આપડે આપડી રીતે શાંતિથી જીવન જીવી રહ્યા હોય અને એવામાં કોઈ એવા માઠા સમાચાર સાંભળીએ ત્યારે આપણું મગજ તરત જ દોડતું થઈ જતું હોય છે, હાલ શાંતિથી પોતાના ખેતરની અંદર દેખરેખ કરી રહેલા એક ખેડૂતો માથે ખૂબ જ મોટી આફત આવી પડી હતી, તેઓ સવારના સમયે પોતાના ખેતરે પાકની દેખરેખ માટે આવી પહોંચ્યા હતા..
તેમના ખેતરમાં બનાવેલી ઓરડીની અંદર મજૂરો રહે છે, અને આ મજૂરો તેમના ખેતરની અંદર કામકાજ કરીને તેમનું પણ જીવન ગુજરાન ચલાવતા હતા. ખેતરના માલિક વનરાજભાઈ મોતીપુર ગામના વતની છે, અને મોતીપુર ગામની સીમમાં આવેલી જમીનમાં તેઓ ખેતીનું કામકાજ કરી રહ્યા હતા..
તેઓ જ્યારે સવારમાં દેખરેખ રાખવા માટે આવી પહોંચ્યા ત્યારે તેમના ખેતરથી થોડે દૂર આવેલા એક વૃક્ષ નીચે તેઓ ખાટલો ઢાળીને બેઠા હતા, એવામાં તો તેમના ખેતરમાં કામકાજ કરતો સંદીપ નામનો મજુર દોડતો દોડતો આ ખેડૂત પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે, કુવામાં કોઈની લાશ પડી હોય તેવું લાગી રહ્યું છે..
બે ઘડી તો વનરાજભાઈ પણ માથું ખંજાળવા લાગ્યા કે, એવું તો શું થયું કે તેમના કુવાની અંદર આવી વિચિત્ર ચીજ વસ્તુ દેખાઈ આવી છે. તેઓ તાબડતો બામજૂરને સાથે લઈને તેમના ખેતરમાં આવેલા કુવા પાસે પહોંચી હતાં અને આસપાસના ખેતરમાં કામ કરતા અન્ય મજૂરીને પણ બૂમ મારીને અહીં બોલાવવામાં આવ્યા હતા..
અને જોયું તો હકીકતમાં પાણી ઉપર કોઈ અજાણ્યા વ્યક્તિની લાશ કરતી હોય તેવું લાગતું હતું, દ્રશ્ય જોઈને વનરાજભાઈને તો પરસેવો છૂટી ગયો હતો કારણ કે, તેઓ આ તમામ બાબતે અજાણતા મૃતક વ્યક્તિ કોણ છે, અને તેને શા માટે અહીં ફેંકી દેવામાં આવ્યો હશે અથવા તો શું કોઈ વ્યક્તિ અહીં આવીને આપઘાત કર્યો છે કે, નહીં આ તમામ પ્રશ્નો તેમને મૂંઝવણમાં મૂકી દેવા લાગ્યા હતા..
તેઓએ તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં જાણકારી આપી દીધી કે, તેમના ખેતરના કુવાની અંદર કોઈ અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી છે, પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને ત્યારબાદ આ લાશને કૂવામાંથી બહાર કાઢવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી, લાશને બહાર કાઢતાની સાથે જ ખબર પડી કે..
તેમના ખેતર થી બે ખેતર મૂકીને આવેલા ત્રીજા ખેતરમાં મજૂરો અંદરો અંદર લડે ઝઘડો કરવા લાગ્યા હતા અને તેમાં રમેશ નામના મજૂરને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ લાશને વનરાજભાઈના કુવાની અંદર ફેંકી દેવામાં આવી હતી, પરંતુ લાશ જ્યારે ફૂલીને પાણીમાં ઉપર તરતી થઈ ગઈ ત્યારે આ તમામ રહસ્યનો પરદાફાશ થઈ ગયો હતો..
વનરાજભાઈની પણ પૂછપરછ કરવામાં આવી પરંતુ વનરાજભાઈ આ બાબતથી બિલકુલ અજાણ છે, તેવું તેઓએ પોલીસને જણાવી દીધું હતું. પોલીસ એ જ્યારે આસપાસના વિસ્તારના મજૂરોની પૂછપરછ કરી ત્યારે તમામ માહિતીઓ સામે આવી ગઈ હતી. રમેશને કોણે મોતને ઘાટ ઉતાર્યો છે..
અને શા માટે આ કુવાની અંદર જ ફેંકી દેવામાં આવ્યો હતો, તેની તમામ માહિતીઓ પોલીસ મેળવી રહી છે. સવાર સવારમાં આ હોશ ઉડાવી દેતી ઘટના વનરાજભાઈ સાથે બની જતા તેઓ ખૂબ જ મોટી મુશ્કેલીની અંદર મુકાઈ ગયા હતા. ઘટનાના સમાચાર મોતીપુર ગામમાં રહેતા તમામ રહીશો સુધી પણ પહોંચી ગયા હતા..
લોકોના ટોળેટોળા અહીં એકઠા થવા લાગ્યા હતા, પોલીસના કાફલાએ લોકોના ટોળાને ત્યાંથી દૂર કરાવ્યા અને ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી હતી. આ લાશને અત્યારે સરકારી હોસ્પિટલની અંદર પોસ્ટમોર્ટમના રિપોર્ટ મેળવવા માટે મોકલી દેવામાં આવી છે, આ રિપોર્ટ સામે આવ્યા બાદ જ ખબર પડશે કે વ્યક્તિનું મૃત્યુ કેવી રીતે થયું છે..
શું તેને બહારથી મોતને ઘાટ ઉતારીને કૂવામાં ફેંકી દેવામાં આવ્યો હતો કે, પછી કૂવામાં ફેંક્યા બાદ જ તેનું મૃત્યુ થયું છે. આ તમામ બાબતની માહિતી પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જાણી શકાશે, રમેશ જે વ્યક્તિ સાથે લડાઈ ઝઘડો કર્યો લાગ્યો હતો. તે તમામ વ્યક્તિની ધરપકડ કરી તેમને કડક પૂછપરછ બેસાડવામાં આવી રહી છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]