દિવસેને દિવસે લોકો પોતાના કામોથી કંટાળી રહ્યા છે. અવારનવાર યુવક-યુવતીઓ પોતાની પાછળની જિંદગીનું વિચાર્યા વગર કંટાળીને ખરાબ પગલાઓ ભરી રહ્યા છે. જેના કારણે તેમના પરિવારના લોકો પણ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. હાલમાં આવી જ એક ઘટના સામે આવી હતી. આ ઘટના ઝાબુઆના મેઘનગર નાકા પાસે આવેલી કોલોનીમાં રહેતી યુવતી સાથે બની હતી.
યુવતી એકલી ભાડાનું મકાન રાખીને રહેતી હતી. યુવતીનું નામ નિશા ભાયલ હતું. તેમની ઉંમર 25 વર્ષની હતી. તે ડોક્ટર હતી. હોસ્પિટલમાં ડોક્ટરની ફરજ બજાવીને પોતાની નોકરી સારી રીતે નિભાવી રહી હતી. તેને ઘણા સમયે પછી ડોક્ટરનો અભ્યાસ પૂરો કર્યો હતો. પરિવારમાં માતા-પિતા અને તેનાથી મોટા ભાઈ-બહેન છે.
પરિવારના લોકો અને પોતાના મૂળ વતન પેટલાવડમાં રહેતા રહે છે. નિશાના પિતા ચેનાલાલ ભાયલ પટવારી છે. નિશાએ ખૂબ જ મહેનત કરીને ખાનગી કોલેજમાંથી એમબીબીએસ પૂર્ણ કર્યું હતું. તે ભણવામાં ખૂબ જ હોશિયાર હતી, જેના કારણે નિશાના પિતાએ તેને ડોક્ટરનું ભણાવીને ડોક્ટર બનાવી હતી.
નિશાને ડોક્ટર સિવાયના પણ ઘણા બધા સપના હતા. તેને એક મોટો ભાઈ અને બહેન છે. નિશા ઝબુઆમાં એકલી જ રહેતી હતી. તેને 6-8 મહિના પહેલા ઝાબુઆની જિલ્લા હોસ્પિટલમાં બોન્ડ પર નોકરી મળી હતી. જેના કારણે એ પોતાની નોકરી ખૂબ જ સારી રીતે નિભાવી રહી હતી.
ત્યારબાદ હોળીનો તહેવાર ગયો હોવાથી તે પોતાના પરિવાર સાથે હોળી મનાવવા માટે પેટલાવડ ગઈ અને ત્યાંથી તે થોડા દિવસ પહેલા જ હોળી મનાવીને પરત આવી હતી અને ત્યારબાદ તે પોતાની ડ્યુટી ખૂબ જ સારી રીતે કરી રહી હતી. તે દરરોજ સવારના સમયે પોતાની નોકરીએ જતી રહેતી હતી.
અને સાંજે 5:30 વાગ્યે પરત આવતી હતી. તે રસ્તામાંથી દૂધ લઈને ઘરે આવતી હતી. જેના કારણે એક દિવસ પણ તે સવારે નોકરીએ ગઈ અને સાંજે તે દૂધ લઈને પોતાના ઘરે આવી હતી. ત્યારબાદ તેણે રસોડા પર એક વાસણમાં દૂધને ખાલી કર્યું હતું. ત્યારબાદ થોડો સમય પછી નિશાના પરિવારના લોકોએ નિશાને ફોન કર્યો હતો.
પરંતુ નિશા ફોન ઉપાડી રહી ન હતી અને તેમના ઘરનો પણ દરવાજો બંધ કરીને તે ઘરમાં જ હતી. પરિવારજનોને ખૂબ જ ચિંતા થઈ રહી હતી. જેના કારણે નિશાની પાડોશમાં તેમના જ પરિવારના બીજા સંબંધીઓ રહેતા હતા. તેને પરિવારના લોકોએ ફોન કરીને નિશા સાથે વાત કરાવવા કહ્યું હતું.
જેના કારણે સંબંધીઓ નિશાના ઘરે પહોંચ્યા અને તેઓએ નિશાના ઘરનો દરવાજો ખખડાવ્યો હતો પરંતુ નિશાળ દરવાજો ખોલ્યો નહીં જેના કારણે સંબંધી હોય તેમના પાડોશીને બોલાવ્યા હતા. દરેક લોકો દરવાજાને ખખડાવી રહ્યા હતા પરંતુ નિશા દરવાજો ખોલ્યો નહીં ઘણો સમય સુધી દરવાજો ન ખોલ્યો.
નિશાના મકાન માલિક મયંક રાઠોડએ પથ્થર વડે નિશાનના રૂમની બારીનો કાચ તોડી નાખ્યો હતો. દરેક લોકોએ બારીમાંથી નિશાની રૂમમાં જોયું તો જોતાની સાથે જ પાડોશીઓ દૂર ભાગવા લાગ્યા હતા અને દરેક લોકો ગભરાઈ ગયા હતા. પાડોશીના લોકો ચીસ પાડી બેઠા હતા. દરેક લોકોએ જોયું તો નિશા લટકતી હાલતમાં જોવા મળી હતી.
તરત જ પોલીસને જાણ કરવામાં આવી અને આજુબાજુના પાડોશીઓના લોકોએ બારીના કાચ તોડીને અંદર જઈને દરવાજો ખોલી નાખ્યો હતો. ત્યારબાદ નિશાના પરિવારના લોકોને આ વાતની જાણ કરવામાં આવી હતી. જેના કારણે પરિવારના લોકો પેટલાવડથી ઝાબુઆ આવવા માટે નીકળી ગયા હતા.
પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને નિશાના રૂમની તપાસ કરી હતી. તે સમયે કોઈ પણ અન્ય અંતિમ નોટ મળી ન હતી પરંતુ એક ડાયરીના છેલ્લા પાના પર એક અંતિમ નોટ લખેલી હોય તેવું મળી આવ્યું હતું તેમને વાંચતા લાગ પોલીસેએ જણાવ્યું હતું કે, ‘નિશાએ પોતાની જિંદગીથી કંટાળી ગઈ હોવાનું લખ્યું હતું’.
નિશાની લખ્યું હતું કે, ‘હું દેખાવમાં સારી નથી, જે હું જે કરું છું તે ખોટું થાય છે, જેના કારણે હું ખૂબ જ પરેશાન થઈ રહી છું, જીવનમાં મને કંઈ સારું લાગતું નથી અને થોડા સમયથી મને મારો જીવ ગુમાવી દેવાની ઈચ્છા થઈ રહી હતી, સામેથી વાહન આવતા વાહન સાથે મારું વાહન અથડાવી દેવાની ઈચ્છા થતી હતી’…
અને જ્યારે હું રૂમમાં રહું ત્યારે સીલીંગ ફેન જોઈને મને તેના પર આપઘાત કરવાનું મન થાય છે, મારા માતા-પિતાએ ખૂબ જ મહેનત કરીને મને ભણાવી છે, જેનું ઋણ હું ચૂકવી શકું તેમ નથી, જેને હું હંમેશા માતા પિતાનું જ વિચાર કરું છું, પરંતુ હું ખૂબ જ કંટાળી ગઈ હોવાને કારણે મારો જીવ ગુમાવી રહી છું’..
આટલું લખીને તેણે અંતિમ નોટ પૂરી કરી હતી. પરિવારજનો નિશાના ઘરે પહોંચ્યા હતા. પરિવારના લોકો નિશાના મૃતદેહને જોઈને ઢળી પડ્યા હતા. પોલીસ આગળની કાર્યવાહી કરી રહી હતી. અચાનક પરિવારની દીકરીએ પોતાનો જીવ ગુમાવી દીધો જેના કારણે પરિવારમાં નિરાશાનું મોજું ફરી વળ્યું હતું.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]