નાની નાની બાબતોમાં ઘણી બધી વાર ખૂબ જ મોટી રમખાણો પણ થઈ જતી હોય છે. અત્યારે બે સગા ભાઈઓ ખેતરની બાબતને લઈને એકબીજા સાથે લડાઈ ઝઘડો કરવા લાગ્યા હતા અને આ લડાઈ ઝઘડામાં એવો કરુણ અંત આવ્યો છે કે, સમગ્ર પરિવાર ઉભા રોડે દોડતો થઈ ગયો હતો, આ ઘટના સત્રાણા ગામની છે..
આ ગામમાં વિનોદ પ્રસાદ અને રામપ્રસાદ નામના બે ભાઈઓ પરિવાર સાથે રહીને ખેતીનું કામકાજ કરે છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે, આ બંને ભાઈઓમાં છેલ્લા કેટલાક સમયથી ખેતરના વિવાદને લઈને લડાઈ ઝઘડો ચાલતો હતો. આ મામલાને સુલજાવા માટે ગામના ઘણા બધા આગેવાનો આગળ પણ આવ્યા પરંતુ બંનેમાંથી કોઈ પણ વ્યક્તિ સમજવા માટે તૈયાર હતું નહીં..
અને આ લડાઇ ઝઘડો દીન પ્રતિ દિન ખૂબ જ આગળ વધવા લાગ્યો હતો, એક દિવસ વિનોદ પ્રસાદના મોટાભાઈ રામપ્રસાદના ખેતરમાં થી પસાર થઈ રહ્યો હતો, એ વખતે રામપ્રસાદ એ તેના નાના ભાઈ વિનોદ પ્રસાદને જણાવ્યું કે, તે મારા ખેતરમાં શા માટે પગ મુક્યો..? તારે મારા ખેતરમાં ચાલવાનો કોઈ પણ અધિકાર નથી..
મહેરબાની કરીને તું મારા ખેતરમાંથી દૂર જતો રહેજે, તો બીજી બાજુ વિનોદ પ્રસાદે કહ્યું કે, મારા ખેતરનો રસ્તો હવે અહીંથી જ પસાર થાય છે અને હું અહીથી જ ચાલીશ, બસ આ સાંભળતાની સાથે જ રામ પ્રસાદે જણાવી દીધું કે, જો આજ પછી તે મારા ખેતરમાં પગ મૂક્યો હતો તારું માથું ફોડી નાખીશ..
આ શબ્દ સાંભળતા જ વિનોદ પ્રસાદ પણ ઉગ્ર બની ગયો અને નજીકથી કુહાડી લઈને ત્યાં આવી પહોંચ્યો હતો, બંને સગા ભાઈઓ એકબીજા સાથે બથોબત લડાઈ ઝઘડો કરવા લાગ્યા હતા. એમાં રામપ્રસાદ ખૂબ જ ઉગ્ર થઈ ગયો અને તેને હાથમાં રહેલી લાકડી તેના નાના ભાઈના માથાના ભાગે મારી દેતાની સાથે જ વિનોદ પ્રસાદ ત્યાંને ત્યાં જ ઢળી પડ્યો હતો..
તેને હોસ્પિટલે લઈ જવામાં આવે એ પહેલાં તો તેનું મૃત્યુ થઈ ગયું હતું, ઘટનાના સમાચાર જ્યારે ગામના રહીશો સુધી પહોંચ્યા ત્યારે ચકચાર મચી જવા પામ્યો હતો. તેમના પરિવારના અન્ય સભ્યો પણ આ બાબતને લઈને ખૂબ જ દુઃખી હતા, વિનોદ પ્રસાદને સારવાર માટે લઈ જતા સૌ કોઈ લોકો ઉપર દોડતા થયા પરંતુ હોસ્પિટલે પહોંચે એ પહેલાં તો તેનું મૃત્યુ થઈ ગયું હતું..
ખેતરની નાની અમથી વાતચીતને લઈને ખૂબ જ લડાઈ ઝઘડામાં વિનોદ પ્રસાદ નામના વ્યક્તિનું મૃત્યુ થયું છે, આ ઘટનાના સમાચાર પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચાડવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈને પોલીસ તપાસ ચલાવી રહી છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]