છાશવારે એવા બનાવો બને છે જે સામાન્ય વ્યક્તિને વિચારવા પર મજબૂર કરી દેતા હોય છે. અત્યારે હરિયાણા રાજ્યના ફરાજલ પાસે આવેલા ફરાજ ગામમાં કંઈક આવો જ બનાવો બન્યો છે. આ ગામના મહિલા સરપંચ રોજની જેમ પોતાની વાડીએ ચાલીને જાય છે. તેઓ સવારમાં ઘરકામ પૂર્ણ કરી પોતાની વાડીએ જતા હતા..
એવામાં ફરાજ ગામની સીમમાં રહેલા તળાવ પાસે તેમને કંઈક અજગતું દેખાયું હતું. તેઓ ગામના સરપંચ હોવાથી આસપાસના વિસ્તારોની પણ ખૂબ જ સારી સાર સંભાળ અને ભાળ રાખતા હતા. તેઓ તાત્કાલિક આ તળાવના કિનારે પહોંચી ગયા અને આ વસ્તુ શું છે તે જાણવાની કોશિશ કરી હતી..
તેણે નજીક જઈને જોયું તો દેખાયું એવું કે જોઈને ઉભા રોડે દોટ મુકવી પડી હતી. કારણ કે તેણે એક યુવકની લાશ જોઈ લીધી હતી. સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિનો આ હાલતમાં ચહેરો જોવો સહેલો નથી. તેઓ તાત્કાલિક દોટ મૂકીને ગામમાં હાજર થયા અને ત્યાં અન્ય વ્યક્તિઓને પણ આ બાબત જણાવી હતી કે ફરાજ ગામની સીમ આવેલા તળાવમાં એક વ્યક્તિની લાશ મળી આવી છે..
આ સમાચાર વાયુવેગે સમગ્ર ગામમાં ફેલાઈ ગયા અને સૌ કોઈ લોકો ત્યાં ઉમટી પડ્યા હતા. એટલી બધી ભીડ એકઠી થઈ ગઈ કે તેને સંભાળવી પણ મુશ્કેલ હતી તાત્કાલિક પોલીસને પણ જાણ કરવામાં આવી પોલીસ ઘટના હાજર થઈને તપાસ ચલાવતા જણાયુ કે, આ લાશ રાજકુમાર નામના એક યુવકની છે..
જે છેલ્લા સાત દિવસથી પોતાના ઘરેથી ગાયબ છે. એક દિવસ આ યુવક પોતાના ઘરેથી ગાડી લઈને નીકળ્યો હતો. અને તેની સાથે ગામના જ ત્રણ લોકો પણ ગાડી ઉપર સવાર હતા. પરંતુ એમાંથી બે વ્યક્તિને તેણે ગામડેના પાદરે ઉતારી દીધા હતા. જ્યારે તે આગળ આવેલા પૂરાકડી ગામ પાસે જવા લાગ્યો હતો..
સાંજ સુધીમાં આ યુવક પરત ન આવતા પરિવારજનોએ આસપાસના વિસ્તારમાં તપાસ શરૂ કરાવી હતી. અને ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં પણ જાણકારી આપી હતી કે, તેમના પરિવારનો વહાલસોયો સભ્ય ઘરેથી ગાયબ છે. અને લાંબા સમયથી ઘરે આવ્યો નથી પોલીસે ફરિયાદ નોંધીને તેની તપાસ ચલાવી હતી..
અને આખરે સાત દિવસ બાદ યુવકની લાશ તળાવમાંથી મળી આવતા ભારે ચકચાર મચી ગયો હતો. જ્યારે આ યુવકના પરિવારજનોને જાણ કરવામાં આવી કે, રાજકુમારની લાશા તળાવમાંથી મળી છે. ત્યારે તેઓ દોડતા દોડતા ત્યાં આવી પહોંચ્યા હતા. તેમના પરિવારના સભ્યોની હાલત જોઈને સૌ કોઈ લોકો રડી રહ્યા હતા..
તપાસ દરમિયાન જણવા મળ્યું છે કે મૃતક વ્યક્તિના શરીર ઉપર ખૂબ જ વધારે નિશાન જોવા મળ્યા છે. એટલે તેને કોઈ અજાણ્યા વ્યક્તિએ કોઈ કારણસર પતાવી દીધો હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં આ મામલે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે. જોતજોતામાં ભારે સંખ્યા માં લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]