સવાર પડતાની સાથે જ ઘણા બધા લોકો પોતાના નોકરી કે કામ ધંધે જવા માટે નીકળી પડે છે, અને સમગ્ર દિવસ દરમિયાન મહેનત કરીને જે પણ રૂપિયા કમાય છે, તેમનાથી તેમના પરિવારનું ગુજરાન ચાલતું હોય છે. સાંજના સમયે ઘરે આવતી વખતે દરેક વ્યક્તિ ખૂબ જ ખુશ હોય છે, કારણ કે રાતનો સમય તેવો તેમના પરિવાર સાથે વિતાવતા હોય છે..
એવી જ રીતે ત્રણ દીકરીના એક પિતા પરિવાર સાથે સમય વિતાવવાનું ખૂબ જ વધુ પસંદ કરતા હતા. પરંતુ ભગવાનનો સાથ સહકાર ન મળવાને કારણે અચાનક જ તેમના માટે એવી મોટી આફત ત્રાટકી પડી હતી કે, આ મહેનતુ પિતાની ત્રણ દીકરીઓ અનાથ બની ગઈ હતી, આ બનાવો શાંતિનગર કોલોનીનો છે..
આ કોલોનીની અંદર પ્રેમલાલભાઈ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે રહે છે, પરિવારમાં તેમને ત્રણ લાડકી દીકરીઓ અને તેમની પત્નીનો પણ સમાવેશ થાય છે. પ્રેમલાલભાઈ વધુ ભણીયા ઘણી ન હોવાને કારણે તેઓ પહેલેથી જ મજૂરીના કામકાજ ની અંદર સંકળાયેલા હતા..
તેઓ સવાર પડતાની સાથે જ મજૂરી કરવા માટે જતા રહેતા હતા, પોતાના ઘરથી પાંચ કિલોમીટર દૂર આવેલી એક કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર તેઓ મજૂરીના કામકાજ માટે જતા હતા અને રાત્રિના સમયે ત્યાં કામકાજ પૂર્ણ થયા બાદ પોતાના ઘરે બાઈક લઈને પરત ફરતા હતા. એ વખતે અડધ રસ્તે એવી ઘટના બની ગઈ કે, તેમનું કામ કમાટી ભર્યું મૃત્યુ થઈ ગયું હતું..
પ્રેમ લાલભાઈ પોતાની બાઈક લઈને પોતાને ઘરે જઈ રહ્યા હતા, એ વખતે પાછળથી એક બેકાબુ બનેલા ડમ્પરે આ બાઈકને ટક્કર મારી દીધી હતી, પ્રેમલાલભાઈને અડફેટે લઈ લેવાના કારણે તેમનું ઘટના સ્થળે જ શરીર કચડી નાખ્યું હતું, અને તેમનું મૃત્યુ થઈ ગયું હતું. આ અકસ્માત સર્જાયો ત્યારે ડમ્પર ચાલક ડમ્પરની ઘટના સ્થળે મૂકીને ત્યાંથી ભાગી ગયો હતો..
રોડ ઉપરથી પસાર થતાં અન્ય વાહન હોય પોતાના વાહનો થોભાવીને આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા પ્રેમલાલ ભાઈને સારવાર માટે હોસ્પિટલે પહોંચાડવાની કામગીરી પણ શરૂ કરી, પરંતુ પ્રેમલાલ ભાઈનું તો ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. તેમના મોબાઈલ ફોનમાંથી તેમના પરિવારજનોને પણ જાણકારી પહોંચાડવામાં આવી કે, પ્રેમલાલભાઈનું કમકમાટી ભર્યું મૃત્યુ થયું છે..
આ સમાચારની દીકરીઓ જોર જોરથી રડવા લાગી હતી, તેમજ પ્રેમલાલભાઈની પત્ની માટે તો દુઃખની આ ઘડી સહન થઈ શકી નહીં, વારંવાર એક જ હાથને લઈને પ્રેમલાલભાઈની ત્રણેય દીકરીઓ રડી રહી હતી કે, તેના પિતાએ આજ દિન સુધી કોઈ પણ વ્યક્તિને ક્યારેય કડવા વેણ વચનો કીધા નથી..
આ ઉપરાંત ક્યારે પણ ખરાબ નીતિઓ રાખી નથી, છતાં પણ ભગવાને તેમના પિતાનો જીવ શા માટે લઈ લીધો હશે. આ ત્રણે દીકરીઓને તેના પિતા તરફથી ખૂબ જ પ્રેમ અને હુંફ મળી હતી, એટલા માટે આદરણી દીકરીઓ તેના પિતાના મૃત્યુના આઘાતને સહન કરી શકી નથી. મોટી દીકરીને તો હોસ્પિટલમાં માટે દાખલ કરવી પડી છે..
તેને ખૂબ જ ઊંડો આઘાત લાગ્યો છે, જ્યારે પ્રેમલાલભાઈની પત્ની પણ હાલ કશું બોલી શકે તેવી સ્થિતિમાં નથી, એક અકસ્માતે પરિવારના સૌથી કીમતી સભ્યનું જીવ લઈ લીધો હતો. જેને લઈ હાલ સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટીનો માહોલ છવાઈ ગયો છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]