કહેવાય છે કે મોત ક્યારે ઉડીને માથે બેસી જાય તેનું નક્કી હોતું નથી. અત્યારે આપણે હસ્તી ખેલતી જિંદગી જીવતા હોય અને શું ખબર મોત આવતી મિનિટે માંડયુ હોય તો આવતી મિનિટે પણ જીવ જતો રહે છે અને આપણે કશું કરી શકતા નથી, અત્યારે એક 26 વર્ષની મહિલાનું એવી રીતે મૃત્યુ થયું છે કે, તેની મૃત્યુની આ ઘટનાને કોઈપણ વ્યક્તિ સહન કરી શક્યું નથી…
આ બનાવ કર્ણાટકનો છે. અહીં કોલાર શહેરની અંદર 26 વર્ષની ચૈત્રા નામની યુવતીના લગ્ન પ્રસંગનો કાર્યક્રમ યોજાયો હતો, તેના લગ્ન થઈ ગયા બાદ લગ્નના બીજા દિવસે એક પાર્ટી પ્લોટની અંદર ખૂબ જ મોટું રિસેપ્શન પણ ગોઠવવામાં આવ્યું હતું. આ રિસેપ્શનની અંદર બંને પક્ષના સગા વહાલા તેમજ અન્ય મહેમાનો પણ ઉપસ્થિત હતા..
ચૈત્રા નામની યુવતી તેના પતિ સાથે સ્ટેજ ઉપર મહેમાનોને મળવા માટે ઉભી હતી. ત્યારે અચાનક જ તે ચકકર ખાઈને નીચે ઢળી પડી હતી. અને તેનો શ્વાસ અટકી ગયો હતો. નીચે ઢળી પડતાની સાથે જ તેના પરિવારજનોએ તેને પાણી પીવડાવવાની કોશિશ કરી હતી. પરંતુ ચૈત્રાએ આંખો મીંચી દીધી હતી..
જ્યારે તેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં લઈ જવામાં આવી અને ડોક્ટરે જણાવ્યું કે ચૈત્રાનું બ્રેઈન ડેડ થઈ જવાને કારણે મૃત્યુ થયું છે. લગ્નના રિસેપ્શનમાં જ ચૈત્રા સાથે આ ઘટના બની જતા રિસેપ્શનનો આ ખુશી ભર્યો પ્રસંગ મોતના માતમ છવાઈ ગયો હતો. ડોક્ટરે ચૈત્રાને બ્રેઈન ડેડ સાબિત કરી દેતા તેના પરિવારજનો એ હવે વિચાર્યું કે ચૈત્રા તેમની વચ્ચે હાજર રહી નથી..
હવે તેઓ ચૈત્રા સાથે ક્યારેય પણ બોલી શકશે નહીં અને તેની સાથે જિંદગી જીવી શકશે નહીં, પરંતુ ચૈત્રાની મદદથી અન્ય વ્યક્તિઓના જીવ બચી જાય એટલા માટે તેના દરેક અંગોને દાન કરી દેવા માટે ડોક્ટરને જણાવી દીધું હતું. ડોક્ટરે તરત જ અન્ય અધિકારીઓ તેમજ ડોક્ટરની ટીમોને બોલાવી લીધી હતી..
અને તેના દરેક અંગને દાન કરીને જે વ્યક્તિને જરૂરિયાત હોય તેવા વ્યક્તિઓને આ અંગ આપી તેમને નવી જિંદગી પૂરી પાડવા માટે ચૈત્રા મદદરૂપ બની હતી. તેના પરિવારજનોના આ અંતિમ ફેસલાથી આખો સમાજ અત્યારે તેમના ભરપેટ વખાણ કરી રહ્યો છે કે, ચૈત્રાનું આકસ્મિક રીતે મૃત્યુ તો થઈ ગયું પરંતુ તે જતા જતા અન્ય કેટલાય લોકોને નવી જિંદગી આપતી ગઈ છે..
જે આપણા અને અન્ય સમાજ માટે પણ ખૂબ જ મોટી બાબત છે. આ પ્રેરણાદાય કિસ્સાને લઈ સૌ કોઈ લોકો વખાણ કરી રહ્યા છે. તો બીજી બાજુ પરિવારજનોને પણ આ બાબતની ખૂબ જ ખુશી છે કે, તેઓએ ચૈત્રાના દરેક અંગને દાન કરીને અન્ય લોકોને નવી જિંદગી પૂરી પાડી છે. પરંતુ ચૈત્રાના માતા પિતા માટે ચૈત્રાના મૃત્યુના સમાચાર સહન થઈ શક્યા નથી..
તેઓ હાલ મોતના ઊંડા માતમની અંદર છવાઈ ગયા છે. ચૈત્રાના પતિ માટે પણ આ દુઃખદ ઘડી ખૂબ જ મુશ્કેલ સાબિત થઈ ગઈ છે. કારણ કે જે વ્યક્તિની સાથે તે છેલ્લા કેટલાક વર્ષોથી જોડાયેલો હોય તેમજ તેમના દરેક વિચારોની આપ લે થઈ હોય અને લગ્ન પણ કરી લીધા હોય અને તે જ વ્યક્તિ લગ્નના બીજા જ દિવસે તેની જિંદગી માંથી જતું રહેતું દુઃખની આ ઘડી તેના માટે પણ સહન કરી ખૂબ જ મુશ્કેલ સાબિત થઈ જતી હોય છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]