લગ્નની ઉંમર થતાની સાથે જ ઘણાખરા લોકો લગ્ન માટે ખૂબ જ ઉતાવળા જતા હોય છે. ઝટ લગ્ન કરવાની તીવ્ર ઈચ્છા માણસ પાસે ન કરવાના કામો પણ કરાવી નાખે છે. રાજસ્થાનના પાલી તાલુકામાં વાયડ ગામમાં રહેતા મહેન્દ્ર ભાઈ કે જેઓની ઉંમર ૨૩ વર્ષની છે. તેણે દારૂનો નશો કર્યો હતો. અને બપોરના સમયે ગામમાં આવેલો મોબાઇલના ટાવર પર ચડી ગયો હતો.
મોબાઇલ ટાવર પર ચડવું ખૂબ જ મુશ્કેલી ભર્યું કામ છે. કારણકે ખૂબ ઉંચા ટાવર પરથી પડી જવાનો ભય રહેલો હોય છે. મહેદ્રએ ખૂબ જ દારૂનો નશો કર્યો હતો એટલા માટે તેને પરિસ્થિતિનું ભાન રહ્યું ન હતું. અને તે ૫૦ ફૂટ જેટલા ઊંચા મોબાઇલ ટાવર પર ચડી ગયો હતો. અને હિંદી ફિલ્મોની જેમ ડાયલોગબાજી કરવા લાગ્યો હતો..
જેવી રીતે શોલે ફિલ્મમાં ધર્મેન્દ્ર કહે છે કે, લગ્ન કરાવી દો નહીં તો હું ત્યાંથી કૂદીને મરી જઈશ. બસ તેવી જ રીતે મહેન્દ્ર નામનો આ યુવક ટાવર પર ચડીને જોરજોરથી બૂમો પાડી રહ્યો હતો કે જો મારા લગ્ન નહીં થાય તો હું મરી જઈશ.. સતત પાંચ કલાક સુધી તે આ ડ્રામાબાજી કરતો રહ્યો..
ગામના લોકોએ તેને ખૂબ જ સમજાવ્યું હતું. તેમજ પરિવારજનો એ પણ તેને ખૂબ જ મનાવ્યો હતો. છતાં પણ તે કોઈની વાત માનવા માટે તૈયાર ન હતો અને નીચે ઊતરવાનું નામ લેતો ન હતો. જેતપુરા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું છે કે આ યુવક દારૂના નશામાં ધૂત હતો અને તે વારંવાર એક જ શબ્દો બોલી રહ્યો હતો કે..
મારા લગ્ન થયા નથી, મારે જીવવું નથી, હું મરી જવા ઇચ્છું છું, નશો એટલો બધો સવાર થઈ ગયો હતો કે, તેનું સંતુલન ધીમે ધીમે લથડતુ હતું. પરિવારના સૌ કોઈ લોકોએ તેને ખૂબ સમજાવ્યો હતો છતાં પણ તે નીચે ઉતરતો ન હતો. અંતે પરિવારજનોએ જણાવ્યું હતું કે તું નીચે ઊતરી જા આપણે તારા લગ્ન તાત્કાલિક ધોરણે કરાવી આપીશું..
એટલા માટે તે નીચે ઉતરવા માટે રાજી થયો હતો. નીચે ઉતરતાની સાથે જ પોલીસે તેને પકડી પાડયો હતો. કારણ કે તેણે સતત પાંચ કલાક સુધી હંગામો મચાવ્યો હતો. તેમજ શાંતિભંગના આરોપમાં પોલીસે તેની ધરપકડ કરી છે. શોલે ફિલ્મની જેમ ડાયલોગબાજી કરતો મહેન્દ્ર નામનો આ યુવક પોલીસની કસ્ટડીમાં છે..
માણસ દારૂ ના નશા માં શું શું કરી બેસે છે તે નક્કી હોતું નથી. એક વખત મગજ પર નશો સવાર થઈ જાય છે ત્યારબાદ માણસ આસપાસની તમામ અમને ભૂલી જતો હોય છે અને ન કરવાના કામ કરી બેસે છે. નશામાં આપડે ઘણા બધા યુવક યુવતીઓને બરબાદ થતા પણ જોયા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]