આજના સમયમાં રસ્તા પર જતા એવા ચોકાવનારા કિસ્સાઓ જોવા મળે છે, જેમાં ઘણા બધા વ્યક્તિઓને પોતાના જીવ ગુમાવતા પણ જોવા મળે છે. મોટાભાગે એક જ પરિવારના લોકો એકસાથે પોતાના વાહનમાં બેસીને મુસાફરી કરી રહ્યા હોય છે પરંતુ પરિવારના લોકોને ખબર નથી હોતી કે ક્યારે તેની સાથે કઈ ઘટના બની જશે.
આવી એક કરુણ ઘટના હાલમાં સામે આવી છે. આ ઘટના તમિલનાડુમાં બની છે. તમિલનાડુના આંતરરાજ્ય સરહદ નજીક આવેલા કેરલના ઈડુકલકીમાં કુમાલી નજીક એક ભયાનક દુર્ઘટના સર્જાઈ ગઈ હતી. એક કારમાં બેઠેલા લોકો થેની-એંડિપેટ્ટીના રહેવાસી હતા. તેઓ થેનીથી પરત ફરી રહ્યા હતા. કારમાં બેઠેલા લોકો શબરીમલા મંદિરે દર્શન કરવા માટે ગયા હતા.
એક કારમાં એક જ પરિવારના બધા સભ્યો અને તેમના આસપાસના લોકો પણ બેઠા હતા. કારમાં બેઠેલા લોકો દર્શન કરીને પરત પોતાના ઘરે આવી રહ્યા હતા. કારમાં બાળકોથી લઈને વૃદ્ધ સુધીના વ્યક્તિઓ બેઠા હતા. પરત આવતા સમયે કાર કુમિલી-કુંબમ માર્ગ પર પહોંચી ત્યાં તે સમયે અચાનક જ કાર ચલાવી રહેલા યુવકને ઊંઘનું જોકું આવી ગયું હતું.
અને ચાલકે કાર પરનું કાબુ ગુમાવ્યું હતું. અચાનક કાબૂ ગુમાવતા કાર બેકાબુ બનીને તમિલનાડુને પાણી પહોંચાડતી મોટી પેન્ટસ્ટોક પાઇપ સાથે કાર અથડાઈ હતી. માર્ગ પર આવેલી પાઇપ સાથે આ કાર અથડાતાની સાથે જ કાર ઉછળી ગઈ અને બાજુમાં આવેલી ખીણમાં જઈને પડી હતી. રોડની બાજુમાં ઘણી ઊંડી ખીણ હતી.
જેના કારણે કાર પાઇપ સાથે અથડાતાની સાથે જ ફંગળાઈને ખીણમાં જતી રહી હતી. આ ખીણમાં કાર 40 ફૂટ ઊંડી ગઈ હતી. આકાર પાઈપ સાથે અથડાતા ખૂબ જ ભયાનક અવાજ આવ્યો અને આસપાસથી પસાર થતા મુસાફરોએ પણ આ કારને ખીણમાં જતા જોઈ જેના કારણે તરત જ પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.
પોલીસ પણ તરત જ ઘટના સ્થળે પહોંચી અને દરેક મુસાફરને બચાવવા માટે ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું હતું. તે સમયે કાનની શોધખોળ કરતા ધીમે ધીમે દરેક પોલીસ કર્મચારીઓ નીચે પહોંચ્યા હતા. 40 ફૂટ નીચે જતા કાર દેખાઈ હતી. કારમાં લોકો ખૂબ જ ખરાબ રીતે ફસાઈ ગયા હતા અને દરેક લોકોને કારમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
શબરી મલામ તીર્થયાત્રાની મોજ કરીને આવેલા મુસાફરો તેમના ઘરે પહોંચે તે પહેલા તેની સાથે આ ઘટના બની ગઈ હતી. દરેક લોકોને કારમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા પરંતુ કારમાંથી બહાર કાઢતા સમયે ઘણા લોકો ગાડીમાં દબાયેલા હતા. જેને બહાર કાઢવામાં આવ્યા હતા. તરત જ એમ્બ્યુલન્સને પણ ફોન કરી દેવામાં આવ્યો હતો.
જેના કારણે એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી અને ઈજાગ્રસ્ત થયેલા લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ એકસાથે આઠ શ્રદ્ધાળુઓના મૃત્યુ ઘટના સ્થળે થઈ જતા લોકોમાં હાહાકાર મચી ગયો હતો. એકસાથે 8 મૃતદેહને જોઈને સ્થાનિક લોકો પણ ગભરાઈ ગયા હતા. દરેકના પરિવારના લોકોને પણ પોલીસે જાણ કરી હતી.
પરિવારના લોકો તેમના ઘરે આવવાની રાહ જોઈ રહ્યા હતા પરંતુ અચાનક આવો કરુણ અકસ્માત સર્જાઈ જતા એકસાથે 8 વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. પોલીસ આગળની તપાસ કરી રહી હતી. આવા બનાવો ખૂબ જ બની રહ્યા છે. એક વ્યક્તિની ભૂલને કારણે ઘણા બધા નિર્દોષ વ્યક્તિઓ પોતાના જીવ ગુમાવી બેસે છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]