આધુનિક સમયમાં સમાજની મહિલા અને દીકરીઓ સાથે અત્યાચાર અને માનસિક ત્રાસએ કારણે બનાવો ખૂબ જ બની રહ્યા છે, અવારનવાર આવા બનાવો સામે આવતા તેમના પરિવારજનો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના ઉજ્જૈનમાં બની હતી.
એક પરિવારની દીકરીએ ઘણો બધો માનસિક ત્રાસ સહન કર્યા બાદ તેને પોતાનું સાથે ગંભીર દુર્ઘટના ઘડી નાખી હતી. ઉજ્જૈનમાં ઘાટિયા વિસ્તારની પાસે આવેલા બિછોડ ગામની રહેવાસી દીકરીએ આવું ગંભીર પગલું ભરી લીધું, દીકરીનું નામ ચાંદની હતું. ચાંદની તેના માતા પિતા સાથે રહેતી હતી. ચાંદનીના પિતાનું નામ રમેશભાઈ હતું.
ચાંદની તેના માતા-પિતા સાથે ખૂબ જ ખુશીથી રહેતી હતી. ચાંદની તેના માતા-પિતાની લાડકી દીકરી હોવાને કારણે તેને માતા-પિતા ખૂબ જ સારી રીતે સાચવતા હતા અને તેમની દરેક જરૂરિયાતને પૂરી કરતા હતા. ચાંદની એક દિવસ તેના પરિવાર સાથે સાંજના સમયે બેસીને જમી હતી. ત્યારબાદ પરિવારના માતા-પિતા તેની રૂમમાં સુવા જતા રહ્યા હતા.
અને ચાંદની પણ તેમના રૂમમાં આવતી રહી હતી, ત્યારબાદ અચાનક જ રાતે તેના પિતાના ફોનમાં ઘંટડી વાગતા પિતાને તેમના સંબંધો કોઈ એવી વાત જણાવી કે પિતા ત્યાંને ત્યાં જ ધ્રુજવા લાગ્યા હતા અને તે તરત જ દોડીને જ ચાંદનીના રૂમ તરફ જવા લાગ્યા હતા. તેની પાછળ પાછળ તેની માતા પણ દોડી હતી.
ચાંદનીના રૂમમાં જઈને દરવાજો ખોલીને પિતાએ જોયું તો માતા પિતા ત્યાં ને ત્યાં ઢળી પડ્યા હતા. ચાંદનીએ લટકીને આપઘાત કરી લીધો હતો અને તેણે અંતિમ ચિઠ્ઠી પણ લખી હતી. આ અંતિમ ચિઠ્ઠી તેણે લખી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. જેના કારણે બીજા સંબંધી લોકોને આ વાતની જાણ થતા તેના પિતાને ફોન કરીને જણાવ્યું હતું.
પરંતુ ચાંદની આ પગલું શા માટે ભર્યું તેમ કહીને પિતા ખૂબ જ રડી રહ્યા હતા. ત્યારબાદ પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસઘટના સ્થળે પહોંચી હતી અને ચાંદની એ સોશિયલ મીડિયામાં મૂકેલી પોસ્ટ વાંચતા જ માતા પિતા અને પોલીસ ચોકી ગયા હતા ચાંદનીએ અંતિમ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, “હું આ પગલું પ્રતાપ નામના છોકરાને કારણે ભરી રહી છું, હું આપઘાત કરૂ છું,
એમાં મારા પરિવારનો કોઈ દોષ નથી, એ પ્રતાપ નામનો છોકરો મને હેરાન કરે છે અને તે મને શાંતિથી જીવવા દેતો નથી, તેથી હું મારો જીવ આપી રહી છું, હવે મારે જીવવું નથી, મારા મૃત્યુ પછી પ્રતાપને કડક સજા થાય તેવી હું અપીલ કરું છું અને મને હેરાન કરનારને કડકમાં કડક સજા આપજો” તેમ કહીને તેને આ ચિઠ્ઠી પોસ્ટમાં મૂકી હતી.
માતા પિતાને પણ પ્રતાપ નામના છોકરા હેરાન કરવા જાણ ન હતી પરંતુ પિતાનું કહેવું હતું કે ચાંદની છેલ્લા ઘણા દિવસથી માનસિક રીતે પરેશાન રહેતી હતી પોલીસના ઘટનાની જાણ કરતા પોલીસે તમામ તપાસ હાથ ધરી હતી અને ચાંદનીના મૃતદેહને પણ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો. પોલીસ આગળની તપાસ કરી રહી હતી. આજકાલ બીજા લોકોના ત્રાસને કારણે લોકો કંટાળીને પોતાનો જીવ ગુમાવી રહ્યા છે, જેને કારણે તેઓ પોતાના પરિવારથી દુર થઈ રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]