રોજબરોજ એવી ઘણી બધી ઘટના જાહેર થાય છે કે, જેમાં વ્યક્તિના લગ્ન જીવન તૂટી જતા હોય છે. આ લગ્નજીવન ભંગાણ થવા પાછળ પતિ પત્ની કે સાસરિયાના લોકો જવાબદાર હોય છે. અત્યારે એક પરિવાર ઉભા રોડે ચડી ગયો છે, કારણ કે પરિવારના દીકરાની વહુ લગ્નના ત્રણ વર્ષ બાદ તેની દોઢ વર્ષની લાડકી દીકરીને સાસરીએ છોડીને જ પોતાની ચાલી ગઈ હતી..
આ ઘટના રાજસ્થાનના પાલી પાસે આવેલા બલાના ગામમાં રહેતા મોહનલાલ નામના યુવક સાથે બની છે. 40 વર્ષના મોહનલાલ લુહારના લગ્ન 2019માં તખતગઢની લતા નામની યુવતી સાથે થયા હતા. લગ્ન બાદ તેમને એક દીકરીનો પણ જન્મ થયો હતો. લતા તેના પતિને કહેતી કે તેને રૂપિયા અને સોના ચાંદીના દાગીના જોઈએ છે..
તેનો ભાઈ બેરોજગાર હોવાને કારણે તેનું કામકાજ શરૂ કરવા માટે સાસરીયામાં કબાટમાં મુકેલા ત્રણ થી ચાર લાખ રૂપિયા પણ તે ચોરીછુપી રીતે તેના ભાઈને આપી દીધા હતા. જેની જાણકારી મોહનલાલને થઈ ત્યારે જાણે તેની પત્નીને ખખડાવી નાખી હતી. આ ઉપરાંત ત્યારબાદ પણ ઘરમાં મુકેલા બે લાખ રૂપિયા તેણે પિયરમાં જઈને તેના પિતાને સોંપી દીધા હતા..
તે અવાર નવાર સાસરીયા થી પૈસા લઈને તેના પીયરે પહોંચાડવા લાગી હતી. સાસરીઓના લોકોને સમજાવતા કે, તું આવી રીતે દર વખતે રૂપિયા તારા પિયર ને લઈને જશે તો આપણે કેવી રીતે જીવન જીવીશું..? પરંતુ તેને કોઈપણ વ્યક્તિનો વિચાર કર્યો નહીં અને પોતાના જ પિયર ને સુખ આપવા માટે મહેનત ચાલુ રાખી હતી..
પૈસા અને સોના ચાંદીના દાગીના તેના પિયરે લઈ જવા લાગી હતી. જ્યારે પરિવારજનોએ તેને ઠપકો આપ્યો ત્યારે તે તેની દોઢ વર્ષની દીકરીને મૂકીને ઘરમાં રહેલા તમામ રોકડ રૂપિયા અને સોના ચાંદીના દાગીના લઈને તેના જતી રહી હતી અને હવે તે તેના સાસરી આવવાની મનાઈ કરી રહી છે..
સાસરીયા વાળા લોકોનું કહેવું છે કે, તમારી પાસે બે વિકલ્પ છે, અથવા તમે હતા ને મોકલી આપો અથવા તો લતાએ અત્યાર સુધીમાં મોકલેલી તમામ સંપત્તિ અને સોના ચાંદીના દાગીના પરત આપી દો પરંતુ લતાના માતા-પિતા આ બંનેમાંથી કોઈ પણ શરતને માનવા માટે તૈયાર નથી..
એટલા માટે પરિવારજનોએ પોલીસ સ્ટેશન એ હાજર થઈ ફરિયાદ નોંધાવી છે કે, લતાના પરિવારજનો તેમની સાથે ચેતરપિંડી કરી છે. સોના ચાંદીના દાગીનાની સાથે સાથે ઘણા બધા રોકડ રૂપિયા અપાયો છેતરપિંડી કરીને તે જતી રહી છે. તેની દોઢ વર્ષની દીકરી તેની માતાને મળવા માટે ખૂબ જ છે. પરંતુ હવે તેની માતા તેના સાસરીયા આવવા માટે તૈયાર નથી..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]