જીવનમાં સુખ અને દુઃખ તો દરેક વ્યક્તિની સાથે આવતું અને જતું રહેતું હોય છે, તમામ પરિસ્થિતિઓ અને મુશ્કેલીઓને સહન કરીને ચટ્ટાન બનીને જીવન જીવવું તેને જ સાચું સુખ કહેવાય છે, અત્યારે એક વ્યક્તિ એટલો બધો કંટાળી ગયો હતો કે, તેણે અવળું પગલું પણ ભરી લીધું હતું..
આ ઘટના સોમરાજપાર્ક વિસ્તારની છે. અહીં કેતન અને કિશોર નામના બે ભાઈઓનો પરિવાર રહે છે, પરિવારના મોભી લક્ષ્મણભાઈ તેમજ કાંતાબેન ઘરનો તમામ વહીવટ સંભાળતા હતા. જ્યારે કેતન અને કિશોર બંને નોકરી કરીને પરિવારનો ગુજરાન ચલાવવામાં મદદરૂપ થતા હતા..
બંને ભાઈઓના લગ્ન પણ થઈ ગયા હતા, એક સમયે એવો આવ્યો કે, જ્યારે ઘરમાં લડાઈ ઝઘડા શરૂ થઈ ગયા હતા કારણ કે, હવે બંને ભાઈઓ પોતપોતાની કમાણીથી પોતપોતાનું જુદું જીવન જીવવા માંગતા હતા, પરંતુ લક્ષ્મણભાઈએ બંને દીકરાઓને ભેગું જ જીવન જીવવા માટે જણાવતા હતા..
બંને ભાઈઓની પત્નીને એકબીજા સાથે લડાઈ ઝઘડાઓ થતા હતા, એટલા માટે હવે તેઓ એક ઘરમાં ન રહેવા માટે ઇચ્છતા હતા. આ વાત તેઓએ તેઓએ લક્ષ્મણભાઈને પણ જણાવી પરંતુ લક્ષ્મણભાઈએ કિશોર અને કેતન બંનેને સમજાવ્યા કે, તમારે ભેગા જ સંયુક્ત કુટુંબની અંદર રહેવું જોઈએ કારણ કે, સંયુક્ત કુટુંબમાં જ માણસની પ્રગતિ થતી હોય છે..
પરંતુ આ બંને સગા ભાઈઓ પોતપોતાની વાત ઉપર અડગ રહ્યા અને તેઓએ ઘર પણ જુદું કરી નાખ્યું હતું, જ્યારે સંપત્તિના ભાગલા પાડવાની વાત આવી ત્યારે કેતન સાથે ખૂબ જ મોટો અન્યાય થયો હતો. કારણ કે, લક્ષ્મણભાઈ અને કાંતાબેને તેમની તમામ સંપત્તિને કિશોરના નામે કરી આપી હતી..
કારણ કે, કિશોર ઘરનો મોટો દીકરો હતો. જ્યારે કેતન ઘરનો નાનો દીકરો હોવાને કારણે તેના નામે કોઈ પણ પ્રકારની સંપત્તિ આપવામાં આવી ત્યારે કેતનને ખૂબ જ માઠું લાગી આવ્યું હતું, તેણે ઘણી બધી વાર તેના માતા-પિતાને સંપત્તિ વિશેની આ બાબતે જણાવી હતી. પરંતુ તેના મા બાપે જણાવ્યું કે, જ્યારે તેઓ ઘરડા થઇ જશે અને હલનચલન કરવાનું બંધ કરી દેશે..
ત્યારે તેના નામે અન્ય પ્રોપર્ટીને કરી દેવામાં આવશે પરંતુ કેતનને અત્યારે તેના નામ ઉપર ઘણી બધી સંપત્તિ જોતી હતી, જે બાબત શક્ય ન બનતા કંટાળી ગયેલો કેતન એક દિવસ તેના ઘરે તેના માતા પિતાને કહેવા લાગ્યો કે, હું મારા બાપને કારણે જ ડેમમાં કૂદીને મરવા જવા નીકળી રહ્યો છું..
એટલું કહીને તે ઘરેથી નીકળી ગયો હતો અને મોડી સાંજ સુધી જ્યારે તે પોતાના ઘરે પરત ન આવ્યો ત્યારે કેતનની પત્નીએ કાંતાબેન અને લક્ષ્મણભાઈને કડવા વેણ વચનો કહેવાના શરૂ કરી દીધા હતા કે, તમારા કારણે આજે કેતન ઘરે આવી રહ્યા નથી અને તેઓ ડેમમાં કૂદીને મરવા જઈ રહ્યા છે..
તેવું જણાવીને ઘરેથી ગયા છે જો કે તને કોઈ પણ અવળું પગલું ભરી લીધું તો તેના જવાબદાર માત્રને માત્ર તમે રહેશો કારણ કે, તમે તમારી તમામ સંપત્તિને મોટા દીકરાને નામે કરી દીધી છે. જ્યારે નાના દીકરાને એક ફૂટી કોડી પણ આપી નથી જો કે, તને કશું થયું તો લક્ષ્મણભાઈ અને કાંતાબેનને સામે કાયદેસરની કાર્યવાહી કેતનની પત્ની કરી નાખશે તેવું જણાવી દીધું હતું..
સાંજ સુધી પણ કેતન ઘરે ના આવ્યો એટલા માટે પરિવારને ખૂબ જ ચિંતા થવા લાગી અને તેઓએ ખેતરની શોધ ખોળ શરૂ કરી દીધી હતી, સમગ્ર રાજ દરમિયાન પણ કશું હાથ આવ્યું નથી. ત્યારે સવારમાં કેતનની પત્ની પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવવા માટે ગઈ હતી કે, કેતન ઘરેથી ગુમ થઈ ગયો છે..
તે ઘરેથી એટલું કહીને નીકળ્યો હતો કે, હું મારા માતા-પિતાને કારણે જ હું ડેમમાં કૂદીને આપઘાત કરવા જઈ રહ્યો છું અને ત્યારબાદ તે પોતાના ઘરે પરત આવ્યો નથી. પોલીસે જ્યારે તપાસ કરી તો ખબર પડી કે, તેના ઘરથી નવ કિલોમીટર દૂર આવેલા પરમ ડેમ ઉપરથી કૂદીને તેણે આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધો હતો..
તેના ખિસ્સામાંથી એક અંતિમ નોટ પણ મળી આવી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે, મારા માતા-પિતાએ તેમ જ મારા મોટાભાઈ અમારી સાથે ખૂબ જ મોટો અન્યાય કર્યો છે, મને સંપત્તિમાં એક ફૂટી કોડી પણ આપી નથી, આવી રીતે હું મારું પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવી શકું, તે બાબતને લઈને તે ખૂબ જ મોટી મંજણામાં મુકાઈ ગયો હતો..
અને તેણે આપઘાત કરીને જીવન પણ ટૂંકાવી દીધું છે, કેતનની પત્ની તો દુઃખનો આ બનાવો સહન કરી શકી નહીં અને તે પણ ત્યાં ને ત્યાં નીચે ઢળી પડી હતી, તેને પણ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. જ્યારે કેતનના માતા-પિતાના પણ હોશ ઉડી ગયા કે, તેમની એક મોટી ભૂલના કારણે આજે તેમનો નાનકડો દીકરો આ દુનિયામાંથી જતો રહ્યો હતો..
કેતનના માતા પિતાની જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે તેઓએ જણાવ્યું કે, તેનો મોટો દીકરો ખૂબ જ સમજદાર છે. તે બધી જ બાબતોની દેખરેખ ખૂબ જ સારી રીતે રાખે છે. જ્યારે નાનો દીકરો કેતન હજુ ખૂબ વધારે વ્યવહારમાં ભળ્યો ન હોવાને કારણે તેના નામ ઉપર ઘરની તમામ સંપત્તિને કરવી ખૂબ જ મુશ્કેલ ભર્યો નિર્ણય હતો..
એટલા માટે લક્ષ્મણભાઈ અને કાંતાબેને તેના નાના દીકરાને સંપત્તિમાં કશું આપ્યું હતું નહીં, તેઓ પાછળ જઈને તેના દીકરાના નામે ઘણી બધી સંપત્તિ કરવાના હતા. પરંતુ એ પહેલા તો આપઘાત કરીને જીવન ટૂંકાવી દેતા ચારેકોર ચકચાર મચી જવા પામ્યો હતો..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]