દિવાળીનો સમય નજીક આવતાની સાથે જ ઘરની મહિલાઓ ઘરમાં સાફ સફાઈની કામગીરીઓ શરૂ કરી દેતી હોય છે. દિવાળીમાં ઘર એકદમ ચોખા અને ઉજળા લાગે એટલા માટે મહિલાઓ દિવાળી અગાવ જ સાફ-સફાઈ શરૂ કરે છે. પરંતુ આ સાફ-સફાઈ કરતી વખતે ખૂબ જ કાળજી પણ રાખવી પડે છે..
સહેજ અમથી ભૂલ પણ ખૂબ જ મોટું નુકસાનકારક સાબિત થઈ શકે છે. અત્યારે સાફ-સફાઈના કામકાજનો સમય ચાલી રહ્યો છે. તો એક બાજુ બાળકોના વેકેશન પણ પડી ગયા છે. છેલ્લા બે અઠવાડિયાથી ઘરની અંદર સાફ-સફાઈ કરતી વખતે ખૂબ જ મોટા અને માઠા બનાવો બનવાના કિસ્સાઓ ખૂબ જ સામે આવ્યા હતા..
અને અત્યારે વધારે એક કિસ્સો તેમાં જોડાઈ ગયો છે. આ ઘટના સાંભળીને સૌ કોઈ લોકોએ ચેતવું જોઈએ અને સાફ-સફાઈ કરતી વખતે ખૂબ જ કાળજી અને ધ્યાન રાખવું જોઈએ. આ બનાવો મણીનગર સોસાયટીની અંદર રહેતા અસ્મિતાબેન નામની મહિલા સાથે બન્યો છે. અસ્મિતાબેન તેમના પતિ રાકેશભાઈ અને પાંચ વર્ષનો એક દીકરો અને સાત વર્ષની એક દીકરી સાથે જીવન ગુજારે છે..
રાકેશભાઈ ફેક્ટરીમાં નોકરી કરીને જીવન ગુજારે છે. જ્યારે અસ્મિતાબેન ઘરકામ કરી પરિવારને જીવન ગુજારવામાં મદદરૂપ બનતા હતા. તેઓએ નક્કી કર્યું હતું કે, વેકેશન પડતાની સાથે જ તેઓ વેકેશનનો સમય ગાળવા માટે વતનએ જતા રહેશે. દિવાળી આવે એ પહેલા જ અસ્મિતા બહેને પોતાના ઘરમાં સાફ-સફાઈની કામગીરી આદરી દીધી હતી..
એક દિવસ તેઓએ રસોડાની સાફ-સફાઈ કરી તો એક દિવસ તેઓ હોલની સાફ-સફાઈ કરતા હતા અને આ સફાઈ પૂર્ણ કરીને તેઓ ઉપરના માળે રહેલી એક રૂમમાં સાફ-સફાઈ કરતા હતા. એ દરમિયાન માળિયામાં કેટલીક ચીજ વસ્તુ ખૂબ જ અસ્તવ્યસ્ત પડી હતી. માળિયામાં મોટાભાગે જે વસ્તુને ખૂબ જ ઓછી ઉપયોગમાં લેવાની હોય તેવી વસ્તુઓને મૂકવામાં આવતી હોય છે..
તેઓ આ સાફ-સફાઈ કરવા માટે માળિયામાં ઉપર ચડી ગયા હતા. પરંતુ ઉપર ચડતાની સાથે જ તેમની સાથે ખૂબ જ મોટો બનાવ બની ગયો છે. તેઓ જ્યારે ઉપર ચડ્યા ત્યારે તેઓને ખૂબ જ ગરમી થઇ હતી. અને શરીર પણ ખૂબ જ અસ્વસ્થ લાગતું હતું. પરંતુ તેઓ વિચાર્યું કે હવે આ છેલ્લી સાફ સફાઈ છે..
એટલા માટે તેઓ અત્યારેને અત્યારે જ પૂર્ણ કરી દેશે, તેઓએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખ્યું નહીં અને માળિયામાં ચડી ગયા, જ્યાં તેઓને અચાનક જ ચક્કર આવ્યા અને પરિણામે તેઓ નીચે પડી ગયા હતા. માળિયા ઉપરથી નીચે પડતા જ તેમને માથાના ભાગે ખૂબ જ ગંભીર ઈજા થઈ હતી..
જ્યારે ઉપરથી નીચે પડવાનો અવાજ આવ્યો ત્યારે તેમના બંને બાળકો ત્યાં દોડીને આવ્યા અસ્મિતાબેનને તેમની દીકરી ઉભા કરવાની કોશિશ કરતી હતી. જ્યારે તેનો દીકરો તરત જ પડોશમાં રહેતા અન્ય વ્યક્તિઓને બોલાવી આવ્યો હતો કે, તેની મમ્મી માળીયા ઉપરથી નીચે પડી ગઈ છે..
અને તે જવાબ આપતી પણ બંધ થઇ ગઈ છે. પડોશના લોકો તાત્કાલિક હાજર થયા અને અસ્મિતા બહેનને એમ્બ્યુલન્સ બોલાવી નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. ધીમે ધીમે અસ્મિતાબેને આંખો મીંચી દીધી હતી. આ ઉપરાંત તેઓ જ્યારે ઉપરથી નીચે પડ્યા ત્યારે કોઈપણ વ્યક્તિને જવાબ પણ આપ્યો હતો નહીં..
એટલે કે, તેઓએ બોલવાનું બંધ કરી દીધું હતું. તેમની હાલત જોઈને સૌ કોઈ લોકો ખૂબ જ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. તાત્કાલિક રાકેશભાઈને પણ ફોન કરીને જાણ આપવામાં આવી કે, તેમની પત્ની અસ્મિતાબેન ઘરની સાફ-સફાઈ કરતી વખતે માળીયા ઉપરથી નીચે પટકાયા છે..
અને હાલ તેઓને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. રાકેશભાઈ તો તાબડતોબ પોતાની ફેક્ટરીએથી હોસ્પિટલ પહોંચ્યા પરંતુ ત્યાં ટૂંકી સારવાર બાદ ડોક્ટર હોય અસ્મિતાબેનને મૃત જાહેર કરી દીધા હતા. રાકેશભાઈ પહોંચતાની સાથે જ આ દુઃખદ સમાચાર સાંભળ્યા હતા અને તેઓ પણ તેને ત્યાં જ ઢળી પડ્યા…
તેમના માટે આ દુઃખ ને સહન કરવું ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું. તેના બંને બાળકો પણ વારંવાર મમ્મી ને ક્યારે હવે સારું થશે તેમ બોલવા લાગ્યા હતા. નાના બાળકો વારંવાર તેની માતા ક્યારે આંખ ઉઘાડીને તેની સાથે વાતચીત કરે તેની રાહ જોઈને બેઠા હતા. પરંતુ તેમને શું ખબર કે હવે તેમની માતા ક્યારેય પણ બોલવાની નથી..
કારણ કે તેમનો જીવ ચાલ્યો ગયો હતો. જ્યારે આ બનાવ સામે આવ્યો ત્યારે મહીનગર સોસાયટીની અંદર એકાએક અરેરાટીનો માહોલ વ્યાપી ગયો છે. પરિવારજનો અને સ્નેહીજનો તો દુઃખના ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા છે. જ્યારે રાકેશભાઈના માતા પિતાને ગામડે જાણકારી પહોંચાડવામાં આવી કે રાકેશની પત્ની અસ્મિતા ઘરની સાફ-સફાઈ કરતી વખતે મૃત્યુ પામી છે. ત્યારે તેઓ પણ ગામડેથી બસ પકડીને શહેરમાં આવી પહોંચ્યા હતા.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]