સુરતના ગડોદરા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં અખાડે પદમ ભાઈ અને અખાડે જ્યોતિબેન નામના પતિ-પત્ની રહે છે. લગ્નજીવન દરમિયાન તેઓને બે પુત્રો જન્મ્યા હતા. પરંતુ પુત્રોના જન્મ બાદ પતિ અને પત્ની વચ્ચે નાની નાની બાબતોને લઈને પણ સમજ ઊભી થતી હતી…
જેના કારણે નાના મોટા ઝઘડા થતા હતા. આ ઝઘડાથી કંટાળીને પદમ ભાઈની પત્ની જ્યોતિ બેન પોતાના બંને પુત્રોને સાથે લઈને પલસાણા ના કારેલી ગામ માં પોતાના પિતાના ઘરે પરત આવી ગઈ હતી. તે છેલ્લા ઘણા સમયથી પિયરમાં રહેતી હતી. એક દિવસ અચાનક સવારના છ વાગ્યામાં તે ઘર ના રસોડા માં દોડી ગઈ હતી અને દોરી વડે ફાંસો ખાવાનો પ્રયત્ન કરી રહી હતી.
એ સમય દરમ્યાન અચાનક જ્યોતિબેનની માતા ત્યાં આવી પહોંચી હતી અને તેણે જોયું તો પોતાની દીકરી ફાંસો ખાઈ રહી હતી. આ જોઈને તેણે બૂમાબૂમ કરી હતી. જેથી કરીને ઘરના અન્ય સભ્યો પણ જાગી ગયા હતા. અને જ્યોતિબેનને તાત્કાલિક ધોરણે ફાંસીના ફંદા પરથી ઉતારીને હોસ્પિટલ સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા…
જ્યાં ફરજ પરના ડોક્ટરે જણાવ્યું હતું કે જ્યોતિબહેન માત્ર બેભાન થયા છે. તેઓના જીવને હાલ કોઈ પણ પ્રકારનું જોખમ રહ્યો નથી. જો આ આજે જ્યોતિ બહેનની માતા રસોડામાં સમયસર આવી ન હોત ન હોત તો આજે જ્યોતિબેનનો જીવ જતો રહ્યો હોત. પ્રાથમિક તપાસ કરતા જાણવા મળ્યું છે કે…
પતિ-પત્ની વચ્ચે થતા નાના મોટા ઝઘડા ના કારણે જ્યોતિ બહેનને લાગી આવ્યું હતું. અને અંતે તેઓએ પિયરમાં આવીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો છે. તેવો એક પણ વાર પણ પોતાના બંને નાના બાળકો નો વિચાર કર્યો નથી. જે બિલકુલ ખોટી વાત છે. પલસાણા પોલીસ ઘટનાસ્થળે હાજર થઈ હતી. તેમજ પૂછતા જ પણ હાથ ધરી હતી પોલીસે આ બાબતને લઈને સૌ કોઈ લોકો સાથે પુછતાછ કરી રહી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]