આપણે જે પરિસ્થિતિની અંદર જીવન જીવતા હોઈએ તેની અંદર ખૂબ જ ખુશ ખુશાલ રહીને મોજ અને આનંદ માણી લેવા જોઈએ કારણ કે, આવતીકાલે આપણી સાથે શું થવાનું છે. તે માત્ર ઈશ્વર સિવાય કોઈ પણ વ્યક્તિને ખબર હોતી નથી, એટલા માટે દરેક ક્ષણને ખૂબ જ આનંદથી જીવી લેવી જોઈએ..
અત્યારે મહેનત મજૂરી કરીને સાત દીકરીઓનું પાલન પોષણ કરતા એક પિતા સાથે એવી ઘટના બની ગઈ હતી કે, સમગ્ર ગામની અંદર મોતનો માતમ છવાઈ ગયો છે, આ ચોકાવનારી ઘટના અને સંપૂર્ણ રીતે સાંભળ્યા બાદ કદાચ તમારી આંખોમાંથી પણ આંસુ નીકળવા લાગશે કારણ કે, આ ઘટનાને સાંભળીને આપણને પણ એ દીકરીના પિતાનું દુઃખ થઈ રહ્યું છે..
આ ચોંકાવનારો મામલો જીવણનાથ ભાઈ સાથે બન્યો છે, જીવણનાથભાઈ તેમની પત્ની લીલાબેનની સાથે જીવન ગુજારે છે, જીવણનાથભાઈ અને લીલાવતીબેનને સંતાનની અંદર સાત દીકરી હતી, એક પુત્રની રાહમાં તેઓએ તેમની અડધી જિંદગી કાઢી નાખી. પરંતુ લીલાબેનના ખોળીએ ક્યારેય પણ એક પુત્રનો જન્મ થયો નહીં..
એક સાથે સાત દીકરીઓના પાલનપોષણ કરવાની જવાબદારી જીવણનાથ ભાઈના ખભા ઉપર આવી પડી હતી, આ સાથે દીકરીઓને જીવણનાથ ભાઈ ભણાવી ગણાવીને હોશિયાર બનાવ્યા બાદ તેમના માટે સારો મુરતિયો શોધીને તેમના લગ્ન સહિતની કામગીરીઓ પૂર્ણ થઈ જાય ત્યારબાદ તેઓ માથેથી તમામ જવાબદારીઓ હોય પૂરી થવાની હતી..
સાત દીકરીઓમાં સૌથી મોટી ત્રણ દીકરીઓના લગ્ન એક સાથે યોજવાનો કાર્યક્રમ જીવણનાથ ભાઈએ તેમના મગજમાં ઘડી નાખ્યો હતો અને આ લગ્ન માટે તેમને ઘણા બધા રૂપિયાની જરૂર હતી, એટલા માટે તેઓ સવારથી સાંજ સુધી મજૂરી કામકાજ કરીને રૂપિયાની કમાણી કરતા હતા..
જ્યારે તેમની મોટી ચાર દીકરીઓ પણ તેમના જ ગામની અંદર અન્ય વ્યક્તિઓના ઘરે સાફ-સફાઈનું કામકાજ કરીને પૈસા કમાતી હતી. જ્યારે જીવણના ભાઈની પત્ની લીલાબેન ખેતરની અંદર મજૂરી કામકાજ કરવા માટે જતી રહેતી હતી, સમગ્ર પરિવાર એકબીજાને મદદરૂપ બનીને પૈસા કમાતા કારણકે આવનારા સમયની અંદર લગ્ન પ્રસંગને પૂર્ણ કરવા માટે ઘણા બધા રૂપિયાની જરૂર હતી..
પરંતુ બિચારા પરિવારને એવી તો શી ખબર કે, સાત દીકરીઓના એકના એક લાડકવાયા પિતા જીવણના ભાઈનું અકાળે મોત થવાનું છે, એક દિવસ સવારના સમયે જીવણનાથ ભાઈ એક ફેક્ટરીમાં મજૂરી કામકાજ કરવા માટે નીકળી ગયા હતા અને સાંજના સમયે તેઓ ચાલતા ચાલતા પોતાના ઘરે આવવા માટે નીકળી ગયા હતા..
એ વખતે અડધી રસ્તે જ એક કાર ચાલકે જીવણનાથ ભાઈને અડફેટે લઈને હવામાં ઉછાળી નાખ્યા હતા અને નીચે પટકાતાની સાથે જીવણના ભાઈનું માથું ખૂબ જ ધારદાર પથ્થર સાથે અથડાવાને કારણે તેમનું માથું ફાટી ગયું હતું, તેમનો જીવ ઘટના સ્થળે જ ચાલ્યો જતા ખૂબ જ મોટો હોબાળો મચી જવા પામ્યો હતો..
રાત્રિના સમયે એ રસ્તા ઉપર અન્ય કોઈ વ્યક્તિની અવર-જવર ન હોવાને કારણે જીવણના ભાઈને કોઈ વ્યક્તિ હોસ્પિટલ સુધી પણ પહોંચાડ્યા નહીં અને પરિણામે માત્ર કલાક સુધી તરફડિયા લગાવ્યા બાદ તેમનું મૃત્યુ થઈ ગયું હતું, જ્યારે કાર ચાલકે જીવણનાથ ભાઇને અડફેટે લઈને ત્યાંથી ભાગવા લાગ્યો હતો..
અને ત્યાં લોકોની તેમજ વાહનોની અવરજવર ખૂબ જ ઓછી હોવાને કારણે તે ભાગવામાં સફળ રહી ગયો હતો, જ્યારે એક કલાક પછી ત્યાંથી એક વાહન પસાર થયું હતું અને તેણે જોયું તો જીવણનાથ ભાઈ રસ્તાની બાજુ પર લોહી લુહાણ હાલતમાં દેખાઈ આવ્યા હતા. આ વ્યક્તિએ પોતાની કારણે ઉભી રાખીને જીવણના ભાઈને હોસ્પિટલે લઈ જવાની ફરજ લીધી હતી..
અને હોસ્પિટલે પહોંચતાની સાથે જ ડોક્ટરે જણાવી દીધું હતું કે, જીવણનાથ ભાઈનું મૃત્યુ થઈ ગયું છે. એક બાજુ જીવણનાથભાઈની રાહ જોઈને તેમની સાથે દીકરીઓ તેમજ લીલાબેન બેઠા હતા, તેઓ રાહ જોતા હતા કે ક્યારે જીવણનાથભાઈ તેમના ઘરે પહોંચે અને ત્યારબાદ તેઓ પરિવારની સાથે ભોજન લઈને રાત્રિના સમયે સુઈ જાય..
પરંતુ એ પહેલા જ જીવણભાઈના મૃત્યુના સમાચાર તેમના ઘર સુધી પહોંચ્યા ત્યારે ચારેકોર રોકકળનો માહોલ સર્જાઈ ગયો હતો, તેમની સાથે દીકરીઓ દુઃખની આ ઘડીને સહન કરી શકે નહીં કારણ કે, એ દીકરીઓ માટે તેમના પિતા જ સર્વસ્વ હતા અને એમના પિતાનું જ તેમના લગ્ન પહેલાં મૃત્યુ થઈ જતા તેઓ ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા હતા..
આ ઘટનાનું દુઃખ ગામના દરેક લોકો સુધી પહોંચ્યું હતું અને દરેક લોકોની આંખમાં આંસુ હતા કારણ કે, ભગવાને સાત દીકરીઓની જવાબદારી પિતાના ખભા ઉપર નાખી હતી, એ જ વ્યક્તિનું એક દર્દનાક અકસ્માતની અંદર મૃત્યુ થઈ ગયું હતું, તેનો જીવ લેનાર કારચાલક કોણ વ્યક્તિ હતો..
તેમજ તે ત્યાંથી ભાગીને કઈ દિશા તરફ આગળ વધી ગયો છે, તેની પણ કોઈ માહિતી મળી નથી. આ પ્રકારના બનાવો કોઈપણ વ્યક્તિથી સહન થતા હોતા નથી કારણ કે, પરિવારના મોભી તેમજ પરિવારના ખભા સમાન વ્યક્તિને ખોવાનો ડર દરેક વ્યક્તિને હેરાન પરેશાન કરી દેતો હોય છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]