આજકાલ અમુક લોકો પોતાના મનમાં એવી ગાંઠ બાંધીને બેઠા છે કે, જે સુધારવાનું નામ લેતા નથી. સરકાર ગળા ફાડી ફાડીને કાયદા કાનુન અંગે લોકોને સચેત કરી રહી છે. પરંતુ નરાધમ લોકો કોઈપણ વ્યક્તિની વાત માન્યા વગર મન ફાવે તેમ પ્રવૃત્તિઓ આચરવા લાગ્યા છે. ગઈકાલે આણંદ જિલ્લાથી આશરે 8 કિલોમીટર દૂર એક ગામડામાં માનસિક રીતે અસવસ્થ મહિલા ઉપર અજાણ્યા યુવકો .દુ.ષ્ક.ર્મ. ગુજારીને ચાલી ગયા છે..
આ બનાવ સામે આવ્યો ત્યારે અચાનક જ દોડધામ મચી ગઈ હતી. આણંદ થી આઠ કિલોમીટર દૂર એક ગામડાની અંદર આશા વર્કર મહિલાઓ ગ.ર્ભ.વ.તી મહિલાનો સર્વે કરવા માટે ઘરે-ઘરે ગઈ હતી. જ્યાં ગામના સીમ વિસ્તારની અંદર એક મંદિરના ઓટલા ઉપર એક માનસિક રીતે અસ્વસ્થ મહિલા બેઠી હતી..
આસપાસના લોકોએ જણાવ્યું કે, તમે આ મહિલાની તપાસ શરૂ કરો. જ્યારે આ મહિલાની તપાસ આશા વર્કર બહેનોએ હાથ ધરી ત્યારે જણાવ્યું કે, આ મહિલાને આઠ મહિનાનો ગ.ર્ભ. છે. તેમજ તે પોતે માનસિક રીતે અસવસ્થ છે. આ મહિલાની માતા પહેલા જ મૃત્યુ પામી ચૂકી હતી. તાત્કાલિક ધોરણે આશા વર્કર બહેનોએ જય ભારતીય ફાઉન્ડેશનના હંસા કુંવરબા રાજને સંપર્ક કરીને આ માહિતી આપી હતી..
તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને આ મહિલાને સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તમામ હકીકતો બહાર આવી હતી. આ મહિલાની માતા વર્ષો પહેલા મૃત્યુ પામી છે. જ્યારે તેના પિતા એક છાપરા વાળા મકાનમાં રહીને મજૂરી કામ કરી જીવન ગુજારે છે. જ્યારે આ મહિલા આમથી આમ ભટકતું જીવન જીવે છે..
પરંતુ હાલ તે ગ.ર્ભ.વ.તી છે. અને તેને આઠમો મહિનો ચાલી રહ્યો છે. આ મહિલાને કોણે .ગ.ર્ભ.વતી બનાવી હશે..? આ તમામ પ્રશ્નોને લઈને હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમજ સીસીટીવી કેમેરાની પણ મદદ લેવામાં આવી રહી છે. આ ઘટનામાં કોઈએ કોણ વ્યક્તિ સંડોવાયેલું છે. આ તમામ બાબતોની જાણ મેળવ્યા બાદ પોલીસ જરૂરી તપાસ કરશે..
તેમ જ હાલ .દુ.ષ્ક.ર્મ.ની ફરિયાદ નોંધણીને આગળની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. આ મહિલાનો એક હાથ અને એક પગ કામ કરતો નથી તેમ જ તે માનસિક રીતે અસ્પષ્ટ છે આ મહિલાને ન્યાય મળે એટલા માટે સૌ કોઈ લોકો પ્રયત્ન કરી રહ્યા છે. હકીકતમાં જ્યારે આવા બનાવ સામે આવે ત્યારે એ કંઈક રૂવાટા બેઠા થઈ જાય છે..
અને મગજ પણ કામ કરતું બંધ થઈ જાય છે કે, આખરે હવે આ નરાધમ લોકોને પકડી પાડીને બરાબરનો મેથીપાક ચકાડવા જોઈએ જેથી કરીને અન્ય નરાધમોમાં પણ બેસે અને તેઓ ક્યારેય આવી કાળી હરકતો કરવાનો વિચાર પણ ન કરે. આ બનાવે સૌ કોઈને ચોંકાવી દીધા છે. ખરેખર આ તપાસનો વિષય છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]