જો સમગ્ર પરિવારની સાથે રાજી ખુશીથી અને આનંદભાઈ રીતે જીવન જીવવું હોય તો દરેક વ્યક્તિની અંદરની સમજણ શક્તિ ખૂબ જ વધારે હોવી જરૂરી છે, જો સમજનો અભાવ દેખાઈ અને એકબીજા પ્રત્યે અણગમો દેખાઈ આવતો હોય તો એવા પરિવારની અંદર ક્યારેય પણ કોઈ વ્યક્તિ સુખ શાંતિથી જીવન જીવી શકતું નથી..
એવામાં પણ હવેના સમયમાં તો એવા કિસ્સાઓ પણ સામે આવી ચૂક્યા છે કે, પરિવારની અંદર દીકરા કે દીકરીઓના લગ્ન થયા બાદ પરિવારની દશા બગડી જતી હોય છે. અત્યારે પણ કંઈક એવી જ ઘટના બની જવા પામી છે કે, જેમાં પરિવારના લાડકવાયા દીકરાના લગ્ન બાદ ઘરની એવી દશા બેસી ગઈ હતી કે સમગ્ર ઘર હેરાન પરેશાન થઈ ગયું હતું..
કારણ કે પરિવારમાં આવેલી નવી વહુ પોતાના હિસાબે સમગ્ર પરિવારના લોકોને નચાવી રહી હતી અને જો તેની માંગણી પૂરી કરવામાં ન આવે તો તે છૂટાછેડા આપવાની તેમજ પરિવારને બદનામ કરવાની ધમકીઓ પણ દેતી હતી, બિચારો પરિવાર હેરાન પરેશાન થઈ ગયો હતો હકીકતમાં ઘટના રમણલાલના પરિવાર સાથે બની છે..
રમણલાલના પરિવારમાં તેમનો એક દીકરો દુર્ગેશ, દુર્ગેશની માતા મંજુલા તેમજ દુર્ગેશની પત્ની રાધિકાનો સમાવેશ થતો હતો, દુર્ગેશના લગ્નની ઉંમર થતાની સાથે જ રમણલાલભાઈએ તેમના દીકરા માટે સારી કન્યા શોધવાનું શરૂ કર્યું હતું અને એ સમય દરમિયાન તેઓએ તેમના દીકરાને લગ્ન રાધિકા નામની વ્યક્તિ સાથે નક્કી કર્યા હતા..
ધામધૂમથી રાધિકા અને દુર્ગેશના લગ્ન પણ કરાવ્યા હતા, લગ્નના સમય દરમિયાન તો બધું જ ખૂબ જ વ્યવસ્થિત અને સરસ રીતે ચાલી રહ્યું હતું. પરંતુ લગ્ન બાદ રાધિકા ધીમે ધીમે પોતાનો અસલી રંગ પરિવારના દરેક લોકોને દેખાડવા લાગી હતી, તે સવારનો સમય ઘરેથી નીકળી જતી અને મોડી રાત્રે ઘરે પરત કરતી હતી..
કેટલીક વખત તો તે રાત્રિના સમયે પણ ઘર મૂકીને બહાર અન્ય વ્યક્તિની સાથે ફરવા લાગતી હતી, આ તમામ બાબતોથી દુર્ગેશ પણ જાણકાર હતો, પરંતુ જો દુર્ગેશની પત્નીને કોઈપણ વાતની મનાઈ ફરમાવે તો તેની પત્ની તેને છુટાછેડા આપી દેવાની ધમકી આપતી હતી, એટલા માટે બિચારો દુર્ગેશ આ તમામ મહેનત કરતી સહન કરી રહ્યો હતો..
દુર્ગેશને જેવી તેવી માહિતીઓ મળી હતી કે તેની પત્ની રાધિકા અન્ય કોઈ વ્યક્તિના પ્રેમ સંબંધ સાથે જોડાયેલી છે અને રાધિકાનો પ્રેમી ખૂબ જ મોટો પૈસાદાર વ્યક્તિ છે, તેને ખૂબ જ વૈભવશાળી જીવન જીવાડી રહ્યો છે અને મોજ મજા માણી રહ્યો છે. થોડા સમય બાદ રાધિકાએ એક દિવસ તેના પરિવારના દરેક લોકોને જણાવ્યું હતું કે તે તેના બે મહિના માટે પિયરે રહેવા જવા ઈચ્છે છે..
આ વાત સાંભળતાની સાથે દુર્ગેશ સમજી ચૂક્યો હતો કે, રાધિકા તેના પરંતુ તેના પ્રેમી સાથે બે મહિના વિતાવવા માંગી રહી છે. પરંતુ તે પરિવારના દરેક લોકોની સામે પિયરે જવાનું બહાનું બનાવીને ઘરેથી નીકળી જવા માંગે છે, એટલા માટે દુર્ગેશે તેની પત્નીને જવા દેવાની મનાઈ ફરમાવી હતી..
આ મનાઈ સાંભળતાની સાથે જ રાધિકા ખૂબ જ ગુસ્સે ભરાઈ ગઈ અને પરિવારના દરેક સભ્યોને ખૂબ જ અપશબ્દો પણ કહેવા લાગી હતી અને કહ્યું કે જો મને મારા પિયરે નહીં જવા દો તો હું દવા પીઈને મરી જઈશ તેમજ તમારા પરિવારને હું બદનામ કરી નાખીશ ત્યારબાદ તમે કોર્ટ કચેરીના ધક્કા ખાતા થઈ જશો..
આ ધમકીઓ સાંભળીને રમણલાલભાઈ તેમજ મંજુલાબેન તો મૂંઝાઈ ગયા હતા, પરંતુ તેની પત્નીને જવા દેવાની સખત મનાઈ ફરમાવી દીધી હતી અને કહ્યું કે તારે દવા પીઈને મરી જવું હોય તો પણ મરી જજે પરંતુ તને હવે આ ઘરની બહાર જવા દેવાની નથી કારણ કે, હું તારી તમામ અસલીયત જાણું છું..
અંતે એવા શબ્દો કહ્યા હતા કે, જે જાણતાની સાથે જ દરેક લોકોના હોશ ઉડી ગયા હતા, દુર્ગેશે સૌપ્રથમ તો રાધિકાના માતા-પિતાને પણ તેના ઘરે બોલાવી લીધા હતા. આ સાથે પરિવારના અન્ય સભ્યોને પણ પોતાના ઘરે એકઠા કરીને તેને દરેક લોકોની સામે જ રાધિકાની પોલ ખોલી નાખી હતી કે, રાધિકા ખૂબ જ પૈસાદાર વ્યક્તિની સાથે પ્રેમ સંબંધમાં જોડાયેલી છે..
અને તેની સાથે તે હંમેશા જીવન વિતાવી રહી છે અને પરિવારને ચકમો આપી રહી છે, આવી પત્નીની સાથે હું જીવન જીવવા માંગતો નથી મહેરબાની કરીને મને છૂટાછેડા આપી દેજે અને તું તારે પણ જઈ શકે છે, અને તેઓ મોઢામાંથી બોલવા લાગ્યા કે અત્યારના સમયમાં કોઈ પણ વ્યક્તિ ઉપર વિશ્વાસ ખૂબ જ અઘરો છે..
કારણ કે કયો વ્યક્તિ આગળના સમયની અંદર કેવો સાબિત થશે તેની કોઈ વ્યક્તિને ખબર હોતી નથી, અત્યારે તો તેમને તેમની જ દીકરીએ ખૂબ જ મોટો દગો આપ્યો હતો. આવા ઘણા બધા કિસ્સાઓ રોજબરોજના સમયમાં આપણી નજર સામેથી પસાર થતા હોય છે. જેને જાણ્યા બાદ આપણે મૂંઝવણમાં મુકાઈ જતા હોઈએ છીએ અત્યારે આવો જ બનાવો રમણલાલના પરિવાર સાથે બન્યો છે, અને તેમના પરિવાર ના દરેક સભ્યો ખૂબ જ મોટી મંજવાળમાં મુકાઈ ગયા હતા..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]