શહેરમાં રહેતા દરેક લોકો પાસે પોતાનું ઘરનું મકાન હોય તેવું શક્ય નથી. મોટાભાગના લોકો કોઈ બીજા વ્યક્તિના મકાનમાં ભાડું આપીને રહે છે. પરિવાર ખૂબ જ રાજી ખુશીથી જીવન જીવતો હતો. પરંતુ મકાન માલિક અને ભાડુઆત વચ્ચે જો સારો મેળ ન હોય તો વારંવાર લડાઈ ઝઘડા પણ થતા હોય છે..
મકાનની કેળવણીની બાબતોથી લઈને લાઈટ બિલ તેમજ પાણીના બિલ સહિતની બાબતોમાં પણ ઘણી બધી વાર લડાઈ ઝઘડાઓ થઈ જતા હોય છે. મકાનમાલિક અને ભાડુઆત જો બંને હળી મળીને રહેતો બંનેને લાભ થાય છે. પરંતુ અત્યારે એક મકાન માલિકે તેના ભાડુતને મકાન ખાલી કરવાનું કહી દીધું હતું..
અને ત્યાર પછી એવી ઘટના બની ગઈ છે કે, એક સાથે ત્રણ લોકોના હચમચાવી દેતા મૃત્યુ થયા છે. આ ઘટના જ્યારે સામે આવી ત્યારે સોસાયટીના સૌ કોઈ લોકો કહેવા લાગ્યા કે, આવા ભાડુતથી ચેતી જવું જોઈએ એમ આ ઘટના વીણા પાર્ક સોસાયટીની છે. અહીં ભાનુભાઈ નામના એક વ્યક્તિએ તેમના મકાનનો નીચેનો માળ કિશોરચંદ્રભાઈને ભાડે આપ્યો હતો..
કિશોર ચંદ્રભાઈ તેમના પરિવાર સાથે આ મકાનની અંદર રહેતા હતા. છેલ્લા કેટલાક સમયથી કિશોરચંદ્ર ભાઈની પત્ની અને મકાન માલિક ભાનુભાઈની પત્ની બંને લડાઈ ઝઘડો કરતા હતા. મકાનની સાફ-સફાઈ રાખવાની બાબતને લઈને મકાન માલિકે કિશોર ચંદ્રભાઈ ની પત્નીને ખખડાવી નાખી હતી..
અને આ બાબતને લઈ બંને વચ્ચે લડાઈ ઝઘડો ચાલતો હતો. એવામાં એક દિવસ ભાનુભાઈએ કંટાળી જઈને તેમના ભાડુતને મળવા માટે બોલાવ્યા અને જણાવ્યું કે, તમે અમારું મકાન ખાલી કરી દેજો અમને તમારી સાથે પહોંચાશે નહીં. એટલા માટે હવે અમે આ મકાનને બીજા કોઈ વ્યક્તિને ભાડે આપવા ઇચ્છીએ છીએ..
તો બીજી બાજુ ભાડુતે જણાવ્યું કે, અત્યારે તેઓ ખૂબ જ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. અને તેમને અન્ય કોઈ જગ્યાએ મકાન ભાડેથી મળશે નહીં એટલા માટે થોડો સમય તમે અમને અહીં રહેવા દો અને ત્યારબાદ અમે સામેથી જ મકાન ખાલી કરીને અહીંથી જતા રહેશું પરંતુ ભાનુભાઈએ જણાવ્યું કે, અમને કોઈ પણ કાળે આવતા મહિનાની પહેલી તારીખે મકાન ખાલી જોઈએ..
અને કિશોર ચંદ્રભાઈ આ વાક્ય સાંભળતાની સાથે જ તેઓએ હોશ ગુમાવી દીધો હતો. તેઓ કહેવા લાગ્યા કે, હું તમારા મકાનની અંદર પૈસા આપીને રહું છું. હું મફત રહેતો નથી. તમે મારા ઉપર કોઈ પણ કાળે દાદાગીરી કરી શકો નહીં. જ્યારે મને બીજી કોઈ જગ્યાએ મકાન ભાડે મળશે ત્યારબાદ જ હું તમારું મકાન ખાલી કરીને આપીશ..
આ બાબતે લઈને હવે બંને વ્યક્તિ લડાઈ ઝઘડો કરવા લાગ્યા હતા. આ લડાઈ ઝઘડો એટલો બધો આગળ વધી ગયો કે, ભાડુઆત કિશોરચંદ્ર ભાઈએ તેમના કેટલાક અન્ય મિત્રોને પણ બોલાવી લીધા અને મારા મારી કરવાનું શરૂ કરી દીધું હતું. આ મારા મારીની અંદર ભાનુભાઈ તેમજ ભાનુભાઈનો દીકરો અને ભાનુભાઈની દીકરી આ ત્રણેય વ્યક્તિ લડાઈની અંદર વચ્ચે આવ્યા હતા..
કિશોરચંદ્ર ભાઈની સાથે આવેલા કેટલાક યુવકોએ આ ત્રણેય વ્યક્તિને ઢોર માર્યો હતો અને માથાના ભાગે ફટકા વાગતાની સાથે જ ત્રણેય લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયા હતા. મકાનમાલિક અને ભાડુતની આ રમખાણમાં કુલ ત્રણ વ્યક્તિના જીવ ચાલ્યા ગયા હતા. જ્યારે આ ઘટના સામે આવી ત્યારે વીણા પાર્ક સોસાયટીમાં મોતનો માતમ છવાઈ ગયો હતો…
જ્યારે જ્યારે આવી માથા પકડાવી દેતી ઘટનાઓ સામે આવે છે. ત્યારે આપણું મગજ કામ કરતું બંધ થઈ જતું હોય છે. ભાનુભાઈ તેમનો દીકરો અને તેમની દીકરી ત્રણેય વ્યક્તિના મૃત્યુ થઈ ચૂક્યા છે. તો બીજી બાજુ ઘટનાની માહિતી પોલીસ સુધી પહોંચાડતા પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને ત્રણેય વ્યક્તિની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે..
તેમજ ભાડુઆ કિશોરચંદ્રભાઇની ધરપકડ કરીને તેમની કડક પૂછતાછ પણ કરવામાં આવી રહી છે. તેમણે એક સાથે ત્રણ ત્રણ વ્યક્તિઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. અને તેમને આ બધી કામગીરીની અંદર સાથ સહકાર આપનાર વ્યક્તિઓની પણ ધરપકડ કરી લેવામાં આવી છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]