Breaking News

‘મારા માં તારા પતિની આત્મા આવે છે’ કહીને ભુવાએ, વિધવા મહિલા પર દુષ્કર્મ કરી ફૂલહાર કર્યા.. આંખો પહોળી કરતો કિસ્સો..!

ગુજરાતમાં હજુ પણ અંધશ્રદ્ધા બનાવોમાં ઘટાડો થઈ રહ્યો નથી. છોટાઉદેપુર સંખેડા તાલુકામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે. જે સાંભળ્યા બાદ તમારા પણ હોશ ઉડી જશે. સંખેડા તાલુકાના એક ગામમાં રહેતી મહિલાના લગ્ન 14 વર્ષ પહેલા થયા હતા. તેમનો પરિવાર રાજીખુશીથી જીવન બતાવતો હતો લગ્ન થયા એ પછી મહિલાઓ વારંવાર ગામના મંદિરમાં દર્શન માટે જતી હતી…

આ મંદિરના ભુવાજી જીતેન્દ્રસિંહ ઉર્ફે લાલાભાઇ પરમાર મહિલાની સંપર્કમાં આવ્યા હતા. એ પછી ભુવાજી અવારનવાર આ મહિલાના ઘરે આવ જા કરતા હતા. ધીમે ધીમે ભુવાજી ના સબંધ આ પરિવાર સાથે ખૂબ જ ગાઢ બની ગયા હતા થોડા મહિના પહેલા આ મહિલાના પતિ નું મૃત્યુ કોરોના ના કારણે થયું હતું…

ત્યારબાદ મહિલા તેની બે દીકરી અને તેની સાસુ સાથે એકલી રહેતી હતી. થોડા દિવસ પહેલા આ મહિલાને પણ કોરોના થયો હતો જેના પગલે ડોક્ટરે તેને ક્વોરેન્ટાઇન થવાની સૂચના આપી હતી. પરંતુ તેઓ એક રૂમમાં રહેતા હોવાના કારણે કવોરનટાઈન થવામાં ખૂબ મોટી સમસ્યા ઊભી થઈ હતી…

ત્યારે આ ભુવાજી એ કહ્યું હતું કે, મારા ઘરની ઉપર ની રૂમ ખાલી છે. તમે એ રૂમમાં કવોરનટાઇન થઈ જાઓ. જેથી કરીને તમારી બંને દીકરી અને તમારા સાસુ તમારા જ ઘરે રહી શકે… અને તમે પણ કોરોનાની વ્યવસ્થિત સારવાર લઇ શકો. ઘર જેવા સંબંધો હોવાના કારણે આ મહિલા ભુવાજી ના ઘરે ક્વોરેન્ટાઇન થઈ હતી ભૂવાજીએ આ મહિલાની એકલતા અને મજબુરીનો લાભ લઈને તેની રૂમમાં ગયા હતા..

અને ત્યારબાદ તેની સાથે બળજબરી પૂર્વક શા.રી.રિક સં.બંધ બાંધ્યા હતા. તેમજ ધમકી પણ આપી હતી કે, તું આ વાતની જાણ અન્ય કોઈ વ્યક્તિને કરીશ કરો અને જાનથી મારી નાખીશ. વિધવા પત્ની મારી નાખવાની ધમકી સાંભળીને જ ખૂબ ડરી ગઈ હતી. અને તે ભુવાજી જેમ કહે તેમ કરવા માટે તૈયાર થઈ ગઈ હતી…

આ મહિલાને ભુવા એ કહ્યું હતું કે તું મારી સાથે ફૂલહાર નહીં કરે તો તારા પરિવારનું કોઈ સભ્ય મોત પામશે અને તેના થોડા દિવસ પછી હું પણ મૃત્યુ પામી જઈશ. કારણકે તારા પતિની આત્મા મારા શરીરમાં છે. એટલા માટે તું મારી સાથે ફૂલહાર કરી લે અને તારે આ વિધિ કરવી જ પડશે તેમ સમજાવી હતી.

મહિલાને કોરોના સાજો થઈ જતા તે પોતાના ઘરે ગઈ હતી ત્યારબાદ તે એક દિવસ સવારે દિવાબત્તી કરતી હતી ક્યારે પીન્ટુભાઇ રાઠવા નામનો માણસ તેમને ગાડી લઈને લેવા માટે આવ્યો હતો. અને કહ્યું હતું કે તમે મારી સાથે મંદિરે ચાલો મંદિરે તમારા પરિવારની તમામ યુવતીઓની તૈયારી થઈ ગઈ છે.

આ વિધવા મહિલા માતાજી પ્રત્યે ખુબ આસ્થા અને શ્રદ્ધા ધરાવતી હતી. તેથી ત્યાગવાની વાત માં આવી ગઈ હતી. અને તે મંદિરે ની વિધિ માટે ગઈ હતી. જ્યાં મારે આ મહિલા સાથે ફુલહાર કર્યા હતા. ત્યારબાદ ભુવા આ મહિલાને પોતાની સાથે રહેવા માટે જણાવ્યું હતું. એ સમયે આ વિધવા મહિલાના પિતા ત્યાં આવ્યા હતા..

અને તેઓએ ભૂવાને આ સમગ્ર બાબત આ અંગે ખૂબ સમજાવ્યા હતા અને કહ્યું હતું કે આ બધું ખૂબ ખોટું થઈ રહ્યું છે. ક્યારે ભુવાની પત્નીએ કહ્યું હતું કે હું અને તમારી દીકરી બન્ને સગી બહેનોની જેમ જ રહીશું તમે તમારી દીકરીને અહીં રહેવા દો. પરંતુ દીકરી એ પણ હોવા સાથે રહેવાની મનાઈ ફરમાવી હતી.

અને તે પોતાના પિતાજી સાથે પિયર ચાલી ગઇ હતી. ભુવા સાથેની આ ઘટના બન્યા બાદ તે ખૂબ જ વિચારોમાં ડૂબેલી રહેતી હતી. અને તે માનસિક રીતે પરેશાન થતી હતી. અંતે તેણે બાથરૂમમાં જઈને દવા પીધી હતી. ઘરના સભ્યોને જાણ થતાં તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

ત્યાર બાદ મહિલાએ આ ભુવા ની હકીકત સૌ કોઈને જણાવી હતી.. તેમજ વિધવા મહિલાએ મંદિર ના ભુવાજી જીતેન્દ્ર પરમાર તેમજ તેને આ ઘટનામાં સાથ આપનાર અન્ય લોકો સામે ફરિયાદ નોંધાવી હતી પોલીસે આ મામલે હાલ તપાસ કરી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *