રોજિંદા જીવનની અંદર એવી ઘટનાઓ ઘટી રહી છે કે, જેને જાણ્યા બાદ દરેક લોકોના મનમાં પ્રશ્ન ઊભો થાય કે આવનારો સમય ક્યાં જઈને ઉભો રહેશે.? શું તેમના દીકરા કે દીકરી સુરક્ષિત જીવન જીવી શકશે કે નહીં..? કારણકે અત્યારના સમયમાં આપણા નજીકના સભ્યો જ આપણને ચુનો ચોપડીને જતા રહે છે..
અને જ્યારે આપણને લાંબા સમય ખબર પડે કે આ વ્યક્તિ આપણી સાથે દગો કર્યો છે. ત્યાં સુધીમાં તો એ વ્યક્તિ ક્યાં ખોવાઈ ગઈ હોય તેની પણ ખબર પડતી નથી. અત્યારે સમગ્ર સોસાયટીના લોકોના ડોળા ફાડી જાય એ પ્રકારનો એક કિસ્સો મમતા નગર સોસાયટીમાંથી સામે આવ્યો છે..
આ સોસાયટીમાં હિતેશભાઈ તેની પત્ની ઇલાબેન સાથે જીવન જીવે છે. આ બંને પતિ પત્ની હરિનાથ ભાઈના મકાનમાં ભાડે રહેતા હતા. હિતેશભાઈ અને ઇલાબેનના લગ્ન થયા તેના ત્રણ વર્ષ વીતી ચુક્યા છે. હિતેશભાઈ એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેનો પગાર ખૂબ જ ઓછો હોવાને કારણે તેઓ તેમની પત્નીના દરેક મોજશોખને પૂરા કરી શકતા નથી..
તો બીજી બાજુ તેની પત્ની હિતેશભાઈની કમાણીને ધ્યાનમાં રાખ્યા વગર મન ફાવે તેમ રૂપિયા વાપરતી હતી. હિતેશભાઈએ ઘણી વખત તેની પત્નીને સમજાવવાની કોશિશ કરી, પરંતુ તે સમજવાને બદલે પોતે પ્યારે રહેવા માટે ચાલી જશે તેવી ધાક ધમકીઓ આપીને હિતેશભાઈને ચુપ કરાવી દેતી હતી.
એક દિવસ હિતેશભાઈની પત્ની ઇલાબેને એવું કારનામુ કરી નાખ્યું છે કે, જેને જાણીને સૌ કોઈ લોકોના ધબકારા વધી ગયા હતા. તો બીજી બાજુ મકાન માલિકી તાત્કાલિક ધોરણે ભાડુત અને મકાન ખાલી કરાવી નાખ્યું હતું. જ્યારે જ્યારે હરિનાથ ભાઈ તેમના પરિવાર સાથે બહારગામ જતા હતા..
ત્યારે ભાડુઆત ઇલાબેન મકાન માલિકના ઘરની ચાવી લઈને તેના ઘરે તાળુ ખોલીને ઘુસી જતી હતી અને ત્યાં કબાટ તેમજ બેડરૂમની અંદર દરેક ચીજ વસ્તુઓને ખોલીને જોઈ લેતી. જો તેમાંથી કોઈ સારી કીમતી ચીજ વસ્તુ દેખાઈ આવે તો તેને ચોરી કરી લેતી હતી. આવું તે છેલ્લા બે વર્ષથી કરતી હતી.
હરિનાથ ભાઈના ઘરમાંથી દર વખતે કોઈ નાની કીમતી ચીજ વસ્તુઓની ચોરી થઈ જતી, તેઓ વિચારતા કે તેમના દીકરા કે દીકરીઓ અને હાથેથી આ ચીજ વસ્તુઓ કોઈ બીજી જગ્યાએ મુકાઈ ગઈ હશે. એટલા માટે તેઓ લાંબી વાતચીત કરતા નહીં અને એ વાતચીતને તેને ત્યાં જ ટાળી નાખતા હતા.
પરંતુ એક દિવસ જ્યારે તેઓ બહારગામ જવા માટે નીકળ્યા ત્યારે તેઓએ તેમની ભાડુત ઈલાબેનને ઘરની ચાવી આપી હતી અને જણાવ્યું કે જો કોઈ કામકાજ પડે તો તમે અમારા ઘરની ચાવી સાચવજો અને અમે ટૂંક સમયની અંદર જ ઘરે પરત આવી જશું, જ્યારે તેઓ બહારગામ જવા માટે અધવચ્ચે પહોંચ્યા ત્યારે હરિનાથ ભાઈને યાદ આવ્યું કે તેઓને એક વ્યક્તિને ચેક આપવાનો છે..
અને આ ચેક બુક તેમના ઘરે ભુલાઈ ગઈ છે. તેઓ ચેકબુક લેવા માટે પોતાની ઘરે પરત આવ્યા ત્યારે તેઓએ જોયું કે, તેમની ભાડુત ઇલાબેન તેમના ઘરનું તાળું ખોલીને કબાટની અંદર લોકર ખોલવાની કોશિશ કરી રહી હતી. બસ આ જોતાની સાથે તેઓ સમજી ગયા કે, ઇલાબેન અવારનવાર તેમના ઘરની અંદર પ્રવેશ કરીને નાની ચીજ વસ્તુઓની ચોરી કરી લેતા..
પરંતુ આ ચીજ વસ્તુઓને તેઓ નજર અંદાજ કરી દેતા, એટલા માટે આ સિલસિલો આગળ ને આગળ ચાલતો ગયો. પરંતુ હવે ઇલાબેન ની પોલ ખુલ્લી પડી ગઈ હતી. તાત્કાલિક ધોરણે હિતેશભાઈને ફોન કરીને બોલાવી લીધા અને જણાવી દીધું કે તેમની પત્નીએ તેમના ઘરે ચોરી કરવાની કોશિશ કરી છે. અને શું ખબર આગળ ના સમયમાં એવી ઘણી બધી વખત ચોરી કરી લીધી હોય..
તમે તાત્કાલિક ધોરણે મકાન ખાલી કરી દેજો અને તમામ ભાડું ચૂકવી દેજો. જ્યારે સોસાયટીમાં આ વાત ફેલાય ત્યારે સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા હતા. હકીકતમાં આવા ભાડુતથી ચેતી જવું જોઈએ, કારણકે આ પ્રકારના ભાડું જ ત્યારે શું કરી નાખે તેનું નક્કી હોતું નથી. હંમેશા સારા અને વિશ્વાસુ માણસને જ પોતાની મકાનમાં ભાડે રહેવા દેવા જોઈએ..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]