જ્યારે પરિવારમાં દીકરાની વહુની એન્ટ્રી થાય છે. ત્યારે પરિવારના સૌ કોઈ સભ્ય ખૂબ જ ખુશ ખુશાલ બની જાય છે. અને વિચારવા લાગતા હોય છે કે, તેઓ તેમના દીકરાની વહુને ખૂબ જ લાડ પ્રેમથી રાખશે અને તેની દરેક ઈચ્છાઓ પૂરી કરશે. તેમના દીકરાને દીકરાની વહુ બંને રાજીખુશીથી જીવન ગુજારે તેવી દરેક માતા પિતાની ઈચ્છા હોય છે..
પરંતુ અત્યારે એક મા-બાપને પોતાના દીકરાના લગ્નની ખુશી લાંબો સમય સુધી માણવા મળી નથી. અને તેમના દીકરાના લગ્નના એક વર્ષ પૂર્ણ થાય એ પહેલાં તો તેમના દીકરાની વહુનું પાણી વાળ પણ આવી ચૂક્યું હતું. આ મામલો હરિયાણાના પાણીપત જિલ્લાનો છે. અહીં કોરાડ ગામમાં અંકિતકુમાર તેના પરિવાર સાથે રહે છે.
અંકિત કુમારના લગ્ન 11 મહિના પહેલા જ ઉત્તરપ્રદેશના ગુડાણા ગામની મીનાક્ષી નામની 21 વર્ષની મહિલા સાથે થયા હતા. અંકિત અને મીનાક્ષી એકબીજાને ખૂબ જ પ્રેમ કરવા લાગ્યા હતા. આ ઉપરાંત અંકિતના મા-બાપ પણ મીનાક્ષીને ખૂબ જ લાડ પ્રેમથી ઉછેરતા હતા. પરંતુ મીનાક્ષી છેલ્લા કેટલાક સમયથી ખૂબસૂમ બેસી રહેતી હતી..
એક દિવસ જ્યારે અંકિત તેના માતા પિતા સાથે ઘરની બહાર કોઈ પ્રસંગ માટે ગયો હતો. ત્યારે મીનાક્ષી ઘરે એકલી હતી અને તેણે પોતાના રૂમનો દરવાજો બંધ કરીને ચૂંટણી સાથે લટકીને આપઘાત કરી લીધો હતો. જ્યારે પરિવાર પરત ફર્યો ત્યારે જોયું તો તેમના ઘરનો દરવાજો કોઈપણ વ્યક્તિએ ખોલ્યો નહીં તેઓ વારંવાર દરવાજો ખટખટાવતા રહ્યા અને અંદરથી મીનાક્ષીનો અવાજ પણ ન આવતા..
અંતે અંકિત એ ઘરનો દરવાજો તોડી નાખ્યો હતો અને ઘરની અંદર પ્રવેશતાની સાથે જ પલંગ ઉપર જોયું તો ત્યાં મીનાક્ષીના પગ દેખાઈ આવ્યા અને ઉપર છત સાથે મીનાક્ષી લટકતી હાલતમાં મળી આવતા જ અંકિત ત્યાંને ત્યાં નીચે બેસી ગયો હતો. અંકિતના માતા પિતા પણ વિચારમાં મુકાઈ ગયા કે, આખરે મીનાક્ષીને એવું તો શું દુખ આવી પડ્યું કે તેને આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું છે..
જ્યારે આ ઘટનાની જાણકારી આસપાસના પડોશીવીએ પોલીસને પણ આપી હતી. પોલીસ તાબડતો ઘટના સ્થળે પહોંચી ગઈ અને આગળની તપાસ શરૂ કરી દીધી હતી. તેમાં મોતનું કારણ પૂછવા માટે તેઓએ પરિવારજનોના નિવેદનો નોંધ્યા હતા. જેમાં પરિવારજનોએ જણાવ્યું હતું કે મીનાક્ષી છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ ગુમસુમ બેસી રહેતી હતી..
અને તેને કોઈ મગજની બીમારી હોય તેવું લાગતું હતું. જ્યારે પણ તેઓ મીનાક્ષીને દવાખાને જવા માટે કહેતા હતા. ત્યારે મીનાક્ષી કોઈને કોઈ બહાનું કાઢીને દવાખાને જવાનું ના પાડતી હતી. આ સાથે સાથે તેમની રૂમમાંથી કોઈ પણ પ્રકારની અંતિમ ચિઠ્ઠી પણ મળી આવી નથી. મીનાક્ષી એ શા માટે આપઘાત કરી લીધો છે, તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
પરંતુ આગળની તપાસની અંદર આ કારણ જરૂર જાણવા મળશે તેવી સૌ કોઈ લોકોને આશા છે. જ્યારે મીનાક્ષીના માતા-પિતાને જાણકારી મળી કે, તેમની લાડકી દીકરી એ સાસરીયા આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું છે. ત્યારે તેઓના પણ હોશ ઉડી ગયા હતા તેમના ઘરમાં પણ મોતનો માતમ ખોવાઈ ગયો અને રોકકળ પણ મચી ગઈ હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]