લગ્ન એક વર્ષ પવિત્ર વસ્તુ ગણાય છે કારણ કે પતિ-પત્ની લગ્નજીવનમાં જોડાઈ જ્યારે તેઓ એકબીજાની જન્મો જનમ સાથે રહેવાના વચન આપતા હોય છે. પતિ અને પત્ની બન્ને સમજદાર હોય તો તેઓના જીવનમાં ક્યારેય મોટી મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. કારણ કે એકબીજાને આવી પડેલું દુઃખ માં એકબીજા સાથીદાર બને છે..
અને બંને સાથે મળીને મુશ્કેલીને દૂર કરવાનો ઉપાય શોધી નાખતા હોય છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી આપણે જોઈએ છીએ કે લગ્ન સંબંધ તૂટવાના પ્રમાણ દિન-પ્રતિદિન વધવા લાગ્યા છે. અથવા ઘરેલુ કંકાસ માં પતિ-પત્ની બંનેમાંથી કોઈએ કામ કરવાના પગલાં ભરવા લાગ્યા છે.. અત્યારે રાજસ્થાનના ઇટાવામાંથી ચોંકાવી દે તેવો બનાવ સામે આવ્યો છે.
ઇટાવામાં કુલદીપ નામનો યુવક રહે છે. તેની પત્ની તેને છોડીને જતી રહી હતી. ત્યારબાદ તેણે પિસ્તાબાઈ નામની બીજી મહિલા સાથે લગ્ન કર્યા હતા. તો બીજી બાજુ પિસ્તાબાઈને પણ તેના પતિએ છૂટાછેડા આપી દીધા હતા. એટલા માટે તેણે પણ કુલદીપ સાથે બીજી વાર લગ્ન કર્યા હતા. લગ્ન થતાની સાથે જ બંનેનું જીવન ખૂબ જ સુખીમય રીતે પસાર થતું હતું..
એકબીજાને બંને ખૂબ જ પસંદ કરવા લાગ્યા હતા. અને બંનેની રહેણીકરણી પણ ઘણી ખરી મિલતી ઝૂલતી આવતી હતી. પરંતુ એક દિવસ કુલદીપે પિસ્તાબાઈના પિતાને ફોન કરીને જણાવ્યું હતું કે તમારી દીકરી આપઘાત કરી લીધો છે. તમે મહેરબાની કરીને તેની લાશને લઈ જાઓ. આ સમાચાર જ્યારે પિસ્તાબાઈના પિતા એ સાંભળ્યા ત્યારે તેઓના હોશ ઉડી ગયા હતા..
તેમજ પગ નીચેથી જમીન ખસી ગઈ હતી અને વિચારવા પર મજબૂર બન્યા હતા કે તેમની દિકરી ખુબ ગ્રેજ્યુએટ અને સારી સમજવાળી છે. એટલા માટે તે આ પ્રકારનું પગલું ક્યારેય ભરશે નહીં. પોતાની દીકરી પર એટલો બધો વિશ્વાસ હતો કે, પિસ્તાબાઈના પિતાએ નક્કી કરી લીધું હતું કે, તેમની દીકરી આત્મહત્યા નહીં પરંતુ તેની હત્યા કરવામાં આવી છે..
અને હત્યા કરનાર અન્ય કોઈ વ્યક્તિ નહીં પરંતુ તેના ઘરના કોઈ સભ્યોમાંથી એક હશે. એટલા માટે પિતા બન્નેના પિતા આ બાબતની જાણ પોલીસને કરી હતી. પોલીસે જ્યારે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું ત્યારે દેખાયું કે પિસ્તાબાઈ ના ગળા પર દોરડાની સાથે સાથે ઈજાના પણ નિશાનો મળી આવ્યા હતા..
એટલા માટે પોલીસને શંકા ગઈ હતી કે પીસ્તાબાઈની આત્મહત્યા નથી પરંતુ હત્યા કરવામાં આવી છે. તેણે ઘરના તમામ સભ્યો ને વારાફરતી પૂછતા જ કરવાની શરૂ કરી હતી. જેમાં પિસ્તાબાઈના પતિ કુલદીપ ભાંગી પડયો હતો. અને તેણે કરેલા તમામ ગુનાઓ પોલીસ સમક્ષ કબૂલી લીધા હતા..
તેણે જણાવ્યું કે શરૂઆતમાં તો તેમનું લગ્નજીવન ખૂબ સરસ ચાલતું હતું. પરંતુ જ્યારે લગ્ન થયા ત્યારે પીસ્તાબાઈને તેઓએ જે ઘરેણા આપ્યા હતા તે તમામ ઘરેણા પિતા પોતાના પિતાના ઘરે મૂકી આવી હતી. આ વાતને લઈને અવારનવાર બંને વચ્ચે ઝઘડાઓ થતા હતા. કુલદીપ ઈચ્છતો હતો કે તે બધા ઘરેણાં તેને પરત આપી દે..
પરંતુ પિસ્તાબાઈએ આમ કરવાની ના પાડી હતી. અથવા તો એક દિવસ આ બાબતને લઈને બંને વચ્ચેની તકરાર ખૂબ વધી ગઈ હતી. જોતજોતામાં કુલદીપ એટલો બધો ગુસ્સે ભરાઈ ગયો હતો કે તેણે તેની પત્નીનું ગળું દબાવી લીધું હતું. થોડીક જ મિનિટની અંદર પીસ્તાબાઈનું મૃત્યુ થયું હતું..
આ બનાવ બન્યા બાદ કુલદીપ પણ ડરી ગયો હતો. પરંતુ તેણે પોતાના માથેથી આ તમામ પાપ ને ધકેલી દઈને પીસ્તાબાઈના પિતાને ફોન કરીને જણાવ્યું હતું કે તેમની દીકરી આત્મહત્યા કરી લીધી છે. પરંતુ હકીકત જુદી જ હતી. માત્ર ઘરેણાની બાબતને લઈને કુલદીપે તેની પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી છે..
હજુ આ બાબતની જાણ કુલદીપના પરિવારજનોને થઈ નથી. જ્યારે તેમને માલુમ પડશે કે તેમના દીકરાએ તેમની પુત્રવધૂની હત્યા કરી નાખી છે. જ્યારે તેઓને મનમાંથી કુલદીપ હમેશા હમેશા માટે નીચે પડી જશે. બીજી બાજુ પિસ્તા ભાઈના પિતાને તેના જમાઇ સામે હત્યા કરવાનો મામલો પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવ્યો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]