માતા પિતાને માન સન્માન અને આદરપૂર્વક બોલાવવા જોઈએ, પરંતુ અત્યારના સમયમાં કેટલાક યુવક યુવતીઓ તેમના માતા-પિતાને કોઈપણ પ્રકારનું માનસન્માન આપતા નથી, અને આગળ જઈને તેમને પછતાવાનો વારો પણ આવતો હોય છે, માતા-પિતા નાનપણમાં તેમના બાળકોની દરેક ઈચ્છાઓ પૂરી કરીને તેમનું પાલનપોષણ કરી તેમને મોટા કરે છે..
અને આ બાળકો મોટા થતાની સાથે તેમના મા-બાપને ઘરમાંથી બહાર કાઢી નાખે રખડતા કરી મૂકે તેમાં પણ ઘણા બધા કિસ્સાઓ પાછળના સમયમાં સામે આવી ચૂક્યા છે, અત્યારે એક રૂપાળી દીકરીએ તેના ગરીબ માણસ પિતાને આંગળીના ટેરવી નચાવી નાખ્યા હતા, અને એવી ધમકીઓ મારી કે સૌ કોઈ લોકો મોઢા ફાડીને જોતા જ રહી ગયા હતા..
ખૂબ જ ગરીબ પરિસ્થિતિની અંદર જીવન જીવતા જીવાભાઈ અને લીલાવતીબેન ગામડામાં રહીને અન્ય વ્યક્તિના ખેતરમાં મજૂરી કામ કરીને જીવન ગુજારતા હતા, જ્યારે તેમની એકની એક રૂપાળી દીકરીની લગ્નની ઉંમર થઈ ત્યારે તેમના માટે તેઓ સારો મુરતિયો શોધવા લાગ્યા હતા..
પરંતુ એ સમયે તેમની રૂપાળી દીકરીએ તેના ગરીબ માતા-પિતાને જણાવી દીધું કે, તે અન્ય કોઈ યુવક સાથે પ્રેમ સંબંધમાં જોડાયેલી છે. આ યુવક રિક્ષા ચલાવવાનું કામકાજ કરે છે, અને તે તેને ખૂબ જ વધારે સુખી શાંતિથી જીવન જીવવામાં મદદરૂપ થશે. તેવું જણાવ્યું હતું, આ ગરીબ માતા પિતાએ તેની દીકરીને સમજાવાની કોશિશ કરી કે, પેટે પાટા બાંધીને જાત મહેનત કરી રૂપિયો કમાયો છે..
અને એ રૂપિયાથી તને શહેરની અંદર સારા અભ્યાસ માટે અમે મોકલી હતી, આ અભ્યાસ મુજબ તને કોઈ સારો નોકરીયાત યુવક લગ્ન માટે પસંદ કરવો જોઈએ એના બદલે તું કોઈ અન્ય યુવકને પ્રેમ કરી બેઠી છે, આ બાબતને તેઓ ક્યારે પણ સ્વીકારશે નહીં. જીવાભાઈ તેની દીકરી મિત્તલના નિર્ણયને લઈને ખૂબ જ દુઃખી હતા..
મિત્તલ અવારનવાર તેના માતા-પિતાને કહેતી કે, જો તેને તેના પ્રેમી સાથે લગ્ન કરાવી દેવામાં નહીં આવે તો તે થોડા જ સમયની અંદર આપઘાત કરીને જીવન ટૂંકાવી દેશે અને ત્યારબાદ તમારે ખૂબ જ હેરાન પરેશાન થવું પડશે, પોતાની દીકરીને આ ધમકીથી ગરીબ માતા-પિતા ખૂબ જ ડરી ગયા હતા. પરંતુ જીવાભાઇએ જ તેની દીકરીને જણાવી દીધું કે, તારે જે નિર્ણય લેવો હોય તે તું લઈ શકે છે..
જો તું તારા પ્રેમી સાથે લગ્ન કરવા ઈચ્છે તો કરી શકે છે, પરંતુ આજ પછી ક્યારેય પણ તું આ ઘરની અંદર પગ મૂકી શકીશ નહીં. અને અમે તારું મોઢું જોવા માટે પણ રાજી નથી, અને જો અમારી મરજી મુજબ તારા લગ્ન થશે તો સૌ કોઈ લોકો હળી મળીને સાથે રહેશે. આ ઘટનાને લઈને ચર્ચા વિચારણાઓ પણ શરૂ થવા લાગી હતી..
જીવાભાઇના અન્ય મોટા ભાઈઓ પણ જીવાભાઈનો સાથ સહકાર આપવા લાગ્યા ગયા હતા અને સૌ કોઈ લોકોએ ભેગા મળીને મિત્રને સમજાવવાની કોશિશ કરી કે, તે જે યુવકને પ્રેમ કરી બેઠી છે. તે યુવક નું ભણતર ખૂબ જ ઓછું છે, અને તેની પાસે કોઈ સારી નોકરી પણ ન હોવાને કારણે ભવિષ્યમાં એક સમયે તેને પોતાના નિર્ણય ઉપર પછતાવાનો વારો પણ આવી શકે છે..
પરંતુ મિતલ કોઈ પણ વ્યક્તિની વાતને સમજી નહીં અને તેને બીજા જ દિવસે સવારમાં આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું હતું, અને દોષનો ટોપલો તેના ગરીબ માતા-પિતા ઉપર ઢોળી નાખ્યો હતો. આ ઘટનાને લઇ ગયો હતો એક બાજુ મોતનો માતમ છવાઈ ગયો હતો બીજી બાજુ મિતલ એ ભરેલા આ હમણાં પગલાં ને લઈને સૌ કોઈ લોકો ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા હતા..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]