મેઘરાજા દરેક તાલુકામાં ધોધમાર વરસાદ વરસાવી રહ્યા છે. સાથે સાથે વીજળીના કડાકા ભડાકા અને પવનની ગતિ પણ ખૂબ જ વધારે તેજ બનતી જાય છે.મેઘરાજા મુશળધાર વરસી રહ્યા છે. તેને કારણે ઘણા બધા વિસ્તારોમાં લોકો ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે અને એક બાજુ ખેડૂતોને ચોમાસુ સમયસર ચાલુ થવાની કારણે વાવણીને પૂરતું પાણી મળી રહે છે.
એવામાં ભાવનગર જીલ્લાની અંદર મેઘરાજાએ આગમન કરતાની સાથે જ એક પરિવાર પણ મોટી આફત આવી પડી છે.. આ ઘટના ભાવનગર જિલ્લામાં બની હતી. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટી જાગધાર ગામમાં 2 યુવકો અને 1 મહિલા સાથે બની હતી. લોકોને ચોમાસાની ખુશીની લાગણી જોવા મળે છે.
તેની સાથે સાથે લોકોને ચોમાસાની આફતનો પણ સામનો કરવો પડી રહ્યો છે. મોટી જાગધાર ગામમાં એક પરિવાર રહેતું હતું. પરિવારમાં બધા લોકો મજૂરી કરીને પોતાનું ગુજરાત ચલાવી રહ્યા હતા. મોટી જાગધાર ગામની પાસે તળાવ ઉંડુ ઉતારવા માટે મનરેગા યોજના સરકાર દ્વારા ચલાવવામાં આવતી હતી.
આ યોજનામાં લોકો મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આ તળાવમાં મજૂરી કરવા માટે ગામમાં રહેતા સંજય ભુપત મકવાણા અને તેની માતા વાલુબેન ભુપત મકવાણા મજૂરી કામ કરવા માટે કયા હતા. સંજય ભુપત મકવાણાની ઉંમર 25 વર્ષની હતી. અને તેની માતા વાલુબેનની ઉમર 52 વર્ષની હતી.
આ સમયે સંજયભાઈનો ભત્રીજો રવિ મકવાણા પણ આ તળાવમાં મજૂરી કામ કરવા માટે કયો હતો. બધા જ લોકો તળાવ ખોદવાનું કામ કરી રહ્યા હતા. તે સમયે અચાનક જ વાદળો સાથે ગાજવીજ અને જોરદાર પવન સાથે વરસાદ ચાલુ થઈ ગયો હતો. તે સમયે પરિવારના કાકા, ભત્રીજા અને માતાઓ ઘરે પાછા જઈ રહ્યા હતા.
તે સમયે અચાનક કડાકા સાથે આ પરિવારના સભ્યો પર વીજળી પડી હતી. અને વીજળી પડતાં જ સંજય તથા તેની માતા અને ભત્રીજો રવિ ઇજાગ્રસ્ત થઇ ગયા હતા. તે સમયે સંજના ખિસ્સામાં રહેલ મોબાઈલ પણ સળગી ગયો હતો. વીજળીના જોરદાર કડાકાને કારણે આ ત્રણેય લોકો ખૂબ જ ગંભીર હાલતમાં લોહી લુહાણ થઇ ગયા હતા.
તરત જ ગામના લોકોને ખબર પડતાં ગામના લોકો આ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને મહુવાની રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે સંજય અને તેના ભત્રીજા રવિએ મૃત્યુ થયું હતું. વાલુબહેનની હાલત ગંભીર હતી. આમ પરિવારમાં અચાનક જ 2 વ્યક્તિના મોત થઈ જવાને કારણે પરિવાર આઘાતમાં આવી ગયું હતું.
ગામના લોકોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. લોકો વરસાદની ખુશીની સાથે આફ્તોનો પણ સામનો કરી રહ્યા હતા. અચાનક બનતી આવી આફતની ઘટનાઓને કારણે ઘણા બધા લોકો મૃત્યુના ભોગ બન્યા છે. ઘણા બધા લોકોના પરિવારમાં એકસાથે 2-3 વ્યક્તિઓના જીવ પણ ગયા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]