નાના બાળકો સાથે ક્યારેક કઈ ઘટના બની જાય તે કહી શકાતું નથી. બાળકો સાથે ગંભીર ઘટનાઓ બનતા બાળકોના જીવ જોખમમાં મુકાઈ જાય છે. માતા-પિતાનું જરા પણ ધ્યાન ન રહેતા બાળકો સાથે આવા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. આવી જ એક માસુમ બાળકી સાથે ગંભીર ઘટના બની હતી. બાળકી તેમના માતા પિતા સાથે મામાના ઘરે ગઈ હતી.
બાળકીનું નામ મિસ્ટી બરુરાજ હતું. બાળકીના પિતા નું નામ કૃષ્ણકુમાર હતું. મિષ્ટીની ઉંમર અઢી વર્ષની હતી. મિષ્ટી મામાના ગામ નુનીયા દેહમાં રહેવા આવી હતી. મામાના ઘરે લગ્ન પ્રસંગ હોવાને કારણે બાળકીના માતા-પિતા વહેલા ગયા હતા અને બાળકી તેમની સાથે ગઈ બાળકી ખુલ્લા ફળિયામાં રમી રહી હતી.
મામાના ઘરે બાજુમાં રહેતા લોકો મકાનનું કામ કરી રહ્યા હતા તે સમયે અચાનક જ મિષ્ટી ફળિયામાં મોજથી રમી રહી હતી ત્યારે બાજુના ઘરની દીવાલ તેના પર અચાનક પડી હતી દિવાલ ધરાશાહી થતાં મિષ્ટી દિવાલ નીચે દબાઈ ગઈ અને પરિવારના લોકો તરત જ મિષ્ટીને બચાવવા માટે દોડ્યા હતા.
અને તેમની માતા ભાન ભૂલી ગઈ હતી અને તે દોડીને દિવાલને હટાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો તે સમયે મિસ્ટીને દીવાલની નીચેથી લોહી લુહાણ હાલતમાં બહાર કાઢવામાં આવી હતી મિષ્ટીને માથામાં ઊંડા ઘા થઈ ગયા હતા જેના કારણે કાનમાંથી પણ લોહી વહી રહ્યો હતો પરિવાર ચિંતામાં આવી ગયું.
અને તરત જ મિષ્ટીને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવી હતી હોસ્પિટલ લઈ જતા દોઢ કલાક સુધી પરિવારના લોકો મિષ્ટીને બચાવવા માટે રડી રહ્યા હતા પરંતુ ઇમરજન્સીમાં ડોક્ટરો ન હતા અને ન્યુરોસર્જન ડોક્ટર ની પણ અછત હતી ન્યુરોસર્જન ડોક્ટર ને બોલાવવામાં આવ્યા હતા પરંતુ તે પહોંચે તે પહેલા જ મિષ્ટીએ પોતાનો જીવ ગુમાવી દીધો હતો.
મિષ્ટીએ 4 કલાક તડ.પીને પોતાનો જીવ ગુમાવ્યો હતો. પરિવાર ની સામે મિષ્ટીનું મૃત્યુ થતા પરિવાર આઘાતમાં આવી ગયું અને ડાબા હાથમાંથી ખૂબ જ લોહી નીકળી રહ્યું હતું. જેના કારણે મિસ્ટીના શરીરનું લોહી ખૂબ જ વહી ગયું હતું મિષ્ટીએ પોતાનો જીવ ગુમાવી દીધો હતો ડોક્ટરોના આવ્યા પહેલા આવી ઘટના બની જતા પરિવારના લોકોને હોસ્પિટલ સામે ખૂબ જ નારાજ થયા હતા.
અને પરિવારના લોકોએ પોલીસ સ્ટેશનમાં પણ ડોક્ટરોની સામે ફરિયાદ નોંધાવી હતી. તેમને હોસ્પિટલમાં પૂરતી સારવાર મળી ન હતી અને ડોક્ટરોની બેદરકારીને કારણે તેમની દીકરીએ જીવ આવ્યો હતો પરિવારના લોકોને સમયસર સારવારનો મળતા પરિવાર એ પોતાની માસુમ દિકરીને ગુમાવી હતી અવારનવાર આવી ઘટનાઓ બની છતાં પરિવારના લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે અને તેમના દીકરા દીકરીઓને ગુમાવી રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]