જુદાજુદા કારણોસર કેટલાક વ્યક્તિ આપઘાત કરીને જીવન ટૂંકવી દેતા હોય છે. જ્યારે જ્યારે આવી ઘટનાઓ સામે આવે છે. ત્યારે સમાજના સૌ કોઈ લોકોમાં એકાએક ફફળાટ મચી જતો હોય છે કે, આખરે લોકોને એવું તો શું દુખ આવી પડે છે કે, તેવો આપઘાત કરીને જીવન પણ ટૂંકાવે છે…
અત્યારે એક ખેડૂતે એવું પગલું કરી લીધું છે કે, તેના પરિવારમાં મોતનો માતમ મચી ગયો છે. આ મામલો છત્તીસગઢના જસપુર જિલ્લાનો છે. અહીં છછલી ગામની અંદર 26 વર્ષનો ઉજવલ યાદવ તેના બે બાળકો અને તેની પત્ની સાથે રાજી ખુશીથી જીવન જીવતો હતો. તે ગામની સીમમાં રહેલી જમીનમાં મકાઈની ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો..
તેણે પરિવારને અંગત જરૂરિયાત માટે એક વ્યાજખોર પાસેથી ₹40,000 રોકડાવ્યા આજે લીધા હતા. તેણે વિચાર્યું હતું કે, મકાઈના પાકને વેચીને તે જે પૈસા કમાશે તેનાથી આ ₹40,000 નું વ્યાજ અને 40 હજાર રૂપિયા પણ ચૂકવી દેશે. પરંતુ મકાઈના પાકમાં થઈને ખૂબ જ મોટી નુકસાની કરી તેના કારણે તે ખૂબ જ નારાજ થયો..
અને તે વ્યાજના પૈસા ચૂકવવામાં અસમર્થ રહ્યો હતો. જ્યારે વ્યાજના પૈસા પરત આપવાના સમય પાકી ગયા ત્યારે વ્યાજખોરો તેની પાસે આવ્યા અને આ ખેડૂતને ત્રાસ પહોંચાડવા લાગ્યા હતા. અને પૈસાની ઉઘરાણીઓ પણ કરી હતી. વ્યાજખોરોએ ખેડૂત પાસે આવીને કહ્યું કે મને પૈસા જોઈશે નહીં તો તારા ટાંટિયા ભાંગી નાખીશ..
આ ઉપરાંત ઉજવલ યાદવની પત્ની અને તેના બાળકોને પણ હેરાનગતિ પહોંચાડવા લાગ્યા હતા. ઉજવલ યાદવ ખૂબ જ હેરાન પરેશાન હતું તે વ્યાજખોરોને પૈસા આપવા તો માંગતો હતો. પરંતુ હવે તેને કોઈપણ વ્યક્તિ પૈસા આપી શકે તેવી હાલતમાં ન હોવાને કારણે તે ખૂબ જ હતાશ થઈ ગયો..
અને વિચારવા લાગ્યો કે, હવે આખરે તે કોની પાસેથી પૈસા મેળવશે અને ક્યારે અમે આ વ્યાજ પૂરું કરી નાખશે, તે ખૂબ જ દબાણની પરિસ્થિતિમાં ચાલ્યો ગયો હતો. અને એક દિવસ તેને ઘરનો દરવાજો બંધ કરી લટકીને આપઘાત કરી લીધો હતો. તેના બંને બાળકો અને તેની પત્ની ઘરની બહાર હતા.
ત્યારે તેણે આ અવળું પગલું ભરી લીધું હતું. જ્યારે તેઓ પરસ્પર આને લાંબો સમય સુધી દરવાજો ખટખટ આવ્યા બાદ પણ ઉજવલ યાદવે ઘરનો દરવાજો ખોલ્યો નહીં ત્યારે તેની પત્નીએ પાડોશીને મદદ માટે બોલાવ્યા અને પાડોશી એ બારીમાંથી જોવાની કોશિશ કરી તો ઉજવલ યાદવ મૃત હાલતમાં લટકતો જોવા મળ્યો હતો.
બસ આ દ્રશ્ય જોતાની સાથે ઉજવલ યાદવની પત્ની અને તેના બંને બાળકો જોર જોરથી રડવા લાગ્યા હતા. આ ઘટનાની જાણકારી ભંડારપથ ચોકીના પોલીસ અધિકારીઓને મળતાની સાથે જ પોલીસનો કાફલો ત્યાં ઘટના સ્થળે પહોંચી ગયો અને ઉજવળ યાદવના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં મોકલી આપ્યું..
અને ત્યારબાદ તેની લાશને સ્વજનોને પણ સોંપી દેવામાં આવી હતી. જ્યારે આ ઘટના ની પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી ત્યારે પોલીસને જાણકારી મળી કે, વ્યાજખોરના ત્રાસને કારણે ઉજવલ યાદવ ખૂબ જ કંટાળી ગયો હતો. અને તેણે આ અવળું પગલું ભરીને આપઘાત કરી લીધો છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]