આજકાલના સમયમાં વિદેશ ભણવા માટે જવાનો મોહ ખૂબ જ વધવા લાગ્યો છે, મોટાભાગના જુવાન ઉંમરના યુવક યોવતીઓ ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કોલેજનો વધુ અભ્યાસ કરવા માટે વિદેશ જવાની ઈચ્છા ધરાવવા લાગ્યા છે. અમુક વખત એવી પરિસ્થિતિઓ પણ સર્જાઈ જતી હોય છે કે, જેમાં બિચારા મા-બાપને તેમના દીકરા કે દીકરીઓની દરેક બાબતો સાંભળવી પડે છે..
અને તેમના દીકરા કે દીકરી જે કહે તેમ કરવું પડતું હોય છે, કારણ કે બિચારા માતા પિતા અત્યારના સમયની દરેક બાબતોને ખૂબ જ સારી રીતે જાણતા હોતા નથી. હાલ એક દીકરીએ તેના માતા-પિતાને એવી રીતે ધમકાવવાનું શરૂ કર્યું હતું કે, બિચારા માતા પિતા તેની દીકરીની જીદ સામે લાચાર બની ગયા હતા..
જે બાળકોમાં સંસ્કારની ખોટ દેખાઈ આવતી હોય તે બાળકો હંમેશા તેના મા બાપને ઉભા રોડે દોડાવવાની પણ તાકાત ધરાવતા હોય છે, આવા બાળકોને હંમેશા સારી શિખામણો આપવી જોઈએ જેથી કરીને તેમનું ભવિષ્ય સારું અને ઉજવળ બને અત્યારે 23 વર્ષની હેમાલી નામની યુવતીએ તેના માતા-પિતાને જણાવ્યું હતું કે, તે વિદેશ ભણવા માટે જવા ઈચ્છે છે..
બિચારો પરિવાર ખૂબ જ મધ્યમ વર્ગીય હતો, આ સાથે સાથે હેમાલીની મોટી બે બહેનોના લગ્ન પ્રસંગ થોડા સમય પહેલા જ પૂર્ણ થયા હોવાને કારણે હવે હેમાલીના પિતા દલપતભાઈ પાસે રૂપિયા ન હોવાને કારણે તેણે તેમની દીકરીને વિદેશ ભણવા જવાની પરવાનગી આપી હતી નહીં કારણ કે, વિદેશ જવા માટે ઓછામાં ઓછા 20 થી 25 લાખ રૂપિયાનો ખર્ચો થતો હોય છે..
અને એટલો બધો ખર્ચ ઉપાડવાની ક્ષમતા હવે દલપતભાઈમાં ન હોવાને કારણે તેઓએ તેમની દીકરીને વિદેશ ભણવા જવાની ચોખ્ખી મનાઈ ફરમાવી દીધી હતી, પરંતુ તેમની દીકરી વિદેશ જવાના મોહમાં આટલી બધી પાગલ બની ગઈ હતી કે, તે તેના મા બાપને કહેવા લાગી કે જો તમે મને વિદેશ ભણવા માટે નહીં જવા દો તો હું દવા પીઈને મરી જઈશ..
અને ત્યારબાદ તમારું બરબાદી થઈ જશે, જ્યારે મૃત્યુની ધમકી આ દીકરી તેના માતા પિતાને આપવા લાગી હતી. ત્યારે બિચારા મા બાપ પણ ઢીલા પણ અનુભવા લાગ્યા હતા અને વિચારવા લાગ્યા કે કદાચ તેમની દીકરીએ કોઈ અવળું પગલું ભરી લીધું તો તેઓને સમગ્ર જીવન પર પછતાઓ થશે..
દલપતભાઈ જેમતેમ કરીને લોકો પાસેથી રૂપિયા ઉધાર માંગવા લાગ્યા હતા કારણ કે તેઓ તેમની દીકરીની ધમકીઓ સાંભળીને ખૂબ જ ડરી ગયા હતા, પરંતુ જ્યારે તેમની દીકરીના આ વાતો પાછળની સત્ય હકીકત જાણવામાં આવી ત્યારે સૌ કોઈ લોકો ડોળા ફાડી ગયા હતા. શરૂઆતમાં તો હેમાલી તેના માતા પિતા સાથે જ રહેવા ઈચ્છતી હતી..
પરંતુ અચાનક જ તે વિદેશ જવાની વાતો કહેવા લાગી હતી, આ વાત સાંભળીને પરિવારના દરેક લોકોને ખૂબ જ અજુગતું લાગ્યું હતું કે, અચાનક તો એવું શું થયું છે કે, હેમાલી વિદેશ જવા માટે ઈચ્છે છે. કારણ કે અહીં શાળાના અભ્યાસમાં પણ હેમાલી ખૂબ જ નબળું પરિણામ ધરાવતી હતી..
તો તે વિદેશ જઈને કેવી રીતે અભ્યાસ કરશે અને કેવી રીતે બધી બાબતોનું મેનેજમેન્ટ કરશે તે વિચારીને સૌ કોઈ લોકો ખૂબ જ દુઃખી થતા હતા પરંતુ જ્યારે સત્ય હકીકત જાણવામાં આવી ત્યારે ખબર પડી કે હેમાલી તેની શાળામાં ભણતા કોઈ યુવક સાથે પ્રેમ સંબંધમાં જોડાયેલી હતી..
અને એ યુવક વિદેશ ભણવા માટે ચાલ્યો ગયો હોવાને કારણે તેની પાછળ પાછળ હેમાલી પણ વિદેશ જવા માટે ઇચ્છતી હતી, આ ઉપરાંત તેનો પ્રેમી યુવક હેમાલીને વિદેશ બોલાવી રહ્યો હતો અને ત્યારબાદ તેની સાથે લગ્નજીવન ત્યાં જ વિતાવવા ઈચ્છતો હતો, જ્યારે આ મામલો સામે આવ્યો ત્યારે હેમાલીને પિતા દલપતભાઈ તેમજ હેમાલીની માતા કમળાબેનના તો હોશ ઉડી ગયા હતા કે..
તેમની દીકરી તેના પ્રેમીની પાછળ એટલી બધી પાગલ બની ચૂકી હતી કે, તેના માતા પિતાને મોતની ધમકી આપીને વિદેશ જવા ઇચ્છતી હતી. હેમાલી એક પણ વાર તેના માતા-પિતાની પરિસ્થિતિનો વિચાર કર્યો નહીં અને માતા-પિતાને સતત ધમકાવતી રહી હતી, જ્યારે મા બાપને તેમની દીકરીની આ અસલિયતની જાણકારી મળી ત્યારે તેઓએ પણ વિચારી લીધું હતું કે, હવે તો કોઈપણ સંજોગો થઈ જાય..
પરંતુ તેઓ તેમની દીકરીને તેમનાથી દૂર જવા દેશે નહીં કારણકે વિદેશ ગયા બાદ તેમની દીકરી કઈ હાલતમાં જીવન જીવશે તેમ જ કેવા લોકોની સાથે હરી ફરી રહી છે, તેમની કોઈપણ દેખરેખ તેમના પાસે રહેતી હોતી નથી. આ સાથે સાથે કોઈ પણ દીકરી જ્યારે તેના માતા-પિતાને છોડીને દૂર જતી હોય છે..
ત્યારે સૌથી વધુ ચિંતા તેના પિતાને થતી હોય છે એટલા માટે દલપતભાઈ તેમની દીકરીને વિદેશ જવાની સખત મનાઈ ફરમાવી દીધી હતી, આ ઘટનાને સમાજના દરેક લોકો સુધી પહોંચાડવી ખૂબ જ જરૂરી છે. કારણ કે જ્યારે પણ કોઈ બાળકો જીદ પકડીને બેસે છે, ત્યારે તેમની પાછળ સત્ય હકીકત શું રહેલી છે..
તે દરેક માતા પિતાએ સૌપ્રથમ જાણી લેવું જોઈએ અને ત્યારબાદ જ તેમના દીકરા કે દીકરીની કોઈ પણ જીદને પૂરી કરવી કે નહીં તેના વિશે વિચાર કરવો જોઈએ. હાલ વિદેશ જવાનો મોહ ભલભલા જુવાનિયાઓને ઉપર સવાર થઈ ગયો છે, કેટલાક લોકો તો દેખાદેખી ના આ સમયની અંદર પરિસ્થિતિ ન હોવાને કારણે પણ વિદેશ જવાની ઈચ્છા ધરાવતા હોય છે..
બિચારા માતા-પિતા પૈસા આજે લઈને તેના દીકરા કે દીકરીને વિદેશ મોકલે છે અને ત્યારબાદ તેઓને ઘણી બધી માટી પરિસ્થિતિઓનો પણ સહન કરવો પડતો હોય છે, આવા કિસ્સાઓ ભલભલા લોકોને ચમકાવી દેતા હોય છે. આ ઘટનાને લઈને ચારેકોર ચકચાર મચી જવા પામ્યો હતો..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]