વિદ્યાર્થીઓને તેના માતા-પિતા સારા અભ્યાસ માટે બીજા રાજ્યમાં કે શહેરોમાં મોકલી રહ્યા છે. માતા-પિતા બાળકોનું ખૂબ જ સારું ઘડતર કરે છે પરંતુ બાળકો તેમને માતા-પિતાના સપનાને પૂરા કર્યા વગર પોતાના જીવ ગુમાવી રહ્યા છે. આજના યુવક યુવતીઓ પોતાના જીવ લઈને ખૂબ જ કંટાળી રહ્યા છે. જેના કારણે બનતા કિસ્સાઓ ખૂબ સામે આવી રહ્યા છે.
આ ઘટના કોટાના કમલા નગર ઉધ્યાન વિસ્તારમાં આવેલી હોસ્ટેલમાં એક વિદ્યાર્થી રહેતો હતો. વિદ્યાર્થીનું નામ અભિષેક હતું. તેમની ઉંમર 17 વર્ષની હતી. અભિષેક યુપીના બદાઉનનો રહેવાસી હતો અને તે છેલ્લા બે વર્ષથી કોટામાં રહ્યો હતો અને ત્યાર પછી એલન કોચિંગ દ્વારા નીટની તૈયારી કરી રહ્યો હતો. અભિષેકના માતા પિતા બદાઉનમાં રહેતા હતા.
અભિષેક તેમના માતા-પિતાથી દૂર રહીને કોટામાં અભ્યાસ માટે આવ્યો હતો અને છેલ્લા આઠ મહિના પહેલા તેમણે કુણહડી વિસ્તારમાં આવેલી હોસ્ટેલમાં રહેવાનું વિચાર્યું હતું. તે હોસ્ટેલમાં શિફ્ટ થયો હતો. અભિષેકના પરિવારમાં માતા પિતા અને તેનાથી બે મોટા ભાઈઓ અને એક બહેન છે. તો અભિષેકના પિતા સરકારી નોકરી કરી રહ્યા છે.
અભિષેક હોસ્ટેલના બીજા મળી રહેતો હતો. હોસ્ટેલમાં 25 રૂમ છે. જેમાં દરેક વિદ્યાર્થીઓ રહેતા હતા. અભિષેકને હોસ્ટેલમાં પણ ખૂબ જ સારી એવા મિત્રો હતા. ઘણા દિવસોથી કોચિંગ ક્લાસમાં જતો નહોતો અને રૂમમાં જ ઓનલાઇન બેસીને અભ્યાસ કરતો હતો. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ અભિષેક સાથે ખૂબ જ સારું વર્તન કરતા હતા.
પરંતુ એક દિવસ અભિષેક જમવા માટે ગયો ન હતો. જેના કારણે હોસ્ટેલમાં ભોજન સપ્લાય કરતા રાજેન્દ્રભાઈ અભિષેકના રૂમ પાસે જઈને જોયું હતું. ત્યારે અભિષેકે દરવાજો ખુલ્યો નહીં અને હું જમવા નહીં આવું તેમ કહ્યું હતું. ત્યારબાદ બીજા દિવસે પણ હોસ્ટેલમાં ભોજન કરવા માટે અભિષેક ગયો નહિ. તેમના મિત્રોએ વારંવાર અભિષેકને ફોન કર્યા હતા.
અભિષેક પોતાની પાસે બે ફોન રાખતો હતો. જેમાં એક નંબર સ્વીચ ઓફ આવતો હતો અને બીજો નંબર પરથી કોલ કરવામાં આવ્યા હતા પરંતુ અભિષેક ફોન ઉપાડી રહ્યો ન હતો. જેના કારણે અભિષેકના મિત્રો તેમની રૂમ પાસે પહોંચ્યા હતા. ત્યારે અભિષેકે દરવાજો ખોલ્યો નહીં. જેના કારણે વિદ્યાર્થીઓએ હોસ્ટેલના માલિકને આ વાતની જાણ કરી હતી.
હોસ્ટેલના માલિક અભિષેકના રૂમ પાસે પહોંચ્યા હતા અને તેમણે દરવાજાઓ ખોલવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ અભિષેકે દરવાજાને અંદરથી બંધ કરી દીધો હતો. જેના કારણે પોલીસને આ વાતની જાણ કરવામાં આવી હતી અને દાતાર રેસીડેન્સીમાં એક વિદ્યાર્થી દરવાજો ખોલી રહ્યો નથી તેમ જણાવ્યું હતું. જેના કારણે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
તે સમયે અભિષેકના રૂમનું દરવાજો તોડી નાખ્યો હતો, ત્યારે અભિષેક એવી હાલતમાં જોવા મળ્યો હતો, જોતા દરેક વિદ્યાર્થીઓને ગભરાઈ ગયા હતા અને લોકોના મોઢા ફાટી ગયા હતા. અભિષેકે પોતાને રૂમમાં લટકીને આપઘાત કરી લીધો હતો અને તે આપઘાત કરવા માટે પંખા સાથે દોરડું બાંધ્યું હતું પરંતુ તે તૂટી જતા પંખો નીચે આવ્યો હતો.
ત્યારપછી તેણે રૂમમાં લટકીને આપઘાત કરી દીધો હતો. આ જોતા જ અભિષેકના મિત્રો પણ રડવા લાગ્યા હતા અને અભિષેકના રૂમની તપાસ કરતા પોલીસને તેમની રૂમમાંથી એક અંતિમ નોટ મળી હતી. આ નોટમાં લખ્યું હતું કે, ‘મારા મૃત્યુ માટે હું પોતે જવાબદાર છું, મારા હાથ પર કોઈનું દબાણ નથી, હું તમારી માફી માંગું છું, હું મારી પોતાની મરજીથી કોટા આવ્યો છું’
અને મારા પર ઘરના કોઈપણ વ્યક્તિઓનું દબાણ નથી, માફ કરજો મમ્મી, પપ્પા, બહેન, ભાઈ અને મિત્રોની હું માફી માંગુ છું, હું તમને વિનંતી કરું છું કે, હું ખોવાઈ ગયો છું, જેથી મારે જીવવું નથી, આવું લખીને તેમણે આપઘાત કરી લીધો હતો. neet ની તૈયારી કરતા વિદ્યાર્થીએપોતાની જવાબદારી ભૂલીને કાયમ માટે પોતાની જિંદગીને ગુમાવી દીધી હતી.
ત્યારબાદ પોલીસે અભિષેકના માતા પિતાને આ વાતની જાણ કરી હતી. માતા પિતાને આ વાતની જાણ થતા તેઓ ખૂબ જ રડી પડ્યા હતા. તેઓ પોતાનું ભાન ભૂલી ગયા હતા. તેમના સૌથી નાના દીકરાએ આવી ઘટના કરી નાખી હતી. પોલીસ આગળની તપાસ કરી રહી હતી. પોલીસે વધુ તપાસને હાથ ધરી હતી…
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]