Breaking News

મકાન ભાડે રાખવા જતા એકટીવા ચાલક પર પુરઝડપે આવતો ટ્રક ચડી ગયો, શરીરના થઈ ગયા 2 ટુકડા, કંપારી છોડાવતો અકસ્માત..!

અકસ્માતમાં પરંતુ મૃત્યુ ખૂબ જ દર્દનાક હોય છે અને આ મૃત્યુ પાછળ પરિવારના તમામ સભ્યોને સમગ્ર જિંદગીભર તેઓની યાદ આવતી હોય છે. કારણ કે અકસ્માતમાં જે વ્યક્તિ મૃત્યુ પામે છે તેના દુઃખને સહન કરવું પરિવારજનો માટે સહેલું નથી. રોજ થતા અકસ્માતના બનાવમાં ઘણા બધા જીવ જતા હોય છે..

હાલ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં ભલભલા લોકોને કંપારી છોડાવી દે તેવો એક અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં પુંધરી ગામમાં રહેતા સવાઈલાલ રતનલાલ ભોગ બન્યા છે. જેઓ મૂળ મહેશ્વરી સમાજના મહારાજ બાબાજી નામથી ઓળખાતા હતા. તેઓ કામસર હાઇવે ઉપર એકટીવા લઈને બપોરના સમયે નીકળ્યા હતા..

એવામાં મામલતદાર કચેરીની સામે સરદાર પટેલના બાવલા પાસે પહોંચ્યા ત્યારે એક અજાણ્યા ટ્રક ચાલકે પુરઝડપે આવીને એક્ટિવાને ટક્કર મારી દીધી હતી. ત્યારબાદ તે એક્ટીવા પરથી ટ્રકના પૈડા પસાર થઈ ગયા હતા. એક્ટીવા પર સવાર સવાઈલાલ રતનલાલ ચાંડક ટ્રક સાથે અથડાયા હતા..

જેના કારણે તેના શરીરના ઘટના સ્થળે જ બે ટુકડા થઈ ગયા હતા. આ દ્રશ્ય આસપાસના લોકો માટે જોવું કોઈ સહેલી બાબત ન હતી. આ દ્રશ્ય ભલભલા લોકોને ઊંઘ બગાડી નાખે તે પ્રકારનું હતું. કમકમાટી ભરેલા અકસ્માતને લઈને લોકો સ્થળ ઉપર એકઠા થઇ ગયા હતા. આ અકસ્માત એટલો બધો ગંભીર હતો કે ઘટના સ્થળે સવાઈલાલ રતનલાલ ચાંડકનું મૃત્યુ થયું હતું.

તેઓને સારવાર માટે લઇ જવામાં આવે એ પહેલા તેમનો જીવ ચાલ્યો ગયો હતો. એટલા માટે પોલીસને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. પોલીસ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ અકસ્માતમાં મૃત્યુ પામનારને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો..

આકસ્માત કયા કારણોસર બન્યું છે તેમ જ આ અકસ્માતમાં ટ્રક બનાવનાર વ્યક્તિ કોણ હતો..? આ સમગ્ર બાબતોની જાણકારી મેળવવા માટે પોલીસે કામગીરી શરૂ કરી છે. અને ગુનો નોંધ્યો છે. સવાઈલાલ પુંધરી ગામમાં પોતાની પત્ની અને પોતાના દીકરાઓ સાથે રહેતા હતા..

પુંધરી ગામમાં મકાન ખાલી કરી દીધું હતું. અને વિજાપુરમાં તેઓ ભાડે મકાન રાખવા માટે આવતા હતા. એવામાં રસ્તામાં તેમને અકસ્માત નડ્યો છે. જેમાં તેમનું મૃત્યુ થયું છે. તેમના પરિવારમાં બે દીકરી અને બે દીકરા છે. મોટા દીકરાના લગ્ન થઈ ચૂક્યા છે. સવાઈલાલ મૂળ બાડમેર વિસ્તારના રહેવાસી છે. પરંતુ તેઓ છેલ્લા પાંચ વર્ષથી પોતાના સાસરીમાં પુંધરી ગામે રહેતા હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *