દરેક વ્યક્તિના સ્વભાવ જુદા-જુદા હોય છે. આ દુનિયાની અંદર જો શાંતિથી અને મોજ મજાથી જીવન જીવવું હોય તો દરેક વ્યક્તિ સાથે હસતો ખેલતો અને સરળ સ્વભાવ રાખવો પડે છે, જો દરેક વ્યક્તિ સાથે નાની નાની બાબતોમાં પણ માથાકૂટ કરવામાં આવે તો એવા વ્યક્તિ ક્યારે પણ સુખ શાંતિથી જીવન જીવી શકતા નથી..
અને હંમેશા કોઈને કોઈ વ્યક્તિ તરફથી તેમને માઠો બનાવો પણ સહન કરવાનો વારો આવી જતો હોય છે, આવી બાબતો સમજમાં આવતા હોવા છતાં પણ કેટલાક લોકો પોતાનો સ્વભાવ સુધારતા નથી અને અંતે તેમના સાથે ખૂબ જ મોટી ઘટના પણ બની જતી હોય છે. અત્યારે રમણનગર કોલોની માંથી વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવી ગયો છે..
રમણનગરમાં મકાન નંબર સાતમાં અશ્વિનભાઈ નામના યુવક પ્રેમજીલાલના મકાનમાં ભાડું આવીને રહેતા હતા, પ્રેમજીલાલ અશ્વિનભાઈને મકાન રાખતી વખતે 7000 રૂપિયા ભાડું નક્કી કર્યું હતું. ઉપરના માળે પ્રેમજીલાલ પોતે રહેતા જ્યારે નીચેના માળે ભાડુઆત અશ્વિનભાઈ તેમના પરિવાર સાથે રહેવા માટે આવી ગયા હતા..
અશ્વિનભાઈ જ્યારથી આ મકાનમાં રહેવા આવ્યા ત્યારથી તેઓ આસપાસના પડોશીઓ સાથે પણ નાની-નાની બાબતોમાં લડાઈ ઝઘડો કરવા લાગતા હતા, અમુક વખત તો તેઓ સોસાયટીમાં એવી રીતે રોડ જમાવતા હતા કે, તેઓ પોતે જ આ મકાનના માલિક હોય ઘણી બધી વાર તેઓ સોસાયટીના વોચમેનને પણ ખખડાવી નાખતા..
આ ઉપરાંત પાર્કિંગની બાબતને લઈને પડોશીને તો તેઓ મારવા માટે પણ આગળ આવી ગયા હતા, સોસાયટીના મોટાભાગના રહીશોએ પ્રેમજીલાલને ફરિયાદ નોંધાવી હતી કે, તમે અશ્વિનભાઈને મકાન ખાલી કરાવી દેજો કારણ કે, અશ્વિનભાઈ સોસાયટીના લોકો પ્રત્યે ખૂબ જ વ્યક્ત કરી રહ્યા છે..
અને દરેક વ્યક્તિ સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે છે, એટલા માટે આવા ખરાબ શોભા વાળા વ્યક્તિને સોસાયટીમાં રહેવાનો કોઈ પણ અધિકાર નથી અમે આ બાબતની બિલકુલ વિરુદ્ધ છીએ પ્રેમજીલાલે પણ સોસાયટીના દરેક લોકોની વાતને માની હતી અને તેઓએ અશ્વિનભાઈને જણાવ્યું કે, તમે આવતા મહિનાની અંદર તમારું મકાન ખાલી કરી નાખજો..
કારણ કે, તમારા વિરોધમાં મને સોસાયટીમાંથી ઘણા બધા લોકોની ફરિયાદ મળી છે. અને હવે હું મકાનમાં તમને રહેવાતા દઈ શકું નહીં, અશ્વિનભાઈ રોષે ભરાયા હતા અને હાથમાં દંડો લઈને તે મકાન માલિકને પણ મારવા માટે આગળ આવી ગયા અને જોતજોતામાં તો ત્રણથી ચાર ડંડા પણ મારી દીધા હતા..
બિચારા પ્રેમજીલાલ ખૂબ જ સરળ સ્વભાવના હતા, તેઓ પોતાના અને બચાવવા માટે આમથી આમ હડીયાપાટી કરવા લાગ્યા અને પાછળ અશ્વિનભાઈ તેની પાછળ પાછળ દોડીને તેને ઢોર મારતો રહ્યો હતો અને આ દ્રશ્ય સોસાયટીના સમગ્ર લોકો જોતાને જોતા જ રહી ગયા હતા, પ્રેમજીભાઈને માથાના ભાગે ખૂબ જ વધારે વાગી ગયું હતું..
એટલા માટે તેઓને સારવાર લેવાની પણ ફરજ આવી પડી હતી, જ્યારે તેઓ તાજા મજા થયા ત્યાર બાદ તેઓએ અશ્વિનભાઈ ની સામે ફરિયાદ પણ નોંધાવી હતી કે, આ ભાડુઆતે વિફરી જઈને લોકોને હેરાનગતિ કરવાનું શરૂ કરી દીધું હતું. ઉપરાંત મકાન માલિકને તો ઢોર માર્યો છે, પોલીસ ફરિયાદ નોંધ હતી અને અશ્વિનભાઈ ની ધરપકડ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહીઓ ચલાવ રહી છે..
કારણ કે, જો એ દિવસે પ્રેમજીલાલને સહેજ વધારે વાગી ગયું હોત તો કદાચ તેમનો જીવ પણ જતો રહ્યો હોત. આગળ પણ મકાનમાલિક અને ભાડુતો લડાઈ ઝઘડાઓના ઘણા બધા કિસ્સાઓ પાછળના સમયમાં સામે આવી ચૂક્યા છે, જેમાં કેટલાક કિસ્સાઓ શાંતિપૂર્વક બાબતોમાં સંપૂર્ણપણે પતી જતા હોય છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]