આજકાલ એવા ચોકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જે ક્યારેય કોઈએ વિચાર્યું પણ ન હોય એવા બનાવો બની રહ્યા છે, લોકો પોતાનું કામનું કરી રહ્યા હોય છે અને તેમાં જરા પણ ભૂલ થઈ જતાં તેઓ પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. આવી જ એક નાની ભૂલથી બનેલી ઘટના હાલમાં સામે આવી હતી.
આ ઘટના મથુરાના થાણા હાઇવે વિસ્તારમાં આવેલા મલખાન સોખ રોડ પર બની હતી. આ રોડ પર ઘણા સમયથી એક બિલ્ડીંગ નું કામ ચાલી રહ્યું છે ત્યાં ઘણા બધા મજૂરો મજૂરી કામ છે જેમાં એક મજૂર નું નામ રામસિંહ છે. રામસિંહ ફિરોઝા બાદ કોટલા ચૂંદડી નો રહેવાસી છે. તે ઘણા સમયથી મજૂરી કામ કરીને તેમના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.
આ બિલ્ડિંગમાં પણ મજૂરી કામ કરી રહ્યા હતો. તે સમયે તેને અચાનક તરસ લાગી હતી અને તે પાણી પીવા માટે ગયો ત્યારે પાણીની બે બોટલો બાજુ બાજુમાં પડી હતી એક બોટલમાં પાણી હતું અને એક બોટલમાં એસિડ હતું જેની જાણ રામસિંહને નહોતી. તેના કારણે રામસિંહે પાણીની તરસ છીપાવવા માટે એક બોટલમાંથી ભૂલથી પાડીને બદલે એસિડ પી લીધું હતું.
અને તેની તરસ છીપાવવા માટે બોટલમાંથી એક ઘૂંટડો પાણી કીધું કે તરત જ શરીરની અંદર જતા જ તેને બેચેનીનો અનુભવ થયો હતો અને તે ને ગભરામણ થવા લાગી હતી એસીડ પેટ સુધી પહોંચે તે પહેલા તેને શરીરમાં બળવા લાગ્યું હતું જેના કારણે તે બેહોશ થઈ ગયો હતો. તેને ચક્કર આવવા લાગ્યા અને નીચે ઠળી પડયા.
આસપાસના લોકો અન્ય મજૂરો તરત જ રામસિંહ પાસે પહોંચી ગયા હતા અને તેને એમ્બ્યુલન્સ દ્વારા તરત જિલ્લાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તે ડોક્ટર હોય તપાસ કરતા સમયે જણાવ્યું કે તેણે એસિડ પીધું છે, ત્યારે મજૂરોને જાણ થઈ કે એક બોટલમાં પાણી અને એસિડ મૂકવામાં આવ્યું હતું.
જેમાંથી પાણીને બદલે ભૂલથી રામસિંહ એસિડ પી લીધુ હતું, ત્યારબાદ તેને વધુ સારવાર માટે આગ્રાની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. રામસિંહની સારવાર ચાલી રહી હતી. રામસિંહ સાથે આ ઘટના બની જતા દરેક મજૂરોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. દરેક મજૂરો ગભરાઈ ગયા હતા.
રામસિંહની ઉંમર 40 વર્ષની હોવાને કારણે તેની હાલત ખૂબ જ ખરાબ થતા તેને વધુ સારવાર આપવામાં આવી હતી. આજકાલ આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે. જેના કારણે દરેક લોકોએ પોતાની દરેક વસ્તુ સાવચેતી રાખીને કરવી જોઈએ. આવી ઘટનાઓ ખુબ ચોંકાવનારી સાબિત થઈ જતી હોઈ છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]