Breaking News

મકાન ગીરવે મૂકીને વ્યાજે પૈસા લઈ લાડ પ્રેમથી ઉછેરેલો દીકરો સટ્ટો રમી ગયો, નુકસાન જતા માં-બાપને આવ્યો અવળું પગલું ભરવાનો વારો અને પછી તો…

હાલના સમયમાં એવા ચોકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેમાં પરિવારના લોકો માનસિક રીતે ત્રાસીને પોતાના જીવ ગુમાવી રહ્યા છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના આરકેપુરમ રોજડી વિસ્તારમાં રહેતા પરિવારમાં પતિ-પત્ની સાથે બની હતી. પતિ-પત્ની તેમના પરિવાર સાથે રહેતા હતા.

પતિનું નામ રાજકુમાર અને તેમની પત્નીનું નામ શાલીની હતું. રાજકુમારની ઉંમર 58 વર્ષની હતી અને તેમની પત્ની શાલીનીની ઉંમર 52 વર્ષની હતી. રાજકુમારને બે દીકરા છે, બંને દીકરા પરણીત છે અને બંને દીકરાઓ તેમના પરિવાર સાથે માતા-પિતાથી અલગ રહે છે, જેમાં મોટો દીકરો અલગ રહે છે.

પરંતુ નાનો દીકરો તેના પિતા સાથે દુકાન સંભાળતો હતો. રાજકુમાર હાર્ડવેરની દુકાન ચલાવતા હતા. શાલિની આંગણવાડીમાં કામ કરતી હતી. જેના કારણે પિતા અને નાનો દીકરો ભેગા કામ કરતા હતા. પિતાએ પોતાની જીવનની કમાણી તેમના દીકરાઓને વહેંચી દીધી ત્યારબાદ નાનો દીકરાએ કોઈ કામ હોવાને કારણે લોન લીધી હતી.

આ લોન તેણે સટ્ટાબાજી કરવા માટે લીધી અને તે આ લોન ચુકવા માટે સક્ષમ ન હતો. જેના કારણે લોન લીધેલી હતી. તે લોકો અવારનવાર દંપતીના ઘરે આવતા અને તેમના દીકરાએ લીધેલા પૈસા પરત કરવાનું કહેતા હતા. માતા-પિતા પર દીકરાને લીધેલી લોનને કારણે વ્યાજખોરો અવારનવાર માનસિક ત્રાસ આપતા હતા.

અને માતા-પિતાને હેરાન કરતા છતાં પણ દીકરાઓ તેમના માતા-પિતાની કોઈપણ સાર સંભાળ લીધી ન હતી. માતા-પિતાએ તેઓ જે મકાનમાં રહેતા હતા. તે મકાન પણ વેચવા કાઢ્યું હતું. દોઢ વર્ષ પહેલા તેઓ આ મકાન છોડીને રોજડી વિસ્તારમાં રહેવા જતા રહ્યા પરંતુ ત્યાં પણ વ્યાજખોરોએ તેમનો પીછો કરવાનું બંધ કર્યું નહીં.

વ્યાજખોરો પૈસા ચૂકવવા માટે માતા-પિતા પર વારંવાર દબાણ કર્યું જેના કારણે આ દંપતી ખૂબ જ કંટાળી ગયું હતું. તેમના દીકરાઓ પણ તેમનો સહારો બન્યા નહીં જેના કારણે એક દિવસ દંપતિ તેમના જ ઘરે હતા અને રાજકુમારે તેમના મોટા દીકરાને ફોન કરીને તેની તબિયત અને સમાચાર પૂછ્યા અંતે રાજકુમારે ગુડ બાય કહ્યું હતું.

અને કહ્યું હતું કે, ‘અમે જઈ રહ્યા છીએ’ ત્યારબાદ ફોન રાજકુમારી મૂકી દીધો અને બંને દંપતિએ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ મોટા દીકરાને તેમના માતા-પિતાએ ગંભીર ઘટના કર્યા હોવાની શંકા ગઈ હતી. જેના કારણે દીકરા માતા-પિતાના ઘરે આવ્યા હતા. ત્યારે જોયું તો માતા-પિતા મૃત્યુ પામ્યા હતા.

જેના કારણે તરત જ આરકેપુરમ પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તમામ તપાસને હાથ ધરી હતી. રૂમની તપાસ કરતા સમયે પોલીસને રૂમમાંથી એક અંતિમ નોટ પણ મળી આવી હતી. પોલીસ નોટ વાંચીને ચોકી ગઈ હતી. અંતિમ નોટમાં લખ્યું હતું કે, એક પુત્ર અને બીજા પુત્રની વહુને કારણે આ ઘટના કરી રહ્યા છે.

તેઓ પોતાને જીવ ગુમાવી રહ્યા છે એક દીકરાએ લોન લીધી હતી પરંતુ તે ચૂકવવા માટે સક્ષમ નહોતો અને વ્યાજખોરોના ત્રાસને કારણે તેઓ પોતાના જીવન ગુમાવી રહ્યા છે અને તેણે દંપતિએ અંતિમ નોટમાં ત્રણથી ચાર જણાના કારણે તેઓ પોતાનો જીવ ગુમાવી રહ્યા છે તેમ જણાવ્યું હતું. અવારનવાર આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે. દીકરાઓ પોતાના માતા-પિતા ની સાર સંભાળ ન રાખતા માતા-પિતાને ખોટું લાગી જતા આવા પગલાઓ ભરી રહ્યા છે. પોલીસ આગળની તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *