પરિવારના અંદરો અંદરના સભ્યો જ આજકાલ એવી ઘટના સાથે સંકળાયેલા જતા હોય છે કે, સમાજમાં ભારે શરમજનક પરિસ્થિતિ સહન કરવાનો વારો આવતો હોય છે. અત્યારે ઘણા બધા મા-બાપ પોતાના દીકરા કે દીકરીની કાળી કરતુંતો ને કારણે ખૂબ જ મોટું અપમાન સહન કરતા હોય છે..
જ્યારે ઘણા બધા માતા-પિતા પોતાના દીકરા અને દીકરીની હોશિયારી અને બહાદુરીને કારણે આગવું નામ અને ખૂબ જ મોટું માન સન્માન પણ પ્રાપ્ત કરતા હોય છે. વિનોદકુમાર નામના એક વ્યક્તિએ તેની પત્ની સાથે મળીને આપઘાત કરી લીધો હતો. જ્યારે આ મામલો સામે આવ્યો ત્યારે તેની તપાસ પણ ચલાવવામાં આવી હતી.
વિનોદકુમાર અને તેની પત્ની અસ્મિતા બંને આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું હતું. તેનો એકમાત્ર કારણ તેનો દીકરો હતો. અસ્મિતાબેનનો દીકરો રોનક તેના સગા ફઈની ભાણકી પ્રિયલને ભગાવીને લઈ ગયો હતો. પ્રિયલ થોડા થોડા સમયે પોતાના મામાના ઘરે રહેવા માટે આવતી હતી..
ત્યારે રોનકને પોતાના જ ફઈની ભાણકી પ્રિયલ ઉપર પ્રેમ ઉભરાઈ આવ્યો અને તેણે પ્રિયલને જણાવ્યું હતું કે, તે તેને ખૂબ જ પ્રેમ કરે છે. પરંતુ પ્રિયલએ કહ્યું કે, સંબંધમાં તે તેના મામાનો છોકરો છે. અને ક્યારેય પણ સમાજના લોકો તેના આ પ્રેમ સંબંધને અપનાવશે નહીં. તેમ જ પ્રિયલ પણ રોનકને પસંદ કરતી નથી, તેમ કહીને પ્રિયલે આ વાતને અહીં ટાળી દીધી હતી..
પરંતુ રોનક પ્રિયલને એટલો બધો પ્રેમ કરી બેઠો હતો કે, તે પ્રિયલ માટે કોઈપણ પગલું ભરવા માટે તૈયાર થઈ ગયો હતો અને એક દિવસ તેણે મરજી વિરુદ્ધ પ્રિયલને પોતાની સાથે લઈને ભગાડી ગયો હતો. જ્યારે પ્રિયલ અને રોનક બંને ઘરેથી બે દિવસ સુધી ગાયબ હતા. ત્યારે પરિવારજનો શોધ ખોળ કરી રહ્યા હતા..
રોનકના મિત્રો તેમજ સ્નેહીજનોને પણ ફોન કરીને જાણકારી આપવામાં આવી કે, જો પ્રિયલ અને રોનકની ભાળ મળે તો તાત્કાલિક ધોરણે તેમને જાણ કરવામાં આવે પરંતુ કોઈ પણ વ્યક્તિ તરફથી આ બંને વ્યક્તિની જાણ મળી નહીં અને અચાનક જ ચાર દિવસ પછી સાંજના 10:00 વાગ્યા આસપાસ રોનકે પોતાના પિતા વિનોદકુમાર ને ફોન કરીને જણાવ્યું હતું કે, તે પ્રિયલ ને ખૂબ જ પ્રેમ કરે છે..
અને તેની સાથે જ લગ્ન કરીને આખી જિંદગી વિતાવવા માંગે છે. અને હવે તે ક્યારેય પણ પોતાના ઘરે પરત આવશે નહીં, પ્રિયલ અત્યારે મારી જ સાથે છે અને હવે હું પ્રિયલને જ પરણીશ, પ્રિયલ મારી સાથે લગ્ન કરવા માંગતી નથી. પરંતુ હું ગમે તેમ કરીને તેને મનાવી લઈશ. હવે તમે લોકો ક્યારેય પણ મારી અને પ્રિયલની રાહ જોતા નહીં કારણ કે અમે ક્યારેય પણ પરિવારમાં પરત આવવાના નથી..
હવે અમારી રીતે જિંદગી જીવીશું અને અમારી રીતે જ મરી જઈશું. જ્યારે વિનોદકુમારને અસ્મિતાબેનએ પોતાના દીકરાના મોઢેથી આ શબ્દો સાંભળ્યા ત્યારે તેમને ખૂબ જ ખોટું લાગી આવ્યું હતું અને વિચારમાં માંડ્યા કે આખરે તેમના સંસ્કારમાં એવી તો શી ભૂલ રહી ગઈ હશે કે, તે એનો દીકરો તેના સગા ફઈની ભાણકીને ભગાડીને લઈ ગયો છે..
અને તેની મરજી વિરુદ્ધ તેની સાથે લગ્ન કરવાની જીદ પણ ચડી ગયો હતો. આ બંને વ્યક્તિ ક્યાં છે..? તેમજ કેવી હાલતમાં છે..? તેની કોઈ પણ જાણકારી મળી નહીં. પરંતુ આ વાત વાયુ વેગે સૌ કોઈ લોકોમાં ફેલાઈ ગઈ હતી. સગા સંબંધીઓના પણ ફોન આવવા મંડ્યા કે શું તમે તમારા દીકરાને સંસ્કાર આપ્યા નથી કે શું..?
વગેરે જેવી ઘટનાઓ બનવા લાગી હતી વિનોદ કુમાર અને અસ્મિતાબેન ને વિચાર્યું કે તેમના આ દીકરાએ તેમના માટે માન સન્માનને ધૂળમાં મેળવી દીધું છે. હવે જીવીને કોઈપણ કામ નથી એટલા માટે બંને ઝેરી દવા પીને આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધો હતું. જ્યારે આ ઘટનાના સમાચાર વાયુ એ ઉડતા ઉડતા રોનક સુધી પહોંચ્યા ત્યારે તે તાબડતો પ્રિયલ ને લઈને પોતાના ઘરે હાજર થઈ ગયો હતો..
પરંતુ ત્યાં સુધીમાં તો તેના માતા-પિતાએ જીવ ગુમાવી દીધો હતો. એક દીકરાની આ કરતો તેને કારણે એક માતા પિતાએ જીવન ગુમાવ્યું હતું. હકીકતમાં જ્યારે જ્યારે પણ આવી ઘટનાઓ સામે આવે છે, ત્યારે સામાન્ય લોકો માથા પકડીને વિચારમાં મજબૂર બને છે કે, આખરે આવા લોકોની બુદ્ધિ શા માટે બહેર મારી જાય છે કે તેઓ તેમના મા બાપનું પણ સાંભળતા નથી..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]