ભારત દેશમાં માનવતા ખાતર કોઈપણ વ્યક્તિને પાણી આપવા માટે ના કહેવામાં આવતી નથી. પરંતુ ઘર એકલી રહેતી મહિલાઓ માટે એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિએ પાણી માગવાના બહાને ઘરે આવીને ઘરમાં રહેલી મહિલા પર હુમલો કર્યો છે.
યમુના નગરના સેક્ટર-17 માં બિઝનેસમેન અંકુશ પોતાની પત્ની સાથે રહે છે. ગઈકાલે અંકુશ ને ધંધાના કોઈ કામ અર્થે શહેરની બહાર જવાનું થયું હતું. જેથી તેની પત્ની નિશા ઘરે એકલી હતી. આ સમય દરમિયાન એક વ્યક્તિએ અંકુશના ઘરે આવીને તેની પત્ની નિશા પાસે પાણી માગ્યું હતું.
નિશાએ માનવતા ખાતર તે વ્યક્તિને પાણી ભરી આપ્યું હતું. આ દરમિયાન તે વ્યક્તિએ તેનો ફાયદો ઉઠાવીને નિશા પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. પરંતુ નિશાએ તેનો વળતો જવાબ આપીને તે વ્યક્તિને ધક્કો મારી ને પછળ ધકેલી દીધો હતો. નિશા ને ચપ્પુ નો ઘ વાગતા તે લોહી લુહાણ થઇ ગઈ હતી.
પરંતુ આ હાલત માં પણ તેણીએ ઘરની પાંચ ફૂટની દિવાલ કૂદીને પોતાનો જીવ બચાવી લીધો હતો. આ દરમિયાન તે અજાણ્યા વ્યક્તિ ને ડર લાગતા તે પણ ઘરની પાછળની દીવાલ કૂદીને ફરાર થઈ ગયો હતો. આ બાબતની જાણ પાડોશીઓને થતા તેઓ તરત જ નિશાની મદદ માટે દોડી આવ્યા હતા.
નિશા ને ચપ્પુનો ઘા વાગ્યો હોવાને કારણે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. આ અવસ્થામાં પણ તેણે પ ફૂટ ઊંચી દીવાલ કૂદીને પોતાની જીવ બચાવ્યો તે ખૂબ જ પ્રશંસનીય છે. તેમના પાડોશીઓ દ્વારા નિશાને તરત જ નજીકની હોસ્પિટલમાં સારવાર તે ખસેડવામાં આવી હતી. તેમજ આ ઘટનાની જાણ નજીકના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.
જેથી પોલીસે તરત જ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. તેમજ આસપાસના સીસીટીવી કેમેરાઓ ચકાસીને તે અજાણ્યા વ્યક્તિને પકડવાની પૂરેપૂરી કોશિશ કરી રહ્યા છે. આ વ્યક્તિને પકડવા માટે પોલીશ દ્વારા તેમના તમામ ચક્રો ગતિમાન કરવામા આવ્યા છે.
તેમજ પોતાના કામથી શહેરની બહાર ગયેલા નિશાના પતિ અંકુશ ને પણ આ બાબતની જાણ કરવામાં આવી છે. જેથી તે તરત જ પોતાના ઘરે પરત ફરવા માટે નીકળ્યો છે. આ ઉપરાંત પોલીસે તમામ મહિલાઓ ને આ બાબતે સાવચેત રહેવા માટે સલાહ આપી છે. હજુ તે અજાણ્યા વ્યક્તિની ઓળખ બાર પડી નથી. પરંતુ પોલીસ તેને પકડવા માટે પૂરો પ્રયત્નો કરી રહી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]