પરિવારમાં રહેતા દરેક સભ્યોનો વ્યવહાર તેમજ વાત કરવાની રીત સારી હોય તો ક્યારેય પણ લડાઈ ઝઘડા થતા નથી અને એકતાથી જીવન જીવીને પરિવાર એક સાથે રહેવાનો આનંદ માણે છે. પરંતુ જો પરિવારનો જ કોઈ સભ્ય અન્ય સભ્યોને હેરાનગતિ પહોંચાડતો હોય તો આ હેરાનગતિ વાળી જિંદગીની અંદર જીવવાની મજા આવતી નથી..
એમ વિચારીને એક પરણીત મહિલાએ પોતાના બે બાળકોને એકલા રેઢા મૂકીને આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટના સામે આવતાની સાથે જ ચારેકોર ચકચાર મચી જવા પામ્યો છે. આ ચોંકાવનારી ઘટના દાલડાના રંગીન વાડા વિસ્તારની છે. અહીં અસ્મિતાબેન નામની મહિલા તેના પતિ સુજલ ભાઈની સાથે રાજી ખુશીથી જીવન જીવતી હતી..
સુખી લગ્નજીવન દરમિયાન તેને બે બાળકોને જન્મ પણ આપ્યા હતા. જેમાંથી એક દીકરો ધોરણ ત્રણની અંદર અભ્યાસ કરી રહ્યો છે. જ્યારે એક દીકરો ધોરણ સાતની અંદર અભ્યાસ કરે છે. તેઓ સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. જેમાં તેના સસરા પણ તેમની સાથે જ રહેતા હતા તેમની સાસુનું આજથી છ વર્ષ પહેલા એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું હતું..
અસ્મિતાબેનના સસરા ધનરાજભાઈ અસ્મિતાબેનને ખૂબ જ વધારે હેરાનગતિ પહોંચાડતા હતા. અસ્મિતા બહેને તેના પતિ સુજલ ભાઈને આ ઘટનાની જાણકારી આપી હતી કે, તમારા પિતા મને હેરાન કરતી પહોંચાડી રહ્યા છે. જેની ઘણી ઘણી બાબતો હું સહન કરી રહી છું. ત્યારે સુજલ ભાઈએ જણાવ્યું હતું કે, મારા પિતા વડીલ છે..
એટલા માટે મારે તેમને કશું કહી શકાય નહીં. આ વડીલની માન મર્યાદા સાચવીને અસ્મિતાબેન બધું જ સહન કરતા રહ્યા પરંતુ એક દિવસ તેના સસરાએ તમામ સાદો વટાવી દીધી હતી અને અસ્મિતાબેનની સાથે ન કરવાના કારનામાં કરી નાખ્યા હતા. એક દિવસ જ્યારે બપોરના સમયે અસ્મિતાબેન પોતાના રસોડાની અંદર રસોઈ બનાવી રહ્યા હતા..
ત્યારે તેના સસરા તેની પાછળ પાછળ આવ્યા હતા અને પાછળથી અસ્મિતાબેનને બાથમાં ભીડીને ન કરવાના કારનામાં કરી નાખ્યા હતા. ઘરે અન્ય કોઈ વ્યક્તિ હાજર હતું નહીં એટલા માટે અસ્મિતાબેનને તેના સસરાની કરતો સહન કરવાનો વારો આવ્યો હતો. તેણે ઘણી બધી કોશિશ કરી પરંતુ તે તેના સસરાની જાળ માંથી છૂટી શકી નહીં..
બિચારા અસ્મિતા બહેન ઉપર કેવી આપવી હતી ગુજરી હશે એ વિચારતા જ તમામ લોકોના રુવાટા બેઠા થઈ ગયા છે. તેણે આ ઘટનાની જાણકારી અન્ય કોઈ વ્યક્તિને કહેવાને બદલે એક અંતિમ નોટ લખી નાખી હતી કે, જેમાં તેઓએ આ તમામ બાબતોનો ઉલ્લેખ કર્યો હતો આ ઉપરાંત તેમાં વધુમાં લખ્યું હતું કે, તેના નરાધમ સસરાએ તેની સાથે ન કરવાના કારનામા કરી નાખ્યા છે..
અને તેની સામે કોઈ વ્યક્તિ અવાજ ઉઠાવવા માટે તૈયાર થતું નહીં, એટલા માટે તેને જીવ ગુમાવી દેવો પડ્યો છે. કારણ કે તે આ અપમાન સહન કરી શકી નહીં તેના બંને બાળકોને સાચવવાની જવાબદારી તે તેના પતિના માથે મૂકીને ગઈ છે. આવા શબ્દો લખીને તેણે આપઘાત કરી લેતા ચારેકોર ચકચાર મચી ગયો છે..
આ નરાધમને કારણે આજે એક મહિલાનો જીવ ગયો છે. ઘટના આટલી બધી ચોંકાવનારી બની ગઈ કે, વધુ તપાસ માટે નજીકના પોલીસ સ્ટેશનમાં પણ જાણકારી આપી દેવામાં આવી હતી. અસ્મિતાબેનના માતા પિતા માટે તો દુઃખની આ ઘડી સહન કરવી મુશ્કેલી જ નહીં પરંતુ નામુમકીન સમાન બની ગઈ છે. તો તેમના બંને બાળકો હાલ માતા વગરના થયા છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]