મોંઘવારીના સમયની અંદર મધ્યમ વર્ગીય પરિવારો માટે જીવન જીવવું દિન પ્રતિ દિન મુશ્કેલ બની રહ્યું છે, એવામાં પણ સમાજમાંથી એવા ઘણા બધા કિસ્સાઓ સામે આવતા હોય છે, જેમાં કોઈ પણ વ્યક્તિ હતશ થઇને કંટાળી ગયા બાદ એવું પગલું ભરી લે છે, જેના કારણે પરિવારના અન્ય સભ્યોને હંમેશા હંમેશા માટે દુઃખ સહન કરવાનો વારો આવી જતો હોય છે..
અત્યારે કંઈક આવું જ દુઃખ એક પરિવાર ઉપર આવી પડ્યું છે, આ ઘટનાને સાંભળ્યા બાદ દરેક લોકો હચમચી ઊઠ્યા છે, આ ઘટના વિમલ નગર માંથી સામે આવી છે, અહીં સુરેશ ભાઈ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે વસવાટ કરી રહ્યા છે. સુરેશભાઈના પરિવારમાં તેમની વડીલ માતા કમળાબેન તેમની પત્ની સુનીતાબેન તેમજ તેમના બે નાનકડા દીકરા નો સમાવેશ થતો હતો..
તેમનો મોટો દીકરો આઠ વર્ષનો છે, જ્યારે નાનો દીકરો પાંચ વર્ષનો છે. પરિવાર ખૂબ જ રાજી ખુશીથી જીવન જીવી રહ્યો હતો, છેલ્લા કેટલાક સમયથી સુરેશભાઈ તેમની પત્ની તેના સ્વભાવમાં સતત બદલાવો જોઈ રહ્યા હતા. સુરેશભાઈ હંમેશા માટે વિચારતા રહ્યા હતા કે, સુનીતા એવું તો શું થયું હશે કે અચાનક તેના સ્વભાવમાં આટલો બધો બદલાવ આવી ગયો છે..
ઘણી બધી વાર તે ચીજ વસ્તુ પણ ભૂલી જતી હતી અને ઘણી બધી વાર તે અતિશય ગુસ્સો પણ કરવા લાગતી હતી, જ્યારે આ ઘટના વિશે તેમને વધારે ચિંતાઓ થવા લાગી ત્યારે તેઓ સુનીતાને લઈને ડોક્ટર પાસે તપાસ માટે ગયા હતા, ત્યાં ડોક્ટરે જણાવ્યું હતું કે સુનીતાને મગજ ઉપરથી કાબુ ચાલ્યું ગયું છે..
ગમે ત્યારે તે ગમે તેવો સ્વભાવ વર્તન કરવા લાગે છે, સુરેશભાઈએ ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા અને તેઓ જે પૈસાની કમાણી કરતા તેમનાથી તેમના પરિવારનું જીવન ચાલતું હતું, જ્યારે તેઓ તેમની નોકરી હતી ઘરે પરત આવે ત્યારે સુનીતાને સંતુલન સ્થિતિથી બહાર જોતાની સાથે જ તેઓ હચમચી ઉઠતા હતા કે તેમનો રાજી ખુશીથી જીવન જીવતો પરિવાર માં એવી તો કઈ બીમારી આવી પડી હશે કે..
જેના કારણે સુનીતાનું મગજ સ્થિતિથી બહાર ચાલ્યું ગયું છે, સુનિતા એક દિવસ સાંજના સમયે તેના પતિને જણાવ્યું હતું કે મારે હવે જીવીને કશું કામ નથી, હું મારા રસ્તે જતી રહીશ જ્યાં જ્યાં સુધી તારા મોઢેથી સુરેશ આ શબ્દો સાંભળ્યા ત્યારે તેનાથી પણ આ શબ્દો સહન થયા નહીં, સુરેશ વિચારવા લાગ્યો હતો કે સુનીતા શા માટે આવું બોલી રહી છે..
સુરેશભાઈને તેમની પત્ની વધુ ચિંતા થવા લાગી હતી, કારણ કે માનસિક સ્થિતિ કાબુબા ન હોવાને કારણે તેમની પત્ની કયું પગલું ભરી લે તેનું નક્કી હોતું નથી, સાંજના સમયે સમગ્ર પરિવાર ભોજન લઈને સુઈ ગયો હતો. જ્યારે સવારના સમયે સુરેશભાઈ ઉઠ્યા અને તેઓએ જોયું તો તેમની પત્ની તેમની સાથે સુતેલી હતી નહીં..
તેઓએ તેમની પત્નીની શોધખોળ સમગ્ર ઘરમાં શરૂ કરી હતી અને ઘરના નીચેના માળે જોયું તો ત્યાં તેમની પત્ની જમીન ઉપર નીચે ઢળી પડેલી હતી અને તેના હાથમાં ઉંદર મારવાની દવાની બોટલ પણ મળી આવી હતી, આ દ્રશ્ય જોતાની સાથે જ સુરેશભાઈ સમજી ચૂક્યા હતા કે તેમની પત્નીએ ઉંદર મારવાની દવા પી લીધી છે..
અને આ દવા પિતાની સાથે જ અંદાજે પાંચ સેકન્ડની અંદર તેનું મૃત્યુ પણ થઈ ગયું હશે, તેના મોઢામાંથી સફેદ કલરના ફીણ બહાર નીકળી આવ્યા હતા, આ ઘટના જ્યારે બની ત્યારે સુરેશભાઈ બૂમ બરાડા કરવા લાગ્યા હતા, તેમની આ બુમો સાંભળીને તેમના બંને નાનકડા દીકરા તેમજ તેમની વડીલ માતા પણ જાગી ગયા હતા..
એટલું જ નહીં પરંતુ તેમના પડોશમાં રહેતા લોકો પણ સુરેશભાઈના ઘરે આવી પહોંચ્યા અને શું થયું છે, તેની જાણકારી મેળવવા લાગ્યા હતા. ત્યારબાદ સુરેશ ઘટનાના સમાચાર નજીકના પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચાડ્યા હતા કે, તેમની પત્નીએ ઝેરી દવા પીઈને આપઘાત કરી લીધો છે..
પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ શરૂ કરી હતી, આ ઘટનામાં કયા કારણો જોડાયેલા છે. તેની પોલીસ માહિતી મેળવી રહી છે, પ્રાથમિક તપાસમાં તો સુનીતાનુ માનસિક સંતુલન બરાબર ન હોવાને કારણે તેણે આ પગલું ભરી લીધું હતું, તેવું જણાવવામાં આવી રહ્યું છે. પરંતુ આ સિવાય પણ અન્ય કોઈ કારણો જોડાયેલા છે કે નહીં તેની વધુ માહિતી પોલીસ મેળવી રહી છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]