Breaking News

‘મને મારો મરેલો દીકરો બોલાવે છે’ કહીને ઘરેથી નીકળેલી મહિલા સાથે થયું એવું કે ઘટનાને ભગવાન પણ રોકી ન શક્યા, કાળજા ધ્રુજાવતો કિસ્સો..!

જે ચીજ વસ્તુઓ કે કોઈ વ્યક્તિ આપણને જીવ કરતાં પણ વધારે વહાલું હોય તેના વગર આપણે ક્યારેય પણ ચલાવી લેતા નથી, દરેક માતાઓને તેમના દીકરા કે દીકરી ખૂબ જ વહાલા હોય છે. અત્યારે એક દીકરાના મૃત્યુ બાદ તેની માતાની એવી હાલત થઈ ગઈ હતી કે, પરિવારને પણ આ સ્થિતિ જોઈને આંખમાંથી આંસુ નીકળી પડતા હતા..

આ બનાવ સીરાસુ ગામનો છે, આ ગામની અંદર સીતાફળિયામાં સંદીપભાઈ નામના યુવક તેની પત્ની આનંદીબેનની સાથે રહે છે, સંદીપભાઈ તેમના ગામના છેવાડે આવેલી એક સુપર સ્ટોરની અંદર કામકાજ કરે છે. જ્યારે તેમની પત્ની ઘરે સીવણ કામકાજ કરીને પરિવારને મદદરૂપ બનતી હતી..

સંદીપભાઈ અને આનંદીબેનના સુખી લગ્નજીવન દરમિયાન તેઓએ એક બાળકને પણ જન્મ આપ્યો હતો, આનંદીબેનનો ચાર વર્ષનો દીકરો રેયાંશ ખૂબ જ બીમાર રહેતો હતો. જન્મતા વેંત જ ડોક્ટરે જણાવી દીધું હતું કે, તમારો દીકરો બિલકુલ અસ્વસ્થ છે. અને ઘણી બધી બીમારીઓને સાથે લઈને તમારો દીકરો જન્મ્યો હોવાને કારણે તે લાંબુ જીવન જીવી શકશે નહીં..

જ્યારથી જ ડોક્ટરએ આ શબ્દ કહ્યા છે, ત્યારથી જ આનંદીબેનની પણ તબિયત ધીમે ધીમે બગડવા લાગી હતી. તેઓ સતત તેમના દીકરાની તબિયતને લઈને ચિંતા હતા, તેમના દીકરાને અમારા દવાખાને લઈ જવો પડતો હતો. આ ઉપરાંત ઘણા બધા ઓપરેશનો પણ કરાવ્યા છતાં પણ તેમની તબિયતમાં કોઈ પણ પ્રકારનો સુધારો દેખાયો નહીં..

એટલા માટે આનંદીબેન ખૂબ જ ડરી ગયા હતા કે, ડોક્ટરના આ શબ્દો સાચા ન પડે તો સારું અને એક દિવસ હકીકતમાં એવું જ થયું ચાર વર્ષના દીકરા રિયાંશનું સવારના સમયે અચાનક જ મોત થઈ ગયું હતું. પથારી વશ બીમાર પડેલા દીકરાનું મૃત્યુ થઈ જતા જ આનંદીબેન માથે તો ફાટી નીકળ્યું હતું..

તેઓ તેમના દીકરાને મૃત્યુના આપઘાતને સહન કરી શક્યા નહીં અને ચક્કર ખાઈને નીચે ધણી પડતા જ બેભાન થઈ ગયા હતા, તો બીજી બાજુ સંદીપભાઈ પણ દુઃખનો આઘાત સહન ન કરી શકતા તેમની પણ તબિયત નાજુક થઈ ગઈ હતી, આ માઠા બનાવને લઈને ગામના ઘણા બધા લોકો તેમના ડેલા પાસે આવી પહોંચ્યા હતા..

એક બાજુ રોક્કળનો માહોલ સર્જાઈ ગયો હતો, તો બીજી બાજુ રિયાંશના માતા પિતા પણ અધમુઆ થઈ ચૂક્યા હતા, રીયાંશના મૃત્યુને લઈને આનંદીબેન એટલા બધા ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા કે, તેઓ રિયાશના મૃત્યુના દસ દિવસ બાદ પણ તેના દીકરાને યાદ કરીને રડવા લાગતા હતા..

આ ઉપરાંત તે વારંવાર કહેતા કે, રિયાંશ તેને સ્વર્ગની અંદર બોલાવી રહ્યો છે. અને મારે જવું પડશે તેમ કહીને તે અવારનવાર ઘરેથી નીકળી પડતા હતા. પરંતુ પરિવારજનો તેને શોધીને ઘરે પરત લાવી આપતા હતા, એક દિવસ બપોરના સમયે આનંદીબેન તેના પતિને કહેવા લાગ્યા કે મને મારો મરેલો દિકરો બોલાવી રહ્યો છે અને મારે જવું પડશે તેમ કહીને તે ઘરેથી નીકળ્યા હતા..

ત્યારબાદ લાંબા સમય સુધી ઘરે પરત ન આવતા સૌ કોઈ લોકો શોધખોળે ચડી ગયા હતા. ગામના વિસ્તારના આસપાસના એરિયામાં ઘણી બધી જગ્યાએ તેમની શોધખોળ કરવામાં આવી પરંતુ ક્યાંયથી આનંદીબેનનો અતો પતો મળ્યો નહીં, અંતે પોલીસની પણ મદદ લેવામાં આવી હતી..

પોલીસે જ્યારે તપાસ શરૂ કરી ત્યારે ખબર પડી કે, પરાસુ ગામથી થોડે દૂર આવેલા જતીયાળા ગામમાં એક ખેતરની અંદર કુવામાંથી આનંદીબેનની લાશ મળી આવી છે. આ લાશને જોતા જ ભલભલા લોકો ડોળા ફાડીને જોતા રહી ગયા હતા, તો બીજી બાજુ સંદીપભાઈના પણ હોશ છૂટી ગયા કારણ કે, તેમને તેમની પત્નીના શબ્દો સતત કાનમાં સંભળાઈ રહ્યા હતા કે, મને મારો મરેલો દિકરો બોલાવી રહ્યો છે..

અને મારે જવું પડશે અને આ શબ્દો મુજબ આનંદીબેન પણ મૃત્યુ પામ્યા હતા, આ ચમત્કારિક બનાવને લઈને ખુદ ભગવાન પણ આ ઘટનાને રોકી શક્યા નહીં, આ કાળજા ધ્રુજાવતો કિસ્સો જ્યારે સામે આવ્યો ત્યારે ગામમાં પણ ફફડાટનો માહોલ સર્જાઈ ગયો હતો, કેટલાક લોકો આ ઘટનાને ચમત્કારિક દર્શાવી રહ્યા છે..

જ્યારે કેટલાક લોકો કહી રહ્યા છે કે, આનંદીબેનનું મૃત્યુ કેવી રીતે થયું છે તેની તપાસ થવી જોઈએ, કારણ કે તેમનો દીકરો તો બીમારીના કારણે મૃત્યુ પામ્યો છે. પરંતુ આનંદીબેનને કોઈ વ્યક્તિએ ધક્કો મારીને કૂવામાં ધકેલી દીધા હોય તેવું પણ બની શકે છે. એટલા માટે જરૂરી તપાસ પણ થવી જોઈએ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *