જીવનમાં સુખ અને દુઃખની ઘડી તો દરેક વ્યક્તિઓ સાથે ચાલતી રહેતી હોય છે, કેટલાક સમય ઉપરા ઉપરી સુખની ઘડીઓ પસાર થતી હોય તો કોઈ વખત અચાનક જ કોઈ મોટી આફત પણ ત્રાટકી પડે છે, પરંતુ સુખ અને દુઃખની આવી બધી બાબતોમાં જો શાંતિથી જિંદગી જીવવામાં આવે તો ક્યારેય કોઈ વાંધો આવતો નથી..
પરંતુ કેટલાક લોકો સુખમાં વધારે પડતા હાવી બની જતા હોય છે, અને દુઃખની ઘડીઓમાં સહન શક્તિ ભુલાવી દઈને મગજ ઉપરથી કાબુ પણ ગુમાવી દેતા હોય છે, અત્યારે એક વ્યક્તિએ એવડું મોટું પગલું ભરી લીધું કે દરેક લોકો જોતાને જોતા જ રહી ગયા હતા. આ ઘટના ઇન્દોરના પરદેશી પુરાની છે..
અહીં 45 વર્ષનો રાજુ મોહલિયા નામનો યુવકો પ્રિન્ટિંગ પ્રેસમાં કામકાજ કરે છે, તેના લગ્ન થયા તેના 18 વર્ષ વીતી ચુક્યા છે, છેલ્લા ૧૮ વર્ષથી તેની પત્ની અન્નપૂર્ણા કોઈ બાળકને જન્મ આપી શકી નથી અને આ પતિ પત્નીને સંતાન ન જન્મવાને કારણે બંને વચ્ચે વારંવાર લડાઈ ઝઘડો પણ થઈ જતો હતો..
આ લડાઈ ઝઘડો એક દિવસ એટલો બધો આગળ વધી ગયો કે તેમાં એક વ્યક્તિનો જીવ પણ ચાલ્યો ગયો હતો, આ બધી બાબતોને લઈને કરવામાં હંમેશા લડાઈ ઝઘડો ચાલતો હતો અને એક દિવસ રાજુની પત્ની અન્નપૂર્ણા તેનું સાસરું મૂકીને પિયરે રહેવા માટે ચાલી ગઈ હતી, જ્યારથી અન્નપૂર્ણા ચાલી ગઈ ત્યારથી જ કેટલાક લોકો રાજુને મહેણા ટોણા મારવા લાગ્યા હતા કે, તું તારી પત્નીને સંભાળી શકતો નથી..
અને એક બાળકને જન્મ પણ આપી શકવામાં મદદ કરતો નથી. તમે આ જિંદગીમાં રહેવાનો કોઈ પણ અધિકાર નથી, આ ઘટનાને લઈને રાજુને ખૂબ જ ઊંડા આઘાતમાં ચાલ્યો ગયો, જેને ઘણી બધી વાર તેની પત્નીને સાથે પરત આવી જવા માટે પણ કહ્યું હતું, પરંતુ અન્નપૂર્ણાએ પણ મારે પરત આવવાનું નામ લીધું નહીં અને હંમેશા હંમેશા માટે તે પિયરમાં જ રહેશે તેવું જણાવી દીધું હતું..
ત્યારબાદ તો રાજુ ખૂબ જ ઊંડા આઘાતમાં ચાલ્યો ગયો અને એક દિવસ જ્યારે ઘરે કોઈ વ્યક્તિ હાજર રહેતું નથી. ત્યારે તેને રૂમનો દરવાજો બંધ કરીને લટકીને આપઘાત કરી લીધો હતો, જ્યારે પરિવારના અન્ય સભ્યો ઘરે પરત આવ્યા અને ત્યારે રાજુના નાના ભાઈનો દીકરો રૂમની બારી પાસે આવ્યો અને ત્યારે તેણે તેના મોટા પપ્પાને લટકતા જોયા હતા..
તરત જ પરિવારના અન્ય સભ્યોને જણાવ્યું કે, મોટા પપ્પા લટકી રહ્યા છે. તાત્કાલિક ધોરણે રૂમનો દરવાજો તોડી નાખવામાં આવ્યો અને રાજુને નીચે ઉતારવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં તો ખૂબ જ મોડું થઈ ગયું હતું અને રાજુના પ્રાણ પણ છૂટી ગયા હતા. આ ઘટનાને લઈને આસપાસના પડોશીઓ પણ રાજુના ઘરે હાજર થઈ ગયા હતા..
તેમજ પોલીસને પણ માહિતી પહોંચાડવામાં આવી કે, રાજુએ આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું છે, બીજી બાજુ જ્યારે અન્નપૂર્ણા સુધી આ માહિતી પહોંચી ત્યારે તેને પણ આ વાતનો કોઈ પણ અફસોસ થતું નથી અને તે પોતાની જિંદગી જીવતી રહી હતી, તેને રાજુના મૃત્યુના સમાચારને લઈને કોઈ પણ દુઃખની પણ લાગણી દેખાઈ આવી નહીં. રાજુની રૂમમાંથી કોઈ પણ પ્રકારની અંતિમ નોટ પણ મળી આવી નથી આ બાબતને લઈને પોલીસની ટીમો તપાસ ચલાવી રહી છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]