સંયુક્ત કુટુંબમાં રહેવું હાલના સમયમાં મુશ્કેલ બનતું જાય છે. કારણકે દેરાણી અને જેઠાણી વચ્ચે નાના મોટા ઝઘડાઓ અમુકવાર એકબીજાના જીવ લેવા પણ મજબૂર કરી બેસે છે. એવા ઘણા બધા મામલાઓ આપણી નજર સામે જોયા છે. જેમાં દેરાણી જેઠાણી ના ઝઘડા ના કારણે ઘરમાં અને ઇચ્છનીય પ્રવૃત્તિઓ થવા લાગતી હોય છે..
હાલ એવો જ એક બનાવ સામે આવ્યો છે. જેને સૌ કોઈ લોકોને ચોંકાવી દીધા છે. આ ઘટના અમદાવાદ શહેરના આંબાવાડી વિસ્તારમાં મહાત્મા ગાંધી સોસાયટીમાંથી સામે આવ્યું છે. આ સોસાયટીમાં દેરાણી અને જેઠાણી અને એક મકાનમાં ઉપર નીચે રહે છે. દેરાણીને બે દીકરાઓ છે.
તેમજ તેમની 2 પુત્રવધુઓ પણ મકાનના નીચેના ભાગે રહે છે. જ્યારે 65 વર્ષની જેઠાણી મકાનના ઉપરના ભાગે પોતાના દીકરા અને પુત્રવધુ સાથે રહે છે. દેરાણી અને જેઠાણી બંને વચ્ચે મકાનની બાબતને લઈને નાની-મોટી બોલાચાલી થતી હતી. દેરાણી અવારનવાર જેઠાણી ને હેરાનગતિ પહોંચાડતી હતી.
દેરાણીના બંને દીકરાઓ તેમજ તેનો પતિ પણ અવારનવાર જેઠાણીને એટલી બધી હેરાનગતિ પહોંચાડતા હતા કે તેઓ ખુબ જ આઘાતમાં મુકાઈ જતા હતા. દેરાણી જેઠાણીને કહેતી હતી કે તારો દીકરો અને તારી પુત્રવધુ અમારા 40 લાખ રૂપિયા ખાઈ ગયા છે. તો બીજી બાજુ દેરાણીનો બીજો દીકરો અને તેની પત્ની પણ કહેતા હતા કે જો તમારો દીકરો અને બહાર મળશે તો તેને જીવતો સળગાવી દેશું.
દેરાણીનો પક્ષ મજબૂત હતો કારણ કે તેની સાથે બોલાચાલીમાં તેના બે દીકરા, તેની બે પુત્રવધુ અને તેનો પતિ પણ હતો. જ્યારે બીજી બાજુ જેઠાણીના પક્ષમાં માત્ર તેનો એક દીકરો તેની પુત્રવધૂ જ હતી. એટલા માટે દેરાણીનો પરિવાર જેઠાણીના પરિવાર ઉપર ચડી બેસતો હતો..
આ સાથે સાથે દેરાણીનો નાનો દીકરો જેઠાણીને ફોન કરીને કહેતો હતો કે, તમે ઘર ખાલી કરી નાખજો બાકી તને બદનામ કરી નાખીશ. રોજના કંકાશથી કારણે જેઠાણી કંટાળી ગઈ હતી. અને અંતે એક દિવસ તેણે ટોયલેટ સાફ કરવાની ફિનાઈલ પી લીધી હતી. આ બનતાની સાથે જ તેને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી..
જ્યાં તેનો જીવતો બચી ગયો છે. પરંતુ તેણે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા દેરાણીના બે દીકરા, તેની પુત્રવધૂઓ તેમજ દેરાણી અને દિયર સૌ કોઈ લોકોના હાજા ગગડી ગયા છે. કોઈ પણ બાબતને લઈને એકબીજા ઉપર દબાણ બનાવું કે ધમકી આપીને હેરાનગતિ પહોંચાડવી એ બિલકુલ ખોટી વાત છે. આ પ્રકારનું કાર્ય કરનારને યોગ્ય સજા જરૂર આપવામાં આવશે પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]