સુખ ચેનથી જીવન જીવતા વ્યક્તિ સાથે અમુક વખત અચાનક જ કાળ ત્રાટકી જતો હોય છે, તેમજ કયા વ્યક્તિ સાથે અશુભ ઘટના બની જાય તેનું નક્કી કહેવાતું નથી, હાલ માત્ર નવ વર્ષના દીકરા સાથે એવી ઘટના બની ચૂકી કે, બિચારાનો રિબાઈ રિબાઈને જીવ ચાલ્યો ગયો હતો, અને તેના માતા-પિતા જોતાને જોતા જ રહી ગયા કે, તેમના દીકરાને શું થયું છે..
બીજી બાજુ તેના દીકરાનો શ્વાસ અટકી જવાને કારણે મા બાપ દોડતા થઈ ગયા હતા, આ બનાવ હિંમત પાર્ક કોલોની પાસે આવેલી રંગનાથ સોસાયટીનો છે. આ સોસાયટીની અંદર રહેતા વિશ્વાસભાઈ નામના એક વ્યાપારીના એકના એક લાડકા નવ વર્ષના દીકરા સાથે ખૂબ જ વિચિત્ર ઘટના બની છે..
વિશ્વાસ તેમની પત્ની અનિતાબેન અને તેમના નવ વર્ષના દીકરા લક્ષની સાથે જીવન ગુજારે છે, લાડકો દીકરો લક્ષ બપોર પછીના સમયે તેની માતા પાસે જઈને નાસ્તો કરવા માટે ચીજ વસ્તુ માંગી રહ્યો હતો. ત્યારે અનિતા બેને તેના દીકરાને મમરાનો ચેવડો ખાવા માટે આપ્યો હતો. લક્ષ સોફા ઉપર બેસીને મમરાનો ચેવડો ખાઈ રહ્યો હતો..
ત્યારે અચાનક જ તેની સાથે એવી ઘટના બની ગઈ કે, બિચારાનો જીવ ચાલ્યો ગયો હતો. લક્ષ જ્યારે મમરાનો ચેવડો ખાઈ રહ્યો હતો, ત્યારે ચેવડામાં રહેલા સીંગદાણાને તેણે એકઠા કરી રાખ્યા અને ત્યારબાદ એક પછી એક સીંગદાણા તે હવામાં ઉછાળીને પોતાના મોઢા ની અંદર મૂકી રહ્યો હતો..
એ વખતે આ સીંગદાણો ગળાની અંદરથી તેની શ્વાસનળીની અંદર સલવાઈ ગયો હતો, આ સીંગદાણો સલવાઈ જતાની સાથે જ તેને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી ગઈ અને તેને ધીમે ધીમે પરસેવો પણ મળવા લાગ્યો હતો. નવ વર્ષનો આ દીકરો વિચારવા લાગ્યો કે, આ સીંગદાણો તેના ગળામાં ફસાઈ ગયો છે..
જો આ વાતની જાણકારી તે તેની માતાને કરશે તો તેની માતા સીંગદાણાને હવામાં ઉછાળીને ખાવા બદલ તેને ઠપકો આપશે, એટલા માટે તેણે તેની માતાને કશું કહ્યું નહીં અને પાણીના કોગળા કરીને ગળામાં ફસાયેલા આ સીંગદાણાને બહાર કાઢવાની કોશિશ કરતો હતો. બિચારા દીકરાને એવી તો શી ખબર કે, આ સીંગદાણો તેના ગળામાં નહીં પરંતુ તેની શ્વાસનળીમાં અટકી ગયો છે..
ધીમે ધીમે તેની તબિયત તકલી બધી નાજુક થઈ ગઈ કે, તે ચક્કર ખાઈને નીચે ઢળી પડ્યો હતો. જ્યારે અનિતાબેન રસોડામાંથી સોફા પાસે આવ્યા અને પોતાના દીકરાને ઢળેલી હાલતમાં જોયો ત્યારે તેઓના હોશ છૂટી ગયા હતા, તેઓએ તરત જ બૂમ મારીને આસપાસના પડોશીઓને પણ પોતાને ઘરે બોલાવ્યા અને ત્યારબાદ લક્ષને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યો હતો..
ત્યાં ડોક્ટરે જણાવ્યું કે, લક્ષનો શ્વાસ અટકી ગયો છે, અને આ માટે તેને મોટી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવું પડશે. પરંતુ જ્યાં સુધી સારવાર માટે પહોંચાડવામાં આવે ત્યાં સુધીમાં તો લક્ષનું કમ કમાટી ભર્યું મૃત્યુ થઈ ગયું હતું, માતા-પિતા ઊંડા વિચારમાં મુકાઈ ગયા હતા કે તેમનો હસતો ખેલતો દીકરો પાંચ મિનિટ પહેલા સોફ્ટવેર બેસીને ચેવડો ખાતો હતો..
અને તેને શું થયું કે, તેનું અચાનક જ મૃત્યુ થઈ ગયું હતું. જ્યારે મોટી હોસ્પિટલને તપાસ માટે પહોંચે ત્યારે ડોક્ટરે જણાવ્યું કે, તેની શ્વાસનળીની અંદર એક સીંગદાણા સલવાઈ ગયો છે. અને તેના કારણે તેનો શ્વાસ અટકી જવાથી તેનું કમિટી ભર્યું મૃત્યુ થયું છે, ક્યારે વિચાર્યું પણ ન હોય તેવી બાબતને લઈને માત્ર નવ વર્ષના આ લાડકવાયા દીકરાનું મૃત્યુ થઈ જતા માતા પિતા નો જીવ અધ્ધર થઈ ગયો હતો..
લક્ષની માતા અનિતા તો દુઃખની આ ઘડીને સહન કરી શકી નહીં તેને પણ હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ આવી પડી હતી તો બીજી બાજુ વિશ્વાસ ભાઈ તેમના એકના એક દીકરાના મૃત્યુને લઈને ખૂબ જ ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા હતા, આસપાસના પડોશીઓની સાથે વિશ્વાસ ભાઈના માતા-પિતા પણ ગામડેથી આવી પહોંચ્યા અને લક્ષ અંતિમવિધિ ની કામગીરીઓ શરૂ કરવામાં આવી હતી..
આ અગાઉ પણ એક વટાણાનો દાણો સાત વર્ષના એક દીકરાના ગળામાં ફસાઈ ગયા બાદ શ્વાસનળીની અંદર પણ શ્વાસ અટકાતા તેનું મૃત્યુ થઈ ચૂક્યું તેનો બનાવ સામે આવી ચૂક્યો છે અને અત્યારે વધુ એક બનાવ ઉમેરાઈ જતા ચારેકોર ચકચાર મચી જવા પામ્યો છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]