો પણ મારી પાસે ઈલાજ છે. આવી રીતે વાતચીત કરીને પરિવારના દરેક સભ્યોને મંત્ર મુક્ત કરી નાખ્યા હતા અને ત્યારબાદ તેણે હરિઓમભાઈ ની પત્નીના ઘરેણા ભરેલું એક પર્સને ચોરી કરી લીધું હતું. જ્યારે આ બાબા ત્યાંથી ચાલ્યા ગયા ત્યારબાદ હરિઓમ ભાઈ ની પત્ની હંસાબેને હરિઓમભાઈ ને જણાવ્યું કે..

આ બાબો કોઈ સંત મહાત્મા નહીં, પરંતુ ચોર હતો. કારણ કે તેણે મારા સોના ચાંદીના ઘરેણા ભરેલું પર્સ ચોરી કરી લીધું છે, જેની અંદર અંદાજે 16 લાખ રૂપિયાના ઘરેણા મુકેલા હતા. નક્કી આ બાબતે કોઈ ટોડકો અજમાવીને પરિવારના દરેક સભ્યોને મંત્રમુગ્ધ કરી નાખ્યા અને એ સમયે તેણે ઘરની અંદર ચોરી પણ કરી લીધી હશે..

પોતાની પત્નીની આ વાતો સાંભળીને હરિઓમ ભાઈએ તેમની પત્ની ઉપર પણ વિશ્વાસ મૂકવાનું બંધ કરી દીધું તેઓએ કહ્યું કે, આ બાબા ક્યારેય પણ ચોરી કરી શકે નહીં તેની પાસે આપણા દીકરાને બચાવવાનો ઈલાજ છે. જ્યારે આ ઘટનાને ત્રણથી ચાર દિવસ વીતી ચૂક્યા છતાં પણ આ ઘરેણાનો કોઈ પણ અતો પતો લાગ્યો નહીં..

ત્યાર બાદ સમગ્ર પરિવાર ખૂબ જ મુંજવણમાં મુકાઈ ગયો હતો, આ ઘટનાને લઈને બાબાએ હંસાબેનને જણાવી દીધું હતું કે, જો તું મારી ઉપર શંકા કરીશ તો તારો દીકરો જીવતો નહીં બચે. દિન પ્રતિ દિન ઘોર અંધશ્રદ્ધામાં ચાલી જવાને કારણે કેટલાય પરિવારોને આવા માઠા બનાવો સહન કરવા પડતા હોય છે..

પરિવારમાં સુખ શાંતિની લહેરો લાવવા માટે સાધુ મહાત્માના સહારો લઈએ આ ઉપરાંત આંતરિક વિધિઓથી ડરાવી ધમકાવીને કેટલાક લોકો સામાન્ય વ્યક્તિઓની લાગણી તેમજ ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડી રહ્યા છે. આવા લોકો હકીકતમાં કોઈ સંત સાધુ મહાત્મા હોતા નથી તેઓ ચોર લૂંટારાઓ હોય છે..

અને તેઓ સંત મહાત્માનો વેશ ધારણ કરીને લોકોને ખોટા માર્ગે દોરવાનો પ્રયત્ન કરતા હોય છે, આવા લોકોને પકડી પાડીને બરાબરની સજા આપવી જોઈએ કારણ કે કોઈ પણ વ્યક્તિને લોકોની ધાર્મિક આસ્થા અને લાગણીને ઠેસ પહોંચાડવાનો અધિકાર રહ્યો નથી. હરિઓ મિણા તેમજ તેમનો પરિવાર આ ઘટનાને લઈને ખૂબ જ દુઃખી થયો છે..

કારણ કે તેમના પત્નીના તેમજ તેમના દીકરાની વહુના 16 લાખ રૂપિયાની કિંમતના ઘરેણા માત્ર ગણતરીની મિનિટોમાં જ આ ચોર લૂંટારો ઢોંગી બાબો ચોરી કરીને જતો રહ્યો હતો, આ ઘટનાને લઈને તેઓ નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *