આજકાલના સમયમાં એવી ઘટનાઓ બનવા લાગી છે કે, જેને સાંભળ્યા બાદ આપણું મગજ કામ કરતું બંધ થઈ જતું હોય છે. તેમજ પરિવારજનો રોડે ચડી જતા હોય છે. હાલ એવી જ એક ચોંકાવનારી ઘટનાએ લોકોને વિચારવા પર મજબુર કરી દીધા છે. આ ઘટના જીવરાજનગર ગામમાંથી સામે આવી છે..
અહીં એવી ઘટના બની ચૂકી છે કે જેને બાદ સમાજના દરેક લોકો યુવકના પરિવારજનોને ન કહેવાના શબ્દો પણ કહેવા લાગ્યા હતા. આ ગામની અંદર રહેતા ગોરધનદાસ નામાના વ્યક્તિના દીકરા રોહિતે ખૂબ જ ખોટું કામ કરી નાખ્યું છે. રોહિત છેલ્લા ચાર વર્ષથી તેના સગા ફઈના ઘરે શહેરમાં રહી અભ્યાસ કરતો હતો..
જ્યારે ત્યાંથી અભ્યાસ પૂર્ણ થઈ ગયો ત્યાર બાદ તે પોતાની ગામડે પરત આવી ગયો હતો. અને હવે તેણે સમાજ અને કુટુંબના દરેક લોકો ને શરમમાં મૂકી દે તેવું કામકાજ કરી નાખ્યું છે. તે જ્યારે તેના ફઈના ઘરે શહેરમાં રહેતો હતો. ત્યારે તેના સગા ફઈની દીકરીની સાથે તે ખુબ જ નજીક આવી ગયો હતો…
તો સામે તેના ફઈની દીકરી પણ રોહિતની એટલી બધી નજીક આવી ગઈ કે આ બંને જુવાનીયા યુવક યુવતીઓ એકબીજાના પ્રેમ સંબંધમાં જોડાઈ ગયા હતા. તેઓએ એકપણ વાર તેમના માતા-પિતાના સંબંધો વિશે વિચાર કર્યો નહીં અને પોતાની લાડકી બહેન સમાન દીકરીને પ્રેમ કરી બેઠો હતો..
આ પ્રેમ સંબંધ એટલો બધો આગળ વધી ગયો કે, તેઓએ વિચાર્યું હશે કે તેમના પ્રેમ સંબંધને સમાજના લોકો ક્યારેય પણ અપનાવશે નહીં, એટલા માટે તેઓએ ઘર મૂકીને ભાગી જવાનું નક્કી કર્યું હતું અને એ મુજબ બંને વ્યક્તિ એક દિવસ સાંજના સમયે સામાન પેક કરીએ ભાગી ગયા હતા. ભાગીને બંનેએ પ્રેમ લગ્ન પણ કરી લીધા હતા..
જ્યારે ઘટનાની જાણકારી બંનેના પરિવારજનો સુધી પહોંચી ત્યારે સૌ કોઈ લોકોના હોશ છૂટી ગયા હતા, કારણ કે હવે આ બંને લોકોને કારણે એક સાથે બે પરિવારજનોને સમાજમાં મોઢું નીચું કરીને ચાલવાનો વારો આવ્યો હતો. કુટુંબ અને અન્ય પરિવારના દરેક લોકો પીઠ પાછળ વાતો કરવા લાગ્યા હતા કે, ગોરધનદાસ નો દીકરો તેના સગા ફઈની દીકરીને ભગાડીને લઈ ગયો છે..
ગોરધનદાસ તેના દીકરાને ભણાવી શક્યો પરંતુ તેને સારા સંસ્કાર આપી શક્યો નથી, જેને કારણે આજે તેને બદનામી સહન કરવાનો વારો આવ્યો છે. જ્યારે આ બંને પોતપોતાના ઘરેથી ભાગી ગયા ત્યારે પરિવારજનોએ તેમની શોધખોળ પણ શરુ કરી હતી પરતું ક્યાયથી તેમનો અતો પતો મળ્યો નહી અને એક દિવસ સાંજે રોહિતનો ફોન આવ્યો કે તે ફઈની દીકરી નિરાલી સાથે છે..
બન્ને એકબીજાને ખુબ જ પ્રેમ કરે છે અને હવે તો તેઓએ લગ્ન પણ કરી લીધા છે. સમાજના લોકો તેમના સબંધને સ્વીકારશે નહી એટલા માટે તેઓ ભાગી ગયા હતા. આ શબ્દો સાંભળીને ગોરધનદાસના કાળજામાં ગરમી પેદા થઈ ગઈ હતી. કે આં કપાતર દીકરાનું હવે શું કરવું એ સમજણ પડતી નથી..
કારણ કે તેણે ભલભલા સંબંધોને શરમમાં મુકાવી દીધા છે. ગોરધનદાસ બિચારા મજબૂરીને વશ થઈને આ બધી બાબતો અને સમાજના લોકોના મહેણાં ટોણા સાંભળતા રહ્યા હતા કારણકે તેના દીકરાને ન કરવાના કારનામાંઓ કરી નાખ્યા હતા, તો બીજી બાજુ નિરાલીના પરિવારજનો પણ શરમમાં મુકાઈ ગયા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]