ક્યારેક કોની સાથે કઈ ઘટના બની જાય છે તે કહી શકાતું નથી. અવારનવાર દરેક વિસ્તારોમાંથી એવા ચોકાવનારા કિસ્સાઓ સામે આવતા હોય છે અને તેમાં પણ હાલમાં ઉતરાયણનો તહેવાર રહેતાં ઘણા બધા વ્યક્તિઓએ પતંગની દોરીના કારણે જીવ ગુમાવ્યા છે જેમાં હાલમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.
આ કિસ્સો સુરત શહેરમાં કામરેજ વિસ્તારમાં બન્યો છે. સુરતના કામરેજ ચાર રસ્તા પાસે યુવક પોતાની બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો. આ યુવક જુનાગઢ જિલ્લાનો રહેવાસી હતો પરંતુ તે નનસાડ ગામમાં તેના મામાને ત્યાં રહેવા આવ્યો હતો. યુવકનું નામ રાઠોડ સંજય કરશનભાઈ હતું.
ઉતરાયણના દિવસે સંજયભાઈ પોતાના મામાના ઘરેથી કામરેજ ચાર રસ્તા પાસે બાઈક લઈને આટો મારવા માટે નીકળ્યા હતા. મામાના ઘરે તેઓ ખૂબ જ ખુશીથી ઉત્તરાયણ કરવા માટે આવ્યા હતા. ઉતરાયણનો તહેવારમાં રજા હોવાને કારણે તેમના મામાના પરિવારને મળવા આવ્યા હતા.
તે સમયે તેઓ પોતાના મામાના ઘરેથી બાઈક લઈને કામરેજ ચાર રસ્તા પાસે આટો મારવા માટે જઈ રહ્યા હતા તે સમયે અચાનક જ પતંગની દોરી તેમની પાસેથી પસાર થઈ હતી અને પતંગની દોરી ગળાના ભાગ પરથી પસાર થતા ગળામાં આ દોરી ભરાઈ ગઈ હતી અને તેઓની બાઈક ચાલુ હોવાને કારણે દોરીની સાથે સાથે તેનું ગળું પણ ઘસાયું હતું.
અને દોરી ગળામાં વાગી જવાને કારણે અચાનક જ તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. સંજયભાઈ ને ઇજાગ્રસ્ત હાલતમાં જોઈને તરત જ આસપાસના વાહન ચાલુ કોઈ પોતાના વાહનો મૂકીને સંજયભાઈને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાની કામગીરી હાથ ધરી હતી પરંતુ તેને ખૂબ જ વધારે દોરી વાગી ગઈ હતી અને ગળાની નસો કપાઈ ગઈ હતી.
જેના કારણે ઘટના સ્થળે તેમનું મૃત્યુ થઈ ગયું હતું, ત્યારબાદ સંજયભાઈ નામ પરિવારના લોકોને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી, પરંતુ તે પોતાના મામાના ઘરે રહેવા આવ્યા હોવાને કારણે મામાના પરિવારના લોકો તરત જ કામરેજ ચાર રસ્તા પાસે પહોંચી ગયા હતા. અને સંજયભાઈને તેઓ આ હાલતમાં જોઈને રડતી હાલતમાં ઢળી પડ્યા હતા.
મામાના ઘરે ઉતરાયણ કરવા આવેલા તેમના ભાણીયા સાથે આવી ઘટના બની જતા પરિવારના લોકો આવી ગયા હતા. ઉતરાયણને કારણે એક નહીં પરંતુ ઘણા બધા વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે અને તેઓ પોતાના પરિવારથી દૂર થયા છે, જે લોકોના આવા કરુણ મૃત્યુ થયા છે તેમના પરિવાર માટે ઉતરાયણ હંમેશા માટે યાદગાર બની ગઈ છે…
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]