દરરોજ લોકોને પોતાના ઘરેથી બહાર નીકળતા જ ગંભીર ઘટનાઓનો સામનો કરવો પડે છે. ક્યારે કોની સાથે શું બની જાય તે કહી શકાતું નથી. અવનવાર લોકો સાથે દર્દનાક કિસ્સાઓ બની રહ્યા છે. જેના કારણે લોકો પોતાના પરિવારથી દૂર થઈ રહ્યા હોય છે. હાલમાં એવી એક દર્દના ઘટના સામે આવી હતી. જે જોઈને દરેક લોકો ચીસો પાડી ગયા હતા.
આ ઘટના ઉદયપુર પાસે આવેલા ભિન્દર ગામ પાસે બન્યો હતો. હીટા ગામનો રહેવાસી પરિવાર મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યો હતો. જેમાં પરિવારના શાંતિલાલ ચૌબીસા તેમની ઉંમર 48 વર્ષની હતી અને તેમની પત્ની રુકમણીબેન ચૌબીસા તેમની ઉંમર 43 વર્ષની હતી અને શાંતિલાલના ભાભી કૌશલ્યાબેન ચૌબીસા તેમની ઉંમર 38 વર્ષની હતી.
એક જ પરિવારના 3 લોકો આશાપુરા માતાજીના મંદિરે પોતાની માનતા આ પૂરી કરવા માટે નીકળ્યા હતા. તેઓ ઘરેથી બપોરના 12:00 વાગ્યાના સમયે માનતા પૂરી કરવા માટે મંદિરે જવા માટે નીકળ્યા હતા અને આ સમયે શાંતિલાલની બહેન અને તેમના બહેનનો દીકરો વિનોદકુમાર પણ ભિન્દર જેતપુર ગામની બહાર નીકળ્યો હતો.
તેઓ રસ્તામાં સાથે બાઈક ચલાવી રહ્યા હતા. એક જ પરિવારના લોકો બે બાળકને બાઇક લઈને મંદિરે દર્શન કરવા માટે નીકળ્યા હતા. જેમાં એક બાઈક પર શાંતિલાલ તેમની પત્ની રુકમણીબેન અને તેમની ભાભી કૌશલ્ય બેઠા હતા અને બીજી બાઈક પર તેમની બહેન અને ભત્રીજો બાઇક પર બેઠા હતા.
બે ટ્રેન જેતપુર ધારતા રોડ પર પાસેથી પસાર થઈને જઈ રહી હતી. અને શાંતિલાલ પોતાની બાઇક લઈને ત્યાંથી પસાર થઈ રહ્યા હતા પરંતુ સામેની તરફથી ટ્રેન પસાર થતા એક ટ્રોલી ચાલક પોતાની ટ્રોલી લઈને આવી રહ્યો હતો અને શાંતિલાલ બાઇકને ન જોતા તેણે ટક્કર મારી દીધી હતી. સામેની તરફથી ટક્કર મારતા જ શાંતિલાલ પોતાની બાઈક પરથી પડી ગયા હતા.
અને પાછળ બેઠેલા તેમના બંને મામીઓ પણ પડી ગયા હતા. બીજી બાઈક પર વિનોદકુમાર જઈ રહ્યો હતો અને આ નંબર વગરની ટ્રોલી ખુબ જ ઝડપી સ્પીડમાં આવીને તેમના મામાની બાઈકને ટક્કર મારી દીધી હતી. જેના કારણે ત્રણેય ઘટના સ્થળે જ પડી ગયા અને સાથે જ ઘટના સ્થળે મામા અને તેમની મામી રુકમણી બેનનું મૃત્યુ થઈ ગયું હતું.
જ્યારે બીજા મામી કૌશલ્યાબેન શ્વાસ લઈ રહ્યા હતા. જેના કારણે આસપાસના લોકોએ તરત તેમને ભીંદરની હોસ્પિટલમાં લઈ ગયા હતા પરંતુ ત્યાં તેમનું મૃત્યુ થઈ ગયું હતું. ટ્રોલી ચાલક અકસ્માત સર્જીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. શાંતિલાલ મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા.
પરંતુ તેમની સાથે અચાનક જ આવી ઘટના બની જતા પરિવાર વેરવિખેર થઈ ગયું હતું. મંદિરે દર્શન કરવા પહોંચે તે પહેલા જ ભિન્દર પાસે તેમની સાથે આ અકસ્માત સર્જાઈ ગયો હતો. ઉદયપુરથી લગભગ 60 કિલોમીટર દૂર આ ગામ આવેલું છે. અકસ્માતમાં એકસાથે ત્રણેયના મૃત્યુ થઈ ગયા હતા. જેના કારણે પરિવાર લોકોને આ વાતની જાણ થતા જ પરિવાર પર આઘાત છવાઈ ગયો હતો.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]