સમાજમાં હજુ પણ ઘણા બધા લોકો નીચી વિચારસરણીમાં જીવી રહ્યા છે તેઓ મહિલાઓ સાથે અત્યાચાર કરી રહ્યા છે અને પરિવારની મહિલાઓને હેરાન કરી રહ્યા છે અવારનવાર જેને કારણે મહિલાઓ પોતાના જીવ ગુમાવી રહી છે. આવી ઘણી બધી ઘટનાઓ બને છે અને હાલમાં પણ આવી જ ઘટના સામે આવી હતી.
આ ઘટના ખૂબ જ કરુણ બની હતી. નવાદા જિલ્લાના પાકી બરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા પરિવારની મહિલાએ ખૂબ જ જીવલેણ ઘટના કરી નાખી હતી. ઉસરી ગામમાં પરિવાર રહેતું હતું. પરિવારમાં પતિ-પત્ની અને મહિલાના સાસુ-સસરા રહેતા હતા. મહિલાનું નામ કાજલ કુમારી હતું અને તેના પિતાનું નામ કૃષ્ણ કનૈયા કાંત હતું.
કાજલ કુમારીના લગ્ન ઘણા સમય પહેલા ઉસરી ગામના યુવક સાથે પિતાએ કરાવ્યા હતા. યુવકનું નામ ચંદન કુમાર હતું. કાજલ કુમારીના લગ્ન ચંદન કુમાર સાથે ખૂબ જ ધૂમધામથી કરાવ્યા હતા. ત્યારબાદ કાજલ કુમારી તેમના સાસરીયાઓ સાથે ઉસરી ગામમાં રહેતી હતી. પરંતુ લગ્નના 2 મહિના પછી કાજલ કુમારીને ખૂબ જ તેની સાસુ દ્વારા હેરાન કરવામાં આવતી હતી.
સાસુ અવારનવાર કાજલ કુમારી પર મેણાટોળા મારતી હતી અને તેને હેરાન કરતી હતી. માનસિક ત્રાસને કારણે કાજલ કુમારી ખૂબ જ કંટાળી ગઈ હતી. કાજલ કુમારીની રૂમમાં સાસુ અવારનવાર બધી વસ્તુઓ ચેક કરતી હતી. એક દિવસ કાજલ કુમારીની સાસુએ ઝેરી ગોળીઓ ખરીદીને કાજલ કુમારીના રૂમમાં મૂકી દીધી હતી.
ત્યારબાદ થોડા દિવસ પછી કાજલ કુમારી અને તેના પતિ ચંદન કુમારને તેના માસીના ઘરે લગ્નમાં જવાનું હતું જેને કારણે કાજલ કુમારીને તૈયાર થવા કહ્યું હતું ત્યારે પણ કાજલ કુમારી અને તેમની સાસુ વચ્ચે ઝઘડો થયો ઝઘડો ખૂબ જ વધી ગયો જેના કારણે ગુસ્સામાં કાજલ કુમારી તેમના રૂમમાં ગઈ હતી અને રૂમમાં મૂકેલી ઝેરી ગોળીઓ ખાઈ લીધી હતી.
ત્યારબાદ તેમણે રૂમ બંધ કરી દીધી હતી જેના કારણે કોઈ ઘરનું વ્યક્તિ અંદર આવી શક્યું નહીં. ચંદન કુમારે વારંવાર દરવાજો ખડખડાવ્યો હતો પરંતુ જ કાજલ કુમારે દરવાજો ન ખોલતા દરવાજાને તોડીને ચંદન કુમાર અંદર ગયો હતો અને તેમણે જોયું તો તેમની પત્ની બેડ ઉપર એમ જ ઢળી પડી હતી. ત્યારબાદ તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
પરંતુ ડોક્ટરે કાજલ કુમારીને મૃત જાહેર કરી હતી. જેને કારણે કાજલ કુમારીના પિયરના લોકોને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. કાજલ કુમારીએ અવારનવાર તેની સાસુનો ત્રાસની વાત તેના પિતાને જણાવી હતી જેના કારણે કાજલ કુમારીના પિતા કૃષ્ણ કાન્તે પોલીસ સ્ટેશનમાં કાજલ કુમારી ના મૃત્યુનો આરોપ તેની સાસુ પર લગાવ્યો હતો.
અને ફરિયાદ નોંધાવી હતી જેના કારણે પોલીસ ઘટના સ્થળે આવી હતી અને કાજલ કુમારીના સાસુની તપાસ ચાલુ કરી હતી અને તેમની પૂછપરછ પોલીસ કરી રહ્યા હતા આજકાલ લોકો આવી ઘટનાઓ ખૂબ જ કરી રહ્યા છે. અવારનવાર ત્રાસને કારણે લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. કંટાળીને આવી ઘટનાઓ કરી નાખતા તેમના પરિવારજનોને ઘણી બધી મુશ્કેલીઓ થઈ રહી છે
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]