Breaking News

“મારો પતિ તારા ધણી કરતા વધુ કમાઈ છે” કહીને દેરાણી જેઠાણીએ શરુ કરેલો ઝગડો નાના દીકરાનો જીવ લઈ બેઠો, બોલાચાલીમાં જ થયું એવું કે…

દરેક ઘરોમાં નાના મોટા ઝઘડાઓ તો થતા હોય છે. ઉપરાંત જે પરિવાર સંયુક્ત કુટુંબમાં રહે છે. તેમાં વધારે માત્રામાં ઝઘડાઓ દેખાય આવતા હોય છે. પરંતુ જે પરિવારો એકતાથી રેહતા હોય તે પરિવારને ક્યારેય કોઈપણ વ્યક્તિ કે મુસીબત તોડી શકતું નથી. આજકાલના સમયમાં પોતાનો સ્વાર્થ જોઈને લોકો એકબીજા સાથેનો સંબંધ ભુલાવી દે છે..

પછી તે સગા ભાઈઓ હોય તો પણ ભલે, અને સગા બાપ દીકરો હોય તો પણ ભલે, રોજબરોજ જુદી-જુદી જગ્યાએ ઘણી બધી ઘટનાઓ સામે આવતી હોય છે કે, જેમાં પારિવારિક મામલાઓમાં કોઈ વ્યક્તિનો જીવ પણ જતો રહેતો હોય છે. અત્યારે કંઈક આવા પ્રકારની જે ઘટના સામે આવી ગઈ છે..

આમાં ગૌરવ પાર્કની પાછળના ભાગે આવેલા આશુતોષ રો હાઉસનો છે. એક મકાનમાં બે સગા ભાઈઓ તેમના પરિવાર સાથે રહે છે. પરિવારમાં મોટો ભાઈ રસિકચંદ કાપડના વ્યવસાય સાથે જોડાયેલો છે. જ્યારે નાનો ભાઈ કિશનચંદ એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. રસિકચંદ દર મહિને ખૂબ જ વધારે રૂપિયા કમાતા હતા..

જ્યારે તેના નાના ભાઈ કીશનચંદ ખાનગી કંપનીમાં નોકરી કરતા હોવાથી તેમની કમાણી રસિક કરતા ઓછી હતી. પરંતુ આ બંને ભાઈઓમાં ક્યારેય કોઈપણ પ્રકારની દેખાદેખી ન હતી. પરંતુ બંને ભાઈઓની પત્નીઓ એકબીજા સાથે લડાઈ ઝઘડો કરવા લાગતી હતી. જ્યારે પણ કોઈ ચીજ વસ્તુ ખરીદવાની થાય ત્યારે લડાઈ ઝઘડો ઉત્પન્ન થઈ જતો હતો..

અવારનવાર જેઠાણી તેની દેરાણીને કહેતી હતી કે, મારો પતિ તારા ધણી કરતા વધુ કમાઈ છે. એટલા માટે હું સોના ચાંદીના દાગીના ખરીદી શકીશ. પરંતુ તું ક્યારેય પણ સોના ચાંદીના દાગીના નહીં ખરીદી શકે, જ્યાં સુધી તારો પતિ વધારે પૈસા કમાઈને નહીં લાવે ત્યાં સુધી તારે થોડી ઘણી અગવડતા ભોગવી પડશે..

બસ આ બાબતને લઈને વારંવાર બંને દેરાણી જેઠાણી વચ્ચે ઝઘડો થતો હતો. એક દિવસ આ ઝઘડો એટલો બધો આગળ પહોંચી ગયો કે બોલાચાલીની અંદર જ બંને વ્યક્તિ એકબીજાને ઢોર મારવા આવું ઉપર પણ ઉતરી આવ્યા હતા. તેઓએ એક પણ વાર તેમના પતિઓનો તેમજ તેમના વડીલ માતા પિતાનો વિચાર કર્યો નહીં અને બંને એકબીજાને છૂટા હાથની મારામારીથી ઢોર મારવા લાગ્યા હતા..

દેરાણી અને જેઠાણી ના બંને દીકરા દીકરીઓ આ તમાશો જોઈ રહ્યા હતા. બિચારા નાનકડા બાળકો આ દ્રશ્ય જોઈને ખૂબ જ ડરી ગયા હતા. આ બોલાચાલી આટલી બધી આગળ વધી ગઈ કે દેરાણીએ ગુસ્સામાં આવીને જેઠાણીના નાનકડા દીકરાને ઊંચકીને નીચે ફેંકી દીધો હતો અને આ દીકરાને માતાના ભાગે ફર્નિચરની ધાર વાગી જતા માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું..

છતાં પણ દેરાણીએ આ બાળકને શું થયું છે..? તેની જાણકારી મેળવવાને બદલે તે તેની જેઠાણી સાથે મારપીટ કરતી રહી અને આ દીકરા ને માથામાંથી વધુ પ્રમાણમાં લોહી નીકળી જવાને કારણે તેનું ત્યાં ને ત્યાં જ મૃત્યુ થઈ ગયું હતું. ઘરની અંદર થયેલો આ ઝઘડો લોહિયાળ બની ગયો અને તેમાં ઘરના જ એક કુળદીપકનું મૃત્યુ થઈ ગયું હતું.

જ્યારે સાંજના સમયે બંને ભાઈઓ પોતાના નોકરી ધંધેથી પરત આવ્યા ત્યારે તેઓએ તેમના દીકરાને હસતો ખેલતો જોવાને બદલે આ દીકરાની લાશ જોવાનો વારો આવ્યો હતો. જ્યારે આ બંને ભાઈઓ સુધી ઘટનાની સાચી જાણકારી પહોંચી કે ઘરની અંદર થયેલા નાના અમથા લડાઈ ઝઘડામાં મારપીટ પણ શરૂ થઈ ગઈ હતી..

અને આ માર્કેટની વચ્ચે નાનકડો દીકરાનો જીવ ચાલ્યો ગયો છે. ત્યારે બંને સગા ભાઈઓ ખૂબ જ ગુસ્સે ભરાયા હતા અને આ બંને મહિલાઓને પોતપોતાને મોકલી આપી હતી. ઘટનાની જાણકારી નજીકના પોલીસ સ્ટેશન સુધી પહોંચી જતા આ બાબતને લઈ કાયદેસરની કાર્યવાહીઓ પણ કરવામાં આવી રહ્યું છે.

રસિકભાઈની મોટી દીકરીએ પણ જણાવ્યું કે, તેની કાકી એ તેના સગા નાના ભાઈને મૂકીને નીચે ફેંકી દીધો હતો અને તેને માતાના ભાગે ફર્નિચરની ધાર વાગી ગઈ એટલા માટે તેનું મૃત્યુ થયું છે. આવી બધી ઘટનાઓ જ્યારે સમાજમાં સામે આવે છે. ત્યારે સૌ કોઈ લોકોના હોશ ઉડી જતા હોય છે..

હળી મળીને રહેવાને બદલે આજકાલના સંયુક્ત કુટુંબમાં લોકો એકબીજા પ્રત્યે અણગમો વ્યક્ત કરીને લડાઈ ઝઘડો કરવા લાગે છે. અને આ ઝઘડાનો અંત એવી રીતે આવે છે કે, આખી જિંદગી પર પછતાવું પડે છે. દરેક લોકોએ આ બનાવ પરથી શીખ લેવી જોઈએ અને નાની બાબતોને સહન કરીને હમેશા એકતાથી જીવન જીવવું જોઈએ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *